રવિવારે અકબર અલીની આગેવાની હેઠળની બાંગ્લાદેશે ટુર્નામેન્ટના ફેવરિટ ભારતને ત્રણ વિકેટે હરાવીને આઈસીસીનો અન્ડર -19 વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. જ્યારે બાગ્લાદેશની જીતની ઉજવણી કરતી વખતે, યુવા ટાઇગર્સે ઉજવણીના નામે અનુશાસનનો આશરો લેતા તેઓ વલ્ગર કરતા ડિસ્પ્લેમાં જોવા મળ્યા હતા.
હૈદરાબાદ: રવિવારે કોઈપણ સ્તરે આઈસીસી અંડર -19 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ, બાંગ્લાદેશની યુવા ક્રિકેટ ટીમ તેમની ઉજવણી જંગી બની ગઈ હતી.
મેચનો પહેલો બોલ બોલ્ડ થયો ત્યારથી જ શોરિફુલ ઇસ્લામ ભારતીય બેટ્સમેનને સ્લેજ કરતા જોવા મળ્યો હતો અને જ્યારે તેની ટીમે તેમનો પ્રથમ વર્લ્ડ કપનો ખિતાબ મેળવ્યો ત્યારે તેણે બધી મર્યાદાઓ ઓળંગી હતી. હકીકતમાં બાંગ્લાદેશની મેચ જીત્યા બાદ ભારતીય અને બાંગ્લાદેશી ખેલાડીઓ વચ્ચે લડાઈ ફાટી નીકળી હતી. બંને પક્ષના ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયા બાદ ભારતના કોચ પારસ મ્મમ્બ્રે તેના પ્લેયર્સને શાંત કરાવતા જોવા મળ્યા હતા. તેમની અશ્લીલ હરકતો પછી, ઘણા ક્રિકેટ ઉત્સાહીઓએ એમ પણ કહ્યું કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) પહેલા તેમના ખેલાડીઓને રમતગમતની શિક્ષા આપવી જોઈએ અને કોઈ મોટી ટુર્નામેન્ટમાં તેમની ટીમને મોકલતા પહેલા તેમને જણાવું જોઇએ કે વિરોધીઓને કેવી રીતે માન આપવું જોઈએ.
![શું ક્રિકેટ હવે રમતની જગ્યાએ ફાઇટીંગનું ગ્રાઉન્ડ છે?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6023477_videograb_1002newsroom_1581337145_1075.jpg)
તેની ટીમની વર્તણૂક વિશે વાત કરતી વખતે, બાંગ્લાદેશના સુકાની અકબર અલીએ પણ મેચ પછીના ખેલાડીઓની હરકતોની નિંદા કરી હતી અને તેણે એમ કહ્યું હતું કે, ખેલાડીઓને આવી બાબતોમાં સામેલ થવુંએ 'દુર્ભાગ્યપૂર્ણ' છે.
“અમારા કેટલાક બોલરો ભાવનાત્મક હતા અને બહાર નીકળી ગયા હતા. રમત પછી જે બન્યું તે કમનસીબ હતું. હું ભારતને અભિનંદન આપવા માગુ છું.
બંને ટીમોમાં ખેલાડીઓ ઉત્સાહમાં હતા અને છોકરાઓએ આવી હાઈ-પ્રેશર રમતમાં પોતાને સંભાળવાનું શીખ્યું નથી. જ્યારે એવું પણ જાણવા મળ્યું છે કે રવિવારે બનેલી ઘટનાની તપાસ માટે આઇસીસી કમિટી બનાવવાની યોજના બનાવી રહી છે.
આ ઘટના અંગે બોલતા ભારતની અંડર -19 ટીમના ટીમ મેનેજર અનિલ પટેલે પુષ્ટિ કરી છે કે આવી ઘટના ફરીથી ન બને તે માટે આઇસીસી કાર્યવાહી કરશે.
વધુમાં પટેલે ઉમેર્યું હતુ કે, “રેફરી મારી પાસે આવ્યા. તેને આ ઘટના અંગે દિલગીર છે. તેમણે સ્પષ્ટતા કરી કે મેચ અને તેના છેલ્લા સત્ર દરમિયાન જે બન્યું છે તે આઈસીસી ખૂબ ગંભીરતાથી લેશે અને તેઓ ફૂટેજ જોશે અને તેઓ હવે પછીના પગલે વિશે અમને જણાવશે.
આ યુવાનો એ હકીકતથી પરિચિત નથી કે તેઓ આવનારા વર્ષોમાં આ પ્રકારની ઘણી રમતો રમશે અને આવા વર્તન હંમેશા ખરાબ પ્રકાશ પર મૂકે છે. જો કે, અમે પગલા ભરવાની વાત કરી રહ્યા છીએ, તો પછી બીસીસીઆઈ અને બીસીબી બંનેએ ખાતરી કરવી જ જોઇએ કે ક્રિકેટના મેદાન પર મૂળભૂત શિષ્ટાચાર કેવી રીતે જાળવી શકાય તેની તાલીમ તેમના યુવાનોએ મેળવવી જોઇએ.
દિપાંશું મદન