ETV Bharat / sports

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નહીં જીતવાનો અફસોસ હમેશા રહેશેઃ સરદાર સિંહ

author img

By

Published : Jul 20, 2020, 4:52 PM IST

ભારતીય પુરૂષ હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદાર સિંહે કહ્યું કે 314 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ પણ મને હંમેશા અફસોસ રહેશે કે મારા ઘરમાં કોઇ ઓલિમ્પિક મેડલ નથી.

Sardar Singh
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નહીં જીતવાનો અફસોસ હમેશા રહેશેઃ સરદાર સિંહ

નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન સરદાર સિંહને ગર્વ છે કે તેઓ તે પેઢીના હિસ્સા રહ્યા છે કે જેણે ભારતીય હોકીને એક નવી ઉંચાઇ હાંસીલ કરતા જોઇ છે, તેમજ તેમને પોતાના કરિયર દરમિયાન એક વાતનો પસ્તાવો પણ છે કે તેમણે દેશ માટે ઓલિમ્પિક મેડલ ના જીતી શક્યા.

Sardar Singh
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નહીં જીતવાનો અફસોસ હમેશા રહેશેઃ સરદાર સિંહ

જોકે સરદારનું માનવું છે કે, મનપ્રીત સિંહની આગેવાનીવાળી હાલની ટીમ પાસે આવતા વર્ષે ટોક્યોમાં રમાનાર ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો સારો મોકો છે.

સરદારે કહ્યું કે હોકીમાં મારી સફર ઘણી સંતોષજનક રહી છે, કારણ કે હું તે યુગનો ભાગ હતો કે જેણે 2012માં લંડન ઓલિપ્મિકમાં અંતીમ સ્થાને રહેવા બાદ 2018માં જ્યારે મે સંન્યાસ લીધો ત્યારે દુનિયાની છઠા નંબરની ટીમ સુધીનું લાંબા અંતરનું સફર પાર કરી લીધો હતો.

Sardar Singh
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નહીં જીતવાનો અફસોસ હમેશા રહેશેઃ સરદાર સિંહ

ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ઇતિહાસ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમે આઠ ગોલ્ડ મેડલ ઉપરાંત એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જોકે ભારતે ઓલિમ્પિકમાં છેલ્લી સફરળતા 40 વર્ષ પહેલા 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં પાપ્ત કરી હતી, ત્યારે ભારતે આઠમો અને અત્યાર સુધીનો છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Sardar Singh
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નહીં જીતવાનો અફસોસ હમેશા રહેશેઃ સરદાર સિંહ

ભારતીય પુરૂષ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહે કહ્યું કે 314 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ પણ મને હંમેશા અફસોસ રહેશે કે મારા ઘરમાં કોઇ ઓલિમ્પિક મેડલ નથી.

સરદારે કહ્યું કે ગયા વર્ષે આ ટીમને સતત મજબૂત થતા જોઇ છે, તેમજ આ વર્ષે એફઆઇએસ હોકી પ્રો લીગમાં તેઓએ જે પ્રમાણે સારૂ પ્રદર્શન કર્યું છે, તે જોતા મને ઉમ્મીદ છે કે આ ટીમ ઓલિમ્પિકમાં મેડલ જીતી શકે તેમ છે. ટોક્યોમાં તેમની પાસે મેડલ જીતવાનો એક સારો મોકો છે.

Sardar Singh
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નહીં જીતવાનો અફસોસ હમેશા રહેશેઃ સરદાર સિંહ

ટોક્યો 2020 ઓલિમ્પિકને કોરોના વાઇરસની મહામારીના કારણે એક વર્ષ સુધી સ્થગીત કરવામાં આવી છે. જેથી સરદારનું માનવુ છે કે આનાથી ભારતીય ટીમને તેના કમજોર પક્ષો પર કામ કરવાની તક મળશે.

સરદારે કહ્યું કે રાજકુમાર, દિલપ્રીત, વિવેક સાગર, ગુરસાહીબ જેવા યુવા ખેલાડીઓએ પોતાની પ્રતીભા બતાવી છે, તેમજ મુખ્ય કોચ ગ્રાહમ રીડ દ્વારા પ્રો લીગ જેવી મોટી મેચોમાં તેમને અજમાવવાનો નિર્ણય ઘણો સારો હતો.

Sardar Singh
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નહીં જીતવાનો અફસોસ હમેશા રહેશેઃ સરદાર સિંહ

તેમણે કહ્યું કે ઓલિમ્પિક સ્થગિત થયા પછી અમારી પાસે નબળી બાજુઓ પર કામ કરવાનો સારો મોકો છે. મને લાગે છે કે આપણે બે કે ત્રણ વર્ષ પહેલા જેવું પ્રદર્શન કરી રહ્યા હતા તેની તુલનામાં અત્યારે ઘણું સારૂ પ્રદર્શન કરી રહ્યા છીએ.

સરદારે ભારતીય ખેલાડીઓને સલાહ આપી કે હાલમાં કોરોના વાઇરસની સંકટને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે પોતાનું ધ્યાન ફેરવવું ન જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.