ETV Bharat / sports

Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવની બલ્લે બલ્લે, BCCI આપવા જઈ રહી છે મોટી જવાબદારી..!

author img

By

Published : Jul 25, 2023, 4:27 PM IST

સૂર્યકુમાર યાદવને ટી-20 સિરીઝમાં વાઈસ કેપ્ટન બનાવીને ભારતીય ટીમ મેનેજમેન્ટે તેના વિશે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેને આયર્લેન્ડ પ્રવાસ પર જઈ રહેલી ટીમની કેપ્ટનશિપ પણ આપવામાં આવી શકે છે.

Etv BharatSuryakumar Yadav
Etv BharatSuryakumar Yadav

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે T20 ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન બની ગયેલા સૂર્યકુમાર યાદવને વધુ તક આપવાનું મન બનાવી લીધું છે. હવે તે વનડેમાં પણ પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી 3 મેચોની સિરીઝમાં તેને તક મળે તેવી શક્યતા છે. જો તે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખશે તો તે આગામી એશિયા કપ 2023 તેમજ ICC વર્લ્ડ કપ ક્રિકેટ 2023માં ટીમનો મહત્વનો ભાગ બની શકે છે.

સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે: તમે જોયું હશે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે T20 ફોર્મેટમાં હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ સૂર્યકુમાર યાદવને ઉપ-કપ્તાન બનાવ્યો છે અને તેના વિશે તેના ઇરાદા સ્પષ્ટ કર્યા છે. T-20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપીને તેના માટે આગળનો નવો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, હવે તેની પર વનડેમાં પણ ટ્રાય કરવામાં આવશે. આથી ત્રણેયને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડેમાં તક આપવામાં આવી છે. તેના પર સારું પ્રદર્શન કરવાનું વધારાનું દબાણ રહેશે, કારણ કે તે ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો અને ત્રણેય મેચમાં પ્રથમ બોલે આઉટ થયો હતો.

  • India’s ODI Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Surya Kumar Yadav, Sanju Samson (wk), Ishan Kishan (wk), Hardik Pandya (VC), Shardul Thakur, R Jadeja, Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jaydev Unadkat, Mohd. Siraj, Umran Malik, Mukesh… pic.twitter.com/PGRexBAGFZ

    — BCCI (@BCCI) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે જશે: આ સાથે બીજી એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ 3 T20 મેચ રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ 18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી આયર્લેન્ડની ટીમ સાથે 3 T20 મેચ રમશે. ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહની આ શ્રેણીમાં વાપસી થવાની આશા છે અને તે પછી તે એશિયા કપ 2023માં રમી રહેલી ટીમનો પણ ભાગ બનશે.

સિનિયર ખેલાડીઓને આરામ: મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર, આ પ્રવાસમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. જેમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ પણ આરામ કરશે. આવી સ્થિતિમાં ટી-20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી શકે છે.

સૂર્યકુમારની કારકિર્દી માટે મોટી ઉપલબ્ધિ: જો આયર્લેન્ડ પ્રવાસ પર જઈ રહેલી ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને આપવામાં આવે છે, તો તે સૂર્યકુમાર યાદવની કારકિર્દી માટે એક મોટી ઉપલબ્ધિની સાથે સાથે એક મોટી તક પણ હશે, જ્યાં તે પોતાની બેટિંગની સાથે-સાથે કેપ્ટનશિપની પણ કસાટી થશે.

આ પણ વાંચો:

  1. India Vs West Indies: આ ખેલાડીઓને મળી શકે છે પ્રથમ વન ડેમાં મોકો, 27 જુલાઈએ પ્રથમ વનડે
  2. India vs West Indies ODI : ભારત સામે પ્રથમ ODI માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની જાહેર, આ ધુરંધર ખેલાડીની ટીમમાં વાપસી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.