ETV Bharat / sports

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સ્કોર 10 ઓવરમાં (61/4)

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 7:52 PM IST

Etv Bharat
Etv Bharat

સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ રમી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યાએ પોતાની વિનિંગ પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કર્યા છે.

બેંગલુરુ: આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડ ટોસ માટે મેદાનમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ સાથે ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે. સૂર્યાએ આ મેચ માટે પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો છે.

ભારતીય ટીમમાં ફેરફારઃ ભારતીય ટીમ પહેલાથી જ 5 મેચની T20 શ્રેણી 3-1થી જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં તેને પોતાની બેન્ચ સ્ટ્રેન્થ તપાસવાનો મોકો મળ્યો હતો. પરંતુ સૂર્યાએ આવું ન કર્યું અને પ્લેઇંગ 11માં આખી સિરીઝમાં બેન્ચ પર બેઠેલા શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને જગ્યા ન આપી. પરંતુ પાંચમી મેચમાં સૂર્યાએ ટીમમાં એક ફેરફાર કર્યો હતો. તેણે ચોથી T20 મેચમાં દીપક ચાહરને પ્લેઈંગ 11માંથી હટાવીને અર્શદીપ સિંહને પાંચમી અને અંતિમ મેચ માટે પ્લેઈંગ 11માં જગ્યા આપી છે.

કેવું રહ્યું છે ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીનું પ્રદર્શનઃ ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની પહેલી મેચ 2 વિકેટથી જીતી હતી, જ્યારે બીજી મેચમાં સૂર્યાની ટીમે 44 રનથી મેચ જીતી હતી. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ચોથી મેચમાં ફરી વળતો પ્રહાર કર્યો અને ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવીને શ્રેણી જીતી લીધી. હવે ટીમ ઈન્ડિયા પાસે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝ 4-1થી જીતવાની તક હશે.

આ પણ વાંચો:

  1. ટીમ ઈન્ડિયાના આ બંને ખેલાડીઓને અંતિમ T20 મેચના પ્લેઈંગ 11માં મળી શકે છે તક, જુઓ તેમના શાનદાર આંકડા
  2. ...તો આ કારણે રિંકુ રમે છે મેચ વિનિંગ ઇનિંગ્સ, જાણો શું છે તેની લાંબી સિક્સરનું રહસ્ય
  3. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024 સુધી કેપ્ટન રહેવું જોઈએ: સૌરવ ગાંગુલી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.