સુલ્તાન જોહોર કપના પોતાની ત્રીજી મેચમાં જાપાને ભારતને 4-3થી હારાવ્યું છે, ભારતીય ટીમમાં ગુરસાહિબજીત સિંહ, શારદાનંદ તિવારી અને પ્રતાપ લાકડાએ એક-એક ગોલ કરવામાં સફળ રહ્યા હતાં.
ભારતીય ટીમની ટૂર્નામેંટની આ પહેલી હાર છે, ટીમે પોતાના પહેલા મેચમાં મેજબાન મલેશિયાને 4-2 અને બીજી મેચમાં ન્યૂજીલેન્ડને 8-2થી હરાવ્યું હતું.
ત્રીજી મેચમાં જાપાન તરફથી વતારૂ મત્સુમોતોએ પહેલો, કોસેઇ કવાબેને 22મી, 37મી જ્યારે કીતા વતાનાબેએ 38મી મિનીટે ગોલ કર્યો હતો, ભારત તરફથી ગુરસાહિબજીત સિંહ 31મી, શારદાનંદએ 38મી મીનીટમાં અને પ્રતાપે 53મી મીનીટે ગોલ કર્યો હતો.
ગત વર્ષે ફાઇનલમાં પહોચનાર ભારતીય ટીમને હવે ચોથી મેચ ઓસ્ટ્રેલીયા સાથે રમવાનો છે.