ETV Bharat / sports

સુરેશ રૈના IPLમાં નહીં રમે, દુબઈથી ભારત પરત ફર્યો, જાણો કારણ

author img

By

Published : Aug 29, 2020, 2:09 PM IST

IPL-2020ને લઇને ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, ત્યારે IPL2020નું આયોજનથી ક્રિકેટ રસિયાઓ ખુશ થઇ ગયા હતાં, પરંતુ હવે સામચાર મળી રહ્યાં છે કે, સુરેશ રૈના IPLમાં નહીં રમે અને તે દુબઈથી ભારત પરત ફર્યો છે. કહેવાઈ રહ્યું છે કે, રૈના વ્યક્તિગત કારણોસર IPL નહીં રમે.

IPL
સુરેશ રૈના

હૈદરાબાદ :IPL-2020ને લઇને ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, ત્યારે IPL2020નું આયોજનથી ક્રિકેટ રસિયાઓ ખુશ થઇ ગયા હતાં, પરંતુ હવે સામચાર મળી રહ્યાં છે કે, સુરેશ રૈના IPLમાં નહીં રમે અને તે દુબઈથી ભારત પરત ફર્યો છે. કહેવાઈ રહ્યું છે કે, રૈના વ્યક્તિગત કારણોસર IPL નહીં રમે.

ગત રોજ 28 ઓગસ્ટે IPL માટે માઠા સમાચાર આવ્યા હતા કે, ચેન્નઇ સુપરકિંગ્ઝના 11 લોકોને કોરોના પોઝિટિવ આવ્યાં છે. હવે બીજા માઠા સમાચાર આવ્યા છે કે, સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર આ વખતે IPL નહીં રમે, તે દુબઈ છોડીને ભારત પરત ફર્યો છે.

ચેન્નઇ સુપર કિંગે ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે, સુરેશ રૈના વ્યક્તિગત કારણોથી ભારત પરત ફર્યો છે અને હવે IPL2020માં પરત નહીં ફરે. ચેન્નઇની ટીમ સંપૂર્ણ રીતે સુરેશ રૈના અને તેના પરિવાર સાથે છે.

સુરેશ રૈના એક T-20નો શાનદાર ખેલાડી હોવાથી ચેન્નઇ સુપર કિંગ્ઝને મોટો ફટકો પડ્યો છે. જો કે, ભારતમાં IPLનો ક્રેઝ વધુ હોવાથી લોકોમાં નિરાશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.