ETV Bharat / state

Rath Yatra 2023: રાજસ્થાની શૈલીથી તૈયાર થયેલા વાઘામાં જગન્નાથ આપશે દર્શન

author img

By

Published : Jun 13, 2023, 10:06 AM IST

Rath Yatra 2023: ભગવાનના જગન્નાથને વસ્ત્રો થયા તૈયાર
Rath Yatra 2023: ભગવાનના જગન્નાથને વસ્ત્રો થયા તૈયાર

ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે આ વર્ષે ભગવાન નવા રથમાં બેસીને નગરચર્યા નીકળશે.આ વખતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અલગ પ્રકારના વસ્ત્રો સિલ્કના કાપડમાં તૈયાર કરવામાં આવ્યા છે.

ભગવાનના જગન્નાથને વસ્ત્રો થયા તૈયાર

અમદાવાદઃ અમદાવાદ શહેરમાંથી નીકળીતી દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે મંદિર દ્વારા તેમજ અલગ અલગ અખાડા, ટ્રક એસોસિએશન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથના નવા વસ્ત્રો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આ વખતે કલકત્તાના કુશળ કારીગરો દ્વારા મખમલના કાપડ પર ગુંથણ કામ કરવામાં આવ્યું છે.

"દરેકના લોકોના જીવનમાં ગુલાબી રહે તે માટે ભગવાનના વસ્ત્રો ગુલાબી રંગના તૈયાર કરવામાં આવ્યા છે. આ વસ્તુમાં સિલ્કનું કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાપડમાં રેશમ વર્ક કરીને અલગ જ પ્રકારના ખાસ અલગ જ પ્રકારનાં ભરત કામ કરીને વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કલકત્તાના કુશળ કારીગરોને અમદાવાદ બોલાવીને મખમલ કાપડ પર પણ ગૂંથણ કરવામાં આવ્યું છે આ વખતના ભગવાનના વસ્ત્રોમાં ખૂબ જ અલગ જ પ્રકાર જોવા મળી આવશે"-- સુનીલ સોની (વસ્ત્રો તૈયાર કરનાર)

ત્રણેય દિવસના અલગ અલગ વસ્ત્રો: ભગવાન જગન્નાથ જળયાત્રા પૂર્ણ કર્યા બાદ સાંજે મામાના ઘરે સરસપુર પહોંચ્યા છે. 15 દિવસ મામાના ઘરે રોકાઈને અમાસના દિવસે ભગવાન જગન્નાથ પોતાના નીજ મંદિર પરત ફરશે. જેમાં અમાસના દિવસે મામાના ઘરેથી આવે ત્યારે તેમના દ્વારકાધીશનું સ્વરૂપ જોવા મળે તે માટે તેવા જ પ્રકારના વસ્ત્રો પહેરાવવામાં આવશે. જ્યારે એકમના દિવસે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે. તે સમયે ત્રણ પાંખ તેમજ ગોટા પત્તીમાં પેચવર્ક કરેલા વસ્ત્રો ધારણ કરશે.

મંગળા આરતી વખતે ખાસ વસ્ત્રો ભગવાન જગન્નાથ મંગળા આરતી વખતે આ વખતે સ્પેશ્યલી કલકત્તાના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા વસ્ત્રો ધારણ કરશે ત્યારે અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથ જે સમયે અમદાવાદ શહેરની નગરચર્યા નીકળશે ત્યારે પિસ્તા રંગના વસ્ત્રો ધારણ કરીને નીકળશે. જેમાં રાજસ્થાની વર્કના એક અલગ જ પ્રકારના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથ અલગ અલગ 7 પ્રકારના મુગટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

Rath Yatra 2023 : અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારી તડામાર, 250 જેટલા ધાબા પર પોલીસ પોઇન્ટ

Rath Yatra 2023 : સુરતમાં 600 વર્ષ પહેલા પ્રથમ જગન્નાથજીની યાત્રા નીકળી હતી, આચાર્યનો ચમત્કાર જોઈ મુઘલો આશ્ચર્યમાં મુકાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.