તેના વિશે વધારે વાત કરતા તેઓ જણાવે છે કે, અમે એવું ઈચ્છીએ છીએ કે, લોકોના શરીરમાં શું જાય છે, તેના પર વિચાર કરે જે તેમની બોડીને શું કરે છે, તે સમજે આપણે હંમેશા બ્રાન્ડેડ કપડાં, કાર, રેસ્ટોરન્ટ જેવી જીવનની તમામ સુવિધાઓ પર ધ્યાન આપીએ છીએ અને ત્યારબાદ ઘણી વખત તબીબી બીલો પર મોટી રકમ ચૂકવીએ છીએ.
પરંતુ, જ્યારે આપણે યોગ્ય ખાદ્ય પદાર્થો સિલેક્ટ કરવાની વાત આવે ત્યારે આપણે ખેડૂતો સાથે તેની માટે સોદા કરીએ છીએ. અમે સમજીએ છીએ કે રસાયણો વિના ખેતી શક્ય છે. એવું માનવું સહેલું નથી. પરંતુ, અમે લોકોને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને એકવાર તક મળે નજીકના ખેડૂતોની લોકો મુલાકાત લે અને પછી કુદરતી અને રસાયણ મુક્ત જીવન તરફ આગળ વધવાનું નિર્ણય લે.
CA યશ મહેતાએ જણાવ્યું કે, હું યુએસ અને યુરોપમાં ખૂબ જ ઓછા સમય માટે ગયો હતો, જ્યાં મેં જોયું કે ઘણા ભારતીય કાર્બનિક ઉત્પાદનો માટે ઉત્સુકતા ધરાવે છે, ત્યારે પરત ફરતા મેં મારા બાળપણના મિત્ર જે સ્વભાવથી ફુલવર છે. તેની સાથે ચર્ચા કરી અને વાતની અંતે બંનેએ તેમના ખેતરના જીવનની શોધખોળ, ખેડૂતોને મળવા અને કાર્બનિક ખેતીને સમજવા માટે મુંબઈથી વાઈટ કોલર કોર્પોરેટ નોકરીઓ છોડીને આ ઉદ્યોગ તરફ વળ્યા છે.
આ સ્ટોરીનું લોન્ચિંગ 13 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. જેમાં ગ્રાહકો પોતાના કન્ટેનર લઈને આવી શકશે અને તેમની મરજી પ્રમાણે વસ્તુ ખરીદી શકશે.