ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કરોનાના 2,360 કેસ નોંધાયા

author img

By

Published : Mar 31, 2021, 10:56 PM IST

છેલ્લા દસ દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે પણ કોરોના ના આંકડા વધારે જાહેર કર્યા છે રાજ્યમાં આજે 2360 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ દર્દીઓનો રિકવરી રેટમાં પણ ઘટાડો થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કરોનાના 2,360 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કરોનાના 2,360 કેસ નોંધાયા

  • રાજ્યમાં કોરોના 2360 કેસ
  • કોરોનાના કારણે 9 લોકોના મૃત્યુ
  • રાજ્યમાં કોરોનાની ભયજનક સ્થિતિ

અમદાવાદઃ કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેની શરૂઆત કરીએ તો આજની તારીખમાં કુલ 12,610 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.અને 1,2458 લોકોની હાલત સ્થિર છે. તો અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,519 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 620, સુરતમાં 744, વડોદરામાં 341, રાજકોટ માં 208 કેસ નોંધાયા છે.

  • વેક્સિનેશનની વિગત જાણીએ

રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ લેનારા 49,45,649 વ્યક્તિનો તને શું થયું છે. તો 6, 65, 995 લોકોનો બીજા ડોઝમાં રસીકરણ પૂર્ણ થયું છે સાથે જ 60 વર્ષથી વધુના અને 45 થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા 1,72,460 વ્યક્તિઓનો પ્રથમ ડોઝનું અને 19, 347 વ્યક્તિઓનો બીજા ડોઝનો રસીકરણ પૂર્ણ થયું છે, તો અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.