ETV Bharat / state

અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસરે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Mar 12, 2020, 10:14 PM IST

Updated : Mar 12, 2020, 10:33 PM IST

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ અને વેલફેરની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા બાદ વિવાદ યથાવત છે. NSUI (National Students' Union of India) અને ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad)એકબીજા સામે ધાક-ધમકી ના આરોપ લગાવી રહ્યા છે. બુધવારે એક યુવક પર હુમલાની ઘટના પણ બની હતી. આ સમગ્ર મામલે પોલીસે અલગ-અલગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

etv bharat
etv bharat

અમદાવાદ: વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી ચાર વર્ષ બાદ યોજાઈ જેમાં NSUIના તરફી પરિણામ જોવા મળ્યું છે, પરંતુ આ પરિણામ બાદ વિવાદ વધી રહ્યો છે. જેમાં યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા તેમને ધમકી આપી ગાળો બોલવામાં આવી છે, સાથે સાથે અતુલ નામના અન્ય એક અધ્યાપકે પણ ઇન્દ્રવીજય સિંહ ગોહિલ સહિત ત્રણ લોકો સામે ગાળો બોલી ધાક ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

પ્રોફેસરે ઇન્દ્રવીજયસિંહ ગોહિલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

બીજી તરફ આ સમગ્ર ફરિયાદ બાદ બુધવારે મોડી સાંજે અન્ય ઉપરોક્ત ગુનાના આરોપી હરનિશ મિશ્રા પર યુનિવર્સિટી પાસે આવેલી યુવજ કેફે પર હુમલો કરવામાં આવ્યો અને જેનો આરોપ ધીરજ રાઠોડ સહિત અન્ય લોકો પર લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ મામલે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે.

Last Updated :Mar 12, 2020, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.