ETV Bharat / sports

પ્રથમ વન ડે: ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું

author img

By

Published : Feb 5, 2020, 7:31 AM IST

Updated : Feb 5, 2020, 4:55 PM IST

etv bharat
etv bharat

કીવીએ પ્રથમ મેચમાં શાનદાર 5 વિકેટ સાથે જીત મેળવી છે. આ સાથે જ કીવી 3 મેચની સીરીઝમાં 1-0 થી આગળ થઇ ગયુ છે. નોંધનીય છે કે ભારતે આ પહેલા T-20 શ્રેણીમાં 5-0થી શાનદાર જીત મેળવી હતી.

હેમિલ્ટન : ન્યુઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાઇ રહેલી પ્રથમ વન ડે મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યુ છે. તે સાથે જ ન્યુઝીલેન્ડ 1-0 શ્રેણીમાં આગળ થયુ છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા રમાયેલી t-20 મેચમાં ભારતે 5-0 થી શાનદાર જીત મેળવી હતી.

હેમિલ્ટન ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડની જીતનો હિરો એવા રોસ ટેલરે કેરીયરની 21મી સેન્ચુરી ફટકારી હતી જેમાં તેને 84 બોલમાં 109 રન ફટકાર્યા હતાં. આ સિવાય ટીમમાંથી હેનરી નિકોલ્સ અને કેપ્ટન ટોમ લેથમે ફિફ્ટી ફટકારી ટીમની જીતમાં મહત્વની ભૂમીકા ભજવી હતી.

ભારત તરફથી બોલિંહ કરતા કુલદીપ યાદવે 2 જ્યારે શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શામીએ 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. બીજી વન ડે મેચ 8 ફેબ્રુઆરીના રોજ ઓકલેન્ડ ખાતે રમાશે.

  • ન્યૂઝીલેન્ડે 30 ઓવરમાં 3 વિકેટે 175 રન કર્યા
  • હેનરી નિકોલ્સ 78 રને વિરાટ કોહલી દ્વારા રનઆઉટ થયો
  • ટોમ બ્લેંડલ 9 રને કુલદીપની બોલિંગમાં રાહુલ દ્વારા સ્ટમ્પ થયો
  • પહેલા માર્ટિન ગુપ્ટિલ 32 રને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં જાધવના હાથે કેચ આઉટ થયો.
  • 348નો ટાર્ગેટ, ન્યૂઝીલેન્ડના વિના વિકેટે 44 રન
  • ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 348 રનનો ટાર્ગેટ, ઐયરની સદી
  • ભારતને ચોથો ઝટકો, શ્રેયસ ઐયર 103 રને આઉટ
  • ઐયર 83 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ગ્રાન્ડહોમમે કેચ છોડ્યો હતો
  • શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સદી ફટકારી
  • રાહુલે વનડેમાં સાતમી ફિફ્ટી ફટકારી
  • ઐયરની પહેલી સદી, રાહુલની ફિફ્ટી, 44 ઓવર બાદ ભારતનો સ્કોર 285ને પાર
  • ઐયર 83 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ગ્રાન્ડહોમમે કેચ છોડ્યો હતો
  • શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સદી ફટકારી
  • રાહુલે વનડેમાં સાતમી ફિફ્ટી ફટકારી
  • 37 ઓવર બાદ ભારતનો સ્કોર 200ને પાર
  • શ્રેયસ ઐયરે વનડેમાં સાતમી ફિફટી મારી, કોહલી 58મી ફિફ્ટી ફટકારી આઉટ
  • ભારતને ત્રીજો ઝટકો, વિરાટ 51 રને આઉટ
  • ભારતે 14 ઓવરમાં 2 વિકેટે 70 રન કર્યા
  • ભારતને બીજો ઝટકો, મયંક 20 રને આઉટ
  • ભારતને પહેલો ઝટકો, પૃથ્વી શો 20 રને આઉટ
  • મયંક અગ્રવાલ અને પૃથ્વી શોની ડેબ્યુ મેચ
  • લોકેશ રાહુલ મિડલ ઓર્ડરમાં ફિનિશરની ભૂમિકા
  • ભારત 6 વર્ષથી ન્યૂઝીલેન્ડ સામે કોઈ સીરિઝ હાર્યું નથી.
  • ટીમ ઇન્ડિયાએ છેલ્લી ત્રણેય સીરિઝમાં કિવિઝને હરાવ્યું
  • જાન્યુઆરી 2014માં ભારત સામે ન્યૂઝિલન્ડ ઘરઆંગણે જ 4-0થી હાર્યું હતું.
  • ભારતે તાજેતરમાં 5 T-20ની સીરિઝમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઇટવોશ કર્યો હતો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચ સેડન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે હાલમાં રમાયેલી 5 T-20ની સીરિઝમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઇટવૉશ કર્યો હતો. ભારતીય ટીમ વન-ડે સીરિઝમાં પણ જોશ અને જુસ્સા સાથે મેદાનમાં ઉતરી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે ભારત સામેની પ્રથમ વનડેમાં હેમિલ્ટનના સેદન પાર્ક ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. રોહિત શર્મા અને શિખર ધવનની ગેરહાજરીમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શોએ વનડેમાં ડેબ્યુ કર્યું છે.

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં પ્રથમ વનડે છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ખેલાડીઓની ઈજાને કારણે હેરાન-પરેશાન છે. જેથી કેટલાક નવા ખેલાડીઓને તક મળી શકે છે. ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શિખર ધવન, હાર્દિક પંડયા, ભુવનેશ્વરકુમાર અને દીપક ચાહર જેવા સિનિયર ખેલાડીઓ પણ પહેલેથી જ ઈજાગ્રસ્ત છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન અને ટ્રેન્ટ બોલ્ટ પણ ઈજાને કારણ ટીમની બહાર છે.

Intro:Body:

dd


Conclusion:
Last Updated :Feb 5, 2020, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.