ETV Bharat / state

આહીર સમાજને રિઝવવા ખંભાળિયા ઈસુદાન ગઢવીને સોંપ્યું, સમજવા જેવું સમીકરણ

author img

By

Published : Nov 14, 2022, 9:32 AM IST

Updated : Nov 14, 2022, 10:36 AM IST

આહીર સમાજને રિઝવવા ખંભાળિયા ઈસુદાન ગઢવીને સોંપ્યું, સમજવા જેવું સમીકરણ
આહીર સમાજને રિઝવવા ખંભાળિયા ઈસુદાન ગઢવીને સોંપ્યું, સમજવા જેવું સમીકરણ

આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી (AAP Gujarat CM Face Candidate Isudan Gadhvi) જામ ખંભાળિયા બેઠક પરથી (Jam khambhalia assembly seat) ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ત્યારે આવો જાણીએ આ જ બેઠક શા માટે પસંદ કરવામાં આવી.

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) જીતવા માટે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. અન્ય રાજકીય પક્ષોની પહેલા પાર્ટીએ મુખ્યપ્રધાન પદનો ચહેરા તરીકે નેતા ઈસુદાન ગઢવીનું નામ પણ (AAP Gujarat CM Face Candidate Isudan Gadhvi) જાહેર કરી દીધું છે. છેલ્લા ઘણા સમયથી ઈસુદાન ગઢવી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. તે અંગે ચર્ચા થઈ રહી હતી. જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ઈસુદાન ગઢવી દ્વારકાની જામખંભાળિયા બેઠક (Jam khambhalia assembly seat) પરથી ચૂંટણી લડશે. ત્યારે ચર્ચાનો અંત આવ્યો હતો.

  • आपने और गुजरात की जनता ने मूँज पर जो विश्वास रखा है ! में यक़ीन दिलाता हूँ की आख़री साँस तक गुजरात की जनता की सेवा करूँगा ! जय जय गरवी गुजरात ! https://t.co/fwk1EyXsw9

    — Isudan Gadhvi (@isudan_gadhvi) November 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સથવારાના મત મળે તેવી વ્યૂહરચના આપને જણાવી દઈએ કે, ખંભાળિયામાં (Jam khambhalia assembly seat) કુલ 3.02 લાખ મતદારો છે. આ પૈકી 52,000 મતદારો આહિર છે. જ્યારે 50,000 લઘુમતિ મતદારો, સથવારા 35,000, રાજપૂત 14,000 અને દલિત મતદારો 18,000 છે. ઈસુદાન ગઢવીને દ્વારકાથી ખંભાળિયા બેઠક (Jam khambhalia assembly seat) પર લડાવવા પાછળનું કારણ એ જ છે કે, દ્વારકામાં આપે સથવારા સમાજના ઉમેદવારે ટિકીટ આપી છે. તેમ જ કૉંગ્રેસ કે ભાજપે સથવારા સમાજને ટિકીટ નથી આપી. એટલે ખંભાળિયામાં સથવારાના મત ઈસુદાન ગઢવીને (AAP Gujarat CM Face Candidate Isudan Gadhvi) મળે અને તેમની સામે ભાજપ કૉંગ્રેસમાંથી બંને ઉમેદવાર આહીર છે. એટલે આહીરના મતોનું વિભાજન થઈ શકે છે.

ગઢવી માટે જીતવું પડકારજનક ખંભાળિયાથી (Jam khambhalia assembly seat) ચૂંટણી લડવા (Gujarat Assembly Election 2022) ઉતરેલા ઈસુદાન ગઢવી સામે કૉંગ્રેસમાંથી વિક્રમ માડમ મેદાને છે. વિક્મ માડમ સતત 2 ટર્મથી વિજેતા થયેલા ઉમેદવાર છે. સાથે જ તેઓ સતત 8 ટર્મથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ સતત ત્રણ ટર્મ ભાજપના મંત્રી રહેલા અને ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના પૂર્વ ચેરમેન મૂળૂ બેરા ભાજપના ઉમેદવાર છે. જોકે, ત્રણેય મજબૂત ઉમેદવાર વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. તો આપ નેતા ઈસુદાન ગઢવી (AAP Gujarat CM Face Candidate Isudan Gadhvi) આજે (સોમવારે) પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરવા જશે.

ઈસુદાન ગઢવી પાસે અન્ય જવાબદારી જોકે, સામે પક્ષે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીમાં સૌરાષ્ટ્રના ઉમેદવારોને પણ જીતાડવાની જવાબદારી છે. આવા સંજોગોમાં તે પોતે તેમની બેઠક પર કેટલું ધ્યાન આપશે તે તેમના માટે મોટો પ્રશ્ન છે. તેમના માટે જ હવે ખંભાળિયા જીતવું પડકારજનક છે.

Last Updated :Nov 14, 2022, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.