AAPનું ડોર ટુ ડોર કેમ્પેઇન, લોકોને આપશે ગેરેન્ટી કાર્ડ

author img

By

Published : Aug 31, 2022, 3:44 PM IST

AAPનું ડોર ટુ ડોર કેમ્પેઇન, લોકોને આપશે ગેરેન્ટી કાર્ડ

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ ચૂંટણીલક્ષી ગેરંટી આપવામાં આવી હતી. જેને પગલે હવે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ગામેગામ ફરીને ગેરંટી કાર્ડ આપવાનું કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. આ કેમ્પેઇન અરવિંદ કેજરીવાલ પણ ડોર ટૂ ડોર ભાગ લેશે. Aam Aadmi Party, AAP door to door campaign, Gujarat Assembly Election 2022

અમદાવાદ ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ (Gujarat Assembly Election 2022 )રહી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટી પોતાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી( Aam Aadmi Party )પણ કમરકસીને ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી ગેરંટી બાદ હવે ડોર ટુ ડોર કેમ્પેઇન(AAP door to door campaign ) હાથ ધરવામાં આવશે. જેમાં ખુદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે.

આમ આદમી પાર્ટી

દરેક વ્યક્તિને ગેરન્ટી કાર્ડ આપવામાં આવશે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પ્રથમ તબક્કામાં મહિલા,રોજગાર અને વીજળી મુદ્દે ગુજરાતના દરેક ગામડામાં જશે.અને ત્યાં લોકો સાથે મળી ગેરંટી કાર્ડ આપવામાં આવશે. જેમાં દરેકના રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ રજિસ્ટ્રેશન બાદ દરેક વ્યક્તિને ગેરંટી કાર્ડ પણ આપવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા માત્ર 3 મહિનામાં જ આ તમામ ગેરંટી પૂર્ણ(guarantee campaign) કરવામાં આવશે.

આ પણ વાંચો ત્રણેય રાજકીય પક્ષોની યુવાપાંખ સજ્જ, પાર્ટીને વિજય બનાવવા રણનીતિ નક્કી

અરવિંદ કેજરીવાલ કેમ્પેઇનમાં ભાગ લેશે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 2 અને 3 સપ્ટેમ્બર ના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને પગલે આમ આદમી પાર્ટી દ્વારા જે કેમ્પેઇન ચાલવામાં આવી રહ્યું છે. તેમાં અરવિંદ કેજરીવાલ પણ ડોર ટૂ ડોર કેમ્પેઇનમાં ભાગ લેશે.

કેમ્પઇનનો થશે પ્રારંભ વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે ગણેશ ચતુર્થીના દિવસથી આમ આદમી પાર્ટી આ કેમ્પેઇનનો પ્રારંભ કરાવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે વધુ મજબુત બની રહી છે. હવે ગુજરાતના સરકારી કર્મચારી પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ રાખી રહ્યા છે. ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધી ગેરંટી શબ્દનો ઉપયોગ કર્યો નથી તે આજ આમ આદમી પાર્ટી કરી રહી છે. ગુજરાતની જનતા આ વખતે પરિવર્તન મન બનાવી લીધું છે.

આ પણ વાંચો AAPના નેતા મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો, પાર્ટીએ માગ્યું ગૃહરાજ્યપ્રધાનનું રાજીનામું

ભાજપ પ્રમુખ મારી સાથે ડિબેટ કરે ઈશુદાન ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માલધારી સમાજનું ભાજપ સરકારે લોહી ચૂસી લીધું છે. માલધારી સમાજ પોતાના હક માટે આંદોલન કરે તો તેમના પર ખોટા કેસ દાખલ કરી જેલમાં નાખવામાં આવી છે. માલધારી સમાજ મુદ્દા લઈ ભાજપ કોઈ નેતા આમ આદમી પાર્ટીના નેતા સાથે ડિબેટ કરવા તૈયાયર નથી. ભાજપના પ્રમુખ મારી સાથે ડિબેટ કરવા તૈયાર થાય મારા મુદ્દા જો ખોટા સાબિત થશે તો હું રાજીનીતિ છોડી દઈશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.