ETV Bharat / state

Ahmedabad Suicide Case : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કિશોરે કરી આત્મહત્યા

author img

By

Published : Mar 19, 2022, 2:44 PM IST

Ahmedabad Suicide Case : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કિશોરે કરી આત્મહત્યા
Ahmedabad Suicide Case : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કિશોરે કરી આત્મહત્યા

એલિસબ્રિજમાં ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા 16 વર્ષના કિશોરે (Ahmedabad Suicide Case)આત્મહત્યા કરી છે. પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણા ગુનો નોંધીને બે સાઢુ ભાઈની ધરપકડ કરી છે. ચાર દિવસથી લાપતા સગીરે કેમ કરી આત્મહત્યા..જોઈએ આ અહેવાલ..

અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ પર 16 વર્ષના કિશોરનો મૃતદેહ (Ahmedabad Suicide Case) મળી આવતા ચકચાર મચી છે. ઘટનામાં સામે આવી રહ્યું છે કે, ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી. આ ઉપરાંત મૃતકને ખોટા કેસમાંં ફસાવવાની ધમકી આપતા એક કિશોરે આત્મહત્યા કરીનું સામે આવ્યુ છે.

Ahmedabad Suicide Case : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કિશોરે કરી આત્મહત્યા

પાંચ મિનિટમાં આવું કહીને નીકળ્યો - પોલીસ કસ્ટડીમાં જોવા મળતા બંને આરોપી અશ્વિન જીતિયા અને અશોક પારઘીની ધમકી આપનારા છે. તેવા આક્ષેપ છે કે, કંટાળીને 16 વર્ષના કિશોર ચેતન ઉર્ફે ચિન્ટુ નગવાડિયાએ આત્મહત્યા કરી લીધી છે. જેને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ચાર દિવસ પહેલા અગાઉના ઝઘડામાં ચેતન અને બન્ને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ ચેતન ઘરની બહાર પાંચ મિનિટમાં આવું છું તેવું કહીને નીકળ્યો હતો અને ઘરે પરત ફર્યો ન હતો. પરિવારે અપહરણનો (Crime Case in Ahmedabad)ગુનો નોંધાવ્યો હતો.. આ દરમિયાન ચેતનનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો. જેથી પરિવારે અશ્વિન અને અશોક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Vadodara Suicide Case : વડોદરા કોર્ટમાં ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી લગાવી છલાંગ

ક્રિકેટ રમવા બાબતે મારામારી - ભુદરપુરામાં રહેતા અશ્વિન જીતિયા અને અશોક પારઘી બન્ને સાઢુ ભાઈ છે. મૃતક અને આરોપીના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી. જેની અદાવતમાં 14 માર્ચના રોજ સમાધાન કરવાના બહાને આરોપી અને ચેતન તેમજ તેના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ચેતનને માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.. ચેતનના માતાપિતાએ માફી માંગી હોવા છતાં ધમકી આપી હતી. જેનાથી ચેતન ડરી ગયો હતો. અને મનમાં લાગી આવતા (Suicide Case on Riverfront) આત્મહત્યાનું પગલું ભર્યું.

આ પણ વાંચો : Prisoner commits suicide in bilodara Jail : નડિયાદ જિલ્લા જેલમાં કેદીએ બાથરુમના વેન્ટિલેશનની બારીમાં ગળે ફાંસો ખાધો

મૃતક ચાર દિવસથી ગુમ - આ મામલે એલિસબ્રિજ પોલીસે આત્મહત્યા કેસમાં (Ahmedabad Ellisbridge Police) કિશોરનો પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. મૃતક ચાર દિવસથી ગુમ હતો. જેથી ફક્ત ઝઘડાની અદાવત હતી કે અન્ય કોઈ કારણ હતું. તે મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.