ETV Bharat / sitara

સુશાંત કેસ: આજે ત્રીજા દિવસે પણ રિયાની પૂછપરછ...

author img

By

Published : Aug 30, 2020, 12:19 PM IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે તપાસ ચાલું છે. આ સમગ્ર કેસ મામલે પૂછપરછ માટે સીબીઆઈ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી છે. આજે સીબીઆઈ કેટલાક લોકોની પૂછપરછ કરી શકે છે.

SSR death case LIVE
સુશાંત કેસ

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલે સીબીઆઈની તપાસ શરૂ છે. સુશાંત સાથે જોડાયેલા લોકો સાથે સીબીઆઈ સતત પૂછપરછ કરી રહી છે. સુશાંત મોત મામલે પૂછપરછ માટે સીબીઆઈ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી છે. આ સિવાય રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શોવિક ચક્રવર્તી પણ ગેસ્ટ હાઉસ પહોંચી છે. જ્યાં સીબીઆઈની ટીમ ભાઈ-બહેનની પૂછપરછ કરી રહી છે.

સીબીઆઈએ શનિવારે સુશાંત કેસ મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની 8 કલાક પૂછપરછ કરી હતી. તમને જણાવી દઈએ કે, સીબીઆઈ અલગ-અલગ ટીમે સુશાંતના મિત્રો રિયા ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાની, સેમુઅલ મિરાંડા અને તેમના સ્ટાફના લોકો સાથે પૂછપરછ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.