ETV Bharat / state

પોલીસે સાચવવા આપેલા ઘેટાં-બકરા વેચનાર આશા ફાઉન્ડેશનના સંચાલકના કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

author img

By

Published : Jan 8, 2020, 11:17 PM IST

અમદાવાદ: હાથીજણ ખાતે આવેલા આશા ફાઉન્ડેશન જીવદયા સંસ્થાને પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં-બકરાઓને રૂપિયા 38 લાખમાં ગેરકાયદેસર રીતે વેચી દેવાના મામલે આરોપી હર્મેશ ભટ્ટના સેશન્સ કોર્ટે્ આગતોરા જામીન અરજી ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. પશુ માલિકો દ્વારા તેની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Ahmedabad
Ahmedabad

આ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે આશા ફાઉન્ડેશનના મેનેજર અમિત ભાવસારના આગોતરા જામીન ફગાવ્યા હતા. આશા ફાઉન્ડેશનના સભ્ય હર્મેશ ભટ્ટ પર પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં-બકરા કે જેની કિંમત 32 લાખ રૂપિયા જેટલી થાય છે. તેને ગેરકાયદેસર રીતે 38 લાખ રૂપિયામાં વેચી દેવાનો કૌભાંડ સામે આવ્યું છે.

અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા 4થી ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી 218 જેટલા ઘેટાં- બકરા કબ્જે કરી પોલીસને સોંપ્યા હતા. બાતમીના આધારે ઘેટા બકરાને લઇ જતી ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આશા ફાઉન્ડેશનના સભ્ય અને સંચાલક હર્મેશ ભટ્ટ, રાણીપ બકરા મંડીના શહીદ અહેમદ, હનીફ થરુણ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસે સાચવવા આપેલા 1380 ઘેટાં-બકરા વેચનાર આશા ફાઉન્ડેશનના સંચાલકના કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

પોલીસે અલગ-અલગ વિસ્તારમાં બાતમીના આધારે છ ડિસેમ્બરના રોજ નરોડામાં દરોડા પાડી 960 ઘેટાં-બકરાને લઈ જતી ચાર ટ્રક ઝડપી પાડી હતી. 8 મી ડિસેમ્બરના રોજ ઓઢવમાંથી 182 ઘેટા-બકરા પોલીસે કબજે કર્યા હતા. કબજે કરાયેલા તમામ ઘેટાં-બકરાઓને હાથીજણ ખાતે આવેલી જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યા હતા.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલું છું)

હાથીજણ ખાતે આવેલા આશા ફાઉન્ડેશન જીવદયા સંસ્થાને પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં-બકરાઓને રૂપિયા 38 લાખમાં ગેરકાયદેસર રીતે વેંચી દેવાના મામલે આરોપી હર્મેશ ભટ્ટના સેશન્સ કોર્ટે્ આગતોરા જામીન અરજી ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. . પશુ માલિકો દ્વારા તેની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.Body:આ કેસમાં અગાઉ શેસન્સ કોર્ટે આશા ફાઉન્ડેશનના મેનેજર અમિત ભાવસારના આગોતરા જામીન ફગાવ્યા હતા. આશા ફાઉન્ડેશનના સભ્ય હર્મેશ ભટ્ટ પર પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં - બકરા કે જેની કિંમત 32 લાખ રૂપિયા જેટલી થાય છે તેને ગેરકાયદેસર રીતે 38 લાખ રૂપિયામાં વેંચી મારવાનો કૌભાંડ સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા 4થી ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી 218 જેટલા ઘેટા બકરા કબજે કરી પોલીસને સોંપ્યા હતા. બાતમીના આધારે ઘેટા બકરા ને લઇ જતી ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આશા ફાઉન્ડેશનના સભ્ય અને સંચાલક હર્મેશ ભટ્ટ, રાણીપ બકરા મંડીના શહીદ અહેમદ, હનીફ થરુણ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી..
Conclusion:પોલીસે અલગ-અલગ વિસ્તારમાં બાતમીના આધારે છ ડિસેમ્બરના રોજ નરોડામાં દરોડા પાડી 960 ઘેટાં-બકરાને લઈ જતી ચાર ટ્રક ઝડપી પાડી હતી. ૮ મી ડિસેમ્બરના રોજ ઓઢવમાંથી 182 ઘેટા-બકરા પોલીસે કબજે કર્યા હતા. કબજે કરાયેલા તમામ ઘેટાં-બકરાઓને હાથીજણ ખાતે આવેલી જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશન ને સોંપવામાં આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.