ETV Bharat / state

અમદાવાદ સંચાલિત સ્લોટર હાઉસમાં રોજના 60-70 ઢોર કતલ માટે આવે છે

author img

By

Published : Nov 17, 2021, 4:09 PM IST

અમદાવાદ સંચાલિત સ્લોટર હાઉસમાં રોજના 60-70 ઢોર કતલ માટે આવે છે
અમદાવાદ સંચાલિત સ્લોટર હાઉસમાં રોજના 60-70 ઢોર કતલ માટે આવે છે

રાજ્યમાં હાલ ચાલી રહેલા વેજ નોનવેજના(veg non veg) મુદ્દાએ રાજનીતિક રંગ સાથે ક્યાંક ધાર્મિક રંગનો પણ સ્વરૂપ ધારણ કરી લીધો છે. મહાનગરપાલિકા ઈંડાની લારીઓને હટાવવા(remove by amc egg lorries) કવાયત શરૂ કરી હતી તે જ મનપાના સ્લોટર હાઉસમાં (Slaughter House) દૈનિક 60 થી 70 ભેંસ, પાડા, ઘેટાં, બકરા અને ડુક્કરની કતલ(Slaughter of cattle) થાય છે.

  • અમદાવાદ સંચાલિત સ્લોટર હાઉસમાં રોજના 60-70 ઢોર કતલ માટે આવે છે
  • અમદાવાદમાં એક ખાનગી સ્લોટર હાઉસ નથી
  • ધારા ધોરણો મુજબ મનપાનું સ્લોટર હાઉસ મીટ પહોંચાડે છે બજારમાં

અમદાવાદઃ રાજ્યમાં હાલ ચાલી રહેલા વેજ નોનવેજના(veg non veg) મુદ્દાએ રાજનીતિક રંગ સાથે ક્યાંક ધાર્મિક રંગનો પણ સ્વરૂપ ધારણ કરી લીધો છે. મહાનગરપાલિકા ઈંડાની લારીઓને હટાવવા(egg lorries remove by amc) કવાયત શરૂ કરી હતી તે જ મનપાના સ્લોટર હાઉસમાં(Slaughter House) દૈનિક 60 થી 70 ભેંસ, પાડા, ઘેટાં, બકરા અને ડુક્કરની કતલ(Slaughter of cattle) થાય છે.પણ અહીં ચોક્કસ ધારા ધોરણોની વ્યવસ્થા છે જેથી કોઈ બીમાર પશુનો ચેપ બજારના માધ્યમથી લોકોના ઘર સુધી ન પહોંચે.

મનપાના સ્લોટર હાઉસમાં સ્લોટરિંગ કઈ રીતે થાય છે?

મનપાનું સ્લોટર હાઉસ સ્લોટર રુલ્સ(Prevention and Cruelty Act) 2001 અંતર્ગત સંચાલિત છે. FSSA(Food Safety and Standards Authority of India) ધી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અને નેશનલ મીટ એન્ડ પોલટરી પ્રોસેસિંગ બોર્ડના લાયસન્સ ધરાવે છે. મનપામાં રોજના 60 થી 70 પશુઓ સ્લોટરિંગ હાઉસ સુધી પહોંચે છે. સ્લોટરિંગ પહેલા રાજ્ય સરકારના અધિકૃત ડૉકટરની એન્ટી મોટમની ચકાસણી અને કતલ બાદ પોસ્ટમોટમની ચકાસણી થાય છે. આ ચકાસણી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે

સ્લોટર હાઉસના સ્પેશિયલ સ્કોવોર્ડ દ્વારા તપાસ

રાજ્ય સરકારના અધિકૃત ડોકટરની તપાસ મળી ગયા બાદ મટન બજાર સુધી પહોંચાડવામાં આવે છે. બજારમાં પહોંચેલું મીટ મનપા સ્લોટર હાઉસનું છે કે નહીં તે માટે તેના ઉપર સિક્કો મારવામાં આવે છે. સ્લોટર હાઉસના સ્પેશિયલ સ્કોવોર્ડ દ્વારા તપાસ કરવામાં આવે છે. જો કોઈ મીટ સિક્કા વિનાનું હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહી સ્થાનિક પોલીસ અને ફૂડ વિભાગ(Food Department) હાથ ધરે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી

આ પણ વાંચોઃ સૂકા સાથે લીલું બળ્યું: અમદાવાદ AMCએ ઈંડા નોન-વેજની લારીઓ બાદ ખાણીપીણીના લારી ગલ્લા જપ્ત કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.