ETV Bharat / sports

30 ડિસેમ્બરે મુંબઈમાં ક્રિકેટ સલાહકાર સમિતિની બેઠક મળશે

author img

By

Published : Dec 28, 2022, 1:18 PM IST

જતીન પરાંજપે અને સુલક્ષણ નાઈક સાથે અશોક મલ્હોત્રાની ક્રિકેટ (Cricket Advisory Committee)સલાહકાર સમિતિ 30મી ડિસેમ્બરે બેઠક યોજવા જઈ રહી છે. અશોક મલ્હોત્રાએ(Indian Cricket Team ) CAC મીટિંગ અંગે IANSના પ્રશ્નની પુષ્ટિ કરતી વખતે સંમતિ આપી છે.

30 ડિસેમ્બરે મુંબઈમાં ક્રિકેટ સલાહકાર સમિતિની બેઠક મળશે
30 ડિસેમ્બરે મુંબઈમાં ક્રિકેટ સલાહકાર સમિતિની બેઠક મળશે

નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને (Cricket Advisory Committee)સુલક્ષણા નાઈકની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ની બેઠક 30 ડિસેમ્બરે મુંબઈમાં યોજાવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે 5 સભ્યોની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીના નવા સભ્યોની પસંદગી કરવાની યોજના હશે. જેના માટે 60 જેટલા દાવેદારોએ અરજી કરી છે.

ઔપચારિક છે કે અનૌપચારિક: અશોક મલ્હોત્રાએ CAC મીટિંગ અંગે IANSના પ્રશ્નની પુષ્ટિ(Indian Cricket Team ) કરતી વખતે સંમતિ આપી છે. આ સિવાય હજુ સુધી એ જાણી શકાયું નથી કે બેઠકનો એજન્ડા શું છે અને સીએસી બેઠકનું ફોર્મેટ ઔપચારિક છે કે અનૌપચારિક. અશોકે 7 ટેસ્ટ અને 20 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર્સ એસોસિએશન (ICA) ના પ્રમુખ તરીકે સેવા આપી છે. પરાંજપે ભારત માટે ચાર વનડે રમ્યા હતા અને MSK પ્રસાદની આગેવાની હેઠળની વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિનો ભાગ હતા.

CACનો એક ભાગ: સુલક્ષણાએ 11 વર્ષની કારકિર્દીમાં ભારત માટે બે ટેસ્ટ, 46 ODI અને 31 T20 મેચ રમી છે. તે ત્રણ સભ્યોની CACનો એક ભાગ છે. આ સમિતિમાંથી મદન લાલ અને આરપી સિંહ પેનલના સભ્યો હતા. પરંતુ ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય મદન લાલે વધતી ઉંમરને કારણે પદ છોડ્યું અને આરપી સિંઘ મુંબઈ ઈન્ડિયન્સમાં ટેલેન્ટ સ્કાઉટ તરીકે જોડાયા, જેના કારણે CACમાં બે જગ્યા ખાલી પડી.

સમિતિના તમામ પદો: BCCI દ્વારા 1 ડિસેમ્બરે નિયુક્ત કરાયેલ પુનઃરચિત CACનું પ્રથમ કાર્ય પાંચ સભ્યોની વરિષ્ઠ પુરૂષ પસંદગી સમિતિના નવા સભ્યોની પસંદગી કરવાનું રહેશે. આ માટે, 18 નવેમ્બરના રોજ, BCCIએ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિના તમામ પદો માટે અરજીઓ મંગાવી હતી. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી, જેના માટે 60 થી વધુ ઉમેદવારોની અરજીઓની માહિતી મીડિયામાં આવી રહી હતી.

નિવૃત્તિ લેવાની શરત: BCCI દ્વારા નિર્ધારિત માપદંડ અનુસાર, પસંદગીકાર બનવા માટે ઉમેદવારોની ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ, 30 ફર્સ્ટ-ક્લાસ મેચ અથવા 10 ODI અને 20 ફર્સ્ટ-ક્લાસ મેચ રમવાની પાત્રતા નક્કી કરવામાં આવી હતી. અરજદાર માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલા રમતમાંથી નિવૃત્તિ લેવાની શરત પણ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.