ETV Bharat / state

ત્રણેય રાજકીય પક્ષોની યુવાપાંખ સજ્જ, પાર્ટીને વિજય બનાવવા રણનીતિ નક્કી

author img

By

Published : Aug 30, 2022, 9:02 PM IST

ત્રણેય રાજકીય પક્ષોની યુવાપાંખ સજ્જ, પાર્ટીને વિજય બનાવવા રણનીતિ નક્કી
ત્રણેય રાજકીય પક્ષોની યુવાપાંખ સજ્જ, પાર્ટીને વિજય બનાવવા રણનીતિ નક્કી

ગુજરાત રાજ્યમાં વિધાનસભા 2022ની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, તેવામાં તમામ પક્ષ હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ અને AAPમાં પ્રચારનો મહત્વનો ભાગ યુવા પાંખ પર રહેલો છે. ત્રણેય રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટેની વ્યૂહરચના બનાવી લીધી છે. જેથી આગામી સમચમાં ચૂંટણી પડધમ પડઘાય તો નવાઈની વાત નથી. જોકે, આ વખતે યુથપાંખનો ઉપયોગ કરીને રાજકીય પક્ષો સત્તાની ખુરશી સુધી પહોંચવા માંગે છે. આ ત્રણેય રાજકીય યુવા પાંખની સક્ષમતા અને વિચારધારા પર જોઈએ એક ખાસ અહેવાલ...Gujarat Assembly Election 2022, Youth Wings of political Parties, BJP Youth Wing, Congress youth wing, AAP Youth Wings

અમદાવાદ/ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં 2022 વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ રાષ્ટ્રીય નેતાઓ એક બાદ એક ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીના પડઘમ પણ વાગવા લાગ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો (Youth Wings of political Parties) જંગ સર્જાવવાનો છે. આ જંગમાં મહત્વનો ભાગ યુવાનો રહેલો હોય છે. ચૂંટણી દરમિયાન (BJP Youth Wing) પ્રચારમાં સૌથી વધુ મેદાનમાં યુવાનો (Congress youth wing) જોવા મળતા હોય છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને AAP ત્રણેય (AAP Youth Wings) સંગઠનમાં યુવા પાંખ પણ હાલ એક બાદ એક કાર્યક્રમો સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતને ટુરિઝમ હબ બનાવવાની તૈયારીઓ શરૂ, રાજ્યમાં 28 સ્થળોએ ટુરિસ્ટ ઓફિસ બનશે

સભ્ય અભિયાનમાં યુવાનોઃ હાલ ભાજપનું યુવા પાંખ સદસ્યા અભિયાનમાં જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસનું યુવા નેતૃત્વ બેરોજગારીને લઈ યુવાનો સાથે સંવાદ કરી રહ્યું છે, જ્યારે AAP પાર્ટીનું યુવા સંગઠન બેરોજગાર યુવા યાત્રા સાથે યુવાનોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે આ અંગે થઈ ETV bharatએ ત્રણેય યુવા સંગઠનના વડાઓ સાથે વાત કરી તેઓના મત પણ જાણ્યા હતા. ભાજપ કોંગ્રેસ અને AAPમાં યુવા નેતૃત્વનું સૌથી મહત્વની કામગીરી પક્ષને કેવી રીતે મજબૂત કરી શકાય છે, પક્ષમાં નવા લોકોને કેવી રીતે જોડી શકાય તથા સત્તાધારી પક્ષની નિષ્ફળતાઓને કેવી રીતે ઉજાગર કરવી તે અંગે થઈ યુવા નેતૃત્વ કામગીરી કરતું હોય છે..

ભાજપ યુવા પાંખઃ ભાજપના યુવા નેતૃત્વની કમાન સાંભળનાર પ્રશાંત કોટકે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાનો તેઓના માર્ગદર્શન સાથે આગળ વધી રહ્યા છે. હાલ થોડાક જ સમયમાં રાજ્યમાં ખુબ જ મોટું યુવા સંમેલન પણ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને માર્ગદર્શન આપવાના છે. ભાજપનું યુવા સૌથી મજબૂત માનવામાં આવી રહ્યું છે. ABVP થી પ્રદેશ સંગઠન સાથેનું સંકલન પણ ખુબજ ટ્રાન્સપરન્ટ રહેલું છે.

ભાજપમાં યુવાનોઃ જેથી યુવાનો પણ સતત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલ ભાજપ મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસની ગૌરવગાથાને ગામે ગામ અને શહેરે શહેર લઈ જવામાં આવી રહી છે. સદસ્યા અભિયાન થકી હાલ ભાજપ દરેક લોકોને ભાજપમાં જોડવાનું કામ કરી રહ્યું છે. તો બીજી તરફ આવનારી ચૂંટણીને લઈ ભાજપ યુવા પાંખ પણ સજ્જ બની ગયું છે, ચૂંટણી દરમિયાન પ્રચાર અથવા અન્ય તમામ પ્રકારની જવાબદારીને લઈ ભાજપનું યુવા પાંખ આગળ વધી રહ્યું છે. ગુજરાત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ શિક્ષક છે કે શેતાન? 3 વર્ષના બાળકનું પ્રાયવેટ પાર્ટ બાળી નાંખ્યું

આમ આદમી પાર્ટીઃ આમ આદમી પાર્ટીના યુવા નેતૃત્વના વડા યુવરાજસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે હાલ ગુજરાતમાં સતત બેરોજગારી વધી રહી છે. રાજ્યમાં ડ્રગ્સ અને દારૂનો બેફામ વેપલો ફાટી નીકળ્યો છે. એજ્યુકેટેડ યુવાનો નોકરી માટે થઈ વલખા મારી રહ્યા છે. દિલ્લીના મુખ્યપ્રધાન અને સંયોજક અરવિંદ કેજરીવાલ ગેરેન્ટી કાર્ડ સાથે યુવાનોને રોજગારી આપવાની વાત સાથે આગળ વધી રહ્યા છે. તેઓએ ગુજરાતના એક એક યુવાને વિશ્વાસ અપાવ્યો છે.

મજબુત છે સંગઠનઃ જે વાતને ગુજરાતના તમામ ગામો અને શહેરોના યુવાનો સાથે લઈ જવામાં આવી રહી છે. હાલ AAPનું યુવા સંગઠન ખુબજ નાનું છે. પરંતુ મજબૂત છે. જે મોટી બાબત છે. પેપરલીક, ટીચરોની અછત, બેરોજગારી, અન્ય તમામ મુદ્દાઓ સાથે બેરોજગાર યુવા યાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં દરેક વિધાનસભાઓ સાંકળી લેવામાં આવી છે. જ્યાં યુવાનો સાથે ખાટલા બેઠક કરી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે, જે માટે થઈ હાલ ગુજરાતની જનતાને પણ AAPના યુવાનો દ્વારા એક મોકો કેજરીવાલને સૂત્ર સાથે પ્રચાર કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના યુવા પાંખના નેતા વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું કે હાલ યુથ કોંગ્રેસના યુવાનો વિદ્યાર્થીઓ અને રોડ પર મુસાફરી કરતા લોકો સાથે સંવાદ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્યોને ફરી રીપિટ કરશે, સુખરામ રાઠવા

યુથ કોંગ્રેસઃ કોંગ્રેસની સરકાર આવે તો તેઓની પ્રથમ જરૂરિયા ક્યાં પ્રકારની રહેશે તે અંગે વાત કરવામાં આવી રહી છે, રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ હાલ યુથ કોંગ્રેસ યુવાનો સાથે સંવાદ કરી તેઓના મુદ્દાઓને અને તેઓને પડતી તકલીફોને ધ્યાને લઇ જો અમારી સરકાર આવશે તો પહેલી કેબિનમાં આ તમામ સમસ્યાઓનું હલ કરવા આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ યુથ કોંગ્રેસ બેરોજગારી, પોર્ટ પરથી પકડવામાં આવ્યું ડ્રગ્સ જે ગુજરાતનું ભાવિ ભવિષ્યને જોખમમાં ધકેલવાનું કામ કરી રહ્યા છે જેને લઈ સતત રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યું છે, હાલ રાજ્યમાં વધતી જતી મોંઘવારી જેવા મુદ્દાઓને લઈ યુથ કોંગ્રેસ મહિલા પાંખ સાથે રહી વિરોધ નોંધાવી રહ્યું છે. રાજ્યમાં યુવતીની છેડતીના બનાવ હત્યાના બનાવ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જેને લઈ પણ જનતાને જાગૃત કરવાનું કામ હાલ યુથ કોંગ્રેસના યુવાનો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.