ETV Bharat / sitara

Randhir Kapoor Birthday: રણઘીર કપૂરનો આજે 75મો બર્થડે, કરીના કપૂરે કહ્યું...

author img

By

Published : Feb 15, 2022, 10:24 AM IST

70 અને 80 દાયકાના ફેમસ હીરો રહી ચૂકેલા રણઘીર કપૂરનો આજે 74 વર્ષના થઇ ગયાં (Randhir Kapoor Birthday) છે. તેણે 70 અને 80 દાયકા એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે.આજે મંગળવારે રણઘીર કપૂરનો બર્થડે છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.

Randhir Kapoor Birthday: રણઘીર કપૂરનો આજે 75મો બર્થડે, કરીના કપૂરે કહ્યું...
Randhir Kapoor Birthday: રણઘીર કપૂરનો આજે 75મો બર્થડે, કરીના કપૂરે કહ્યું...

મુંબઇ: રણધીર કપૂર બોલિવૂડના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. 70 અને 80ના દાયકામાં રણધીર કપૂરે એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. તેમની પુત્રીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂરે પણ તેમનું નામ રોશન કર્યું છે. રણધીર કપૂર આજે મંગળવારે તેમનો 75મો જન્મદિવસ સેલિબ્રેટ કરી (Randhir Kapoor Birthday) રહ્યાં છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.

કરીના કપૂરે આ અંદાજમાં કર્યું તેના પિતાને બર્થડે વિષ

કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી તેના પિતાને 75માં જન્મદિવસ શુભેરછા પાઠવી છે. આ તસવીર પર તેને કેપશન આપી કહ્યું...વિશ્વના શ્રેષ્ઠ માણસને જન્મદિવસની શુભકામનાઓ...પપ્પા..

70ના દાયકામાં રણધીર કપૂરે સુપરહિટ ફિલ્મો આપી હતી

70ના દાયકામાં રણધીર કપૂરે સુપરહિટ ફિલ્મો (Randhir Kapoor Superhit Films ) આપીને લાખો છોકરીઓના દિલ પર રાજ કર્યું હતું. એ સમયે તેમની આંખોની ખુબ પ્રશંસા કરવામાં આવતી હતી. જોકે આજે પણ તેમના ચહેરા પર એ જ નૂર ચમકે છે. બોલિવૂડની કપૂર ફેમિલી (Bollywood Kapoor Family) સાથે તેનો નાતો હોવા છતાં તેણે તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો.

જાણો રણધીર કપૂરે શું કહ્યું...

70 અને 80 દાયકામાં ઇન્સ્ટ્રીમાં પોતાનું વર્ચસ્વ બનાવ્યાં બાદ અભિનેતાએ અભિનેત્રી સંગ લગ્ન કર્યા હતા. આ બાદ તેણે જીવનના નવા તબક્કામાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ રણધીરક કપૂરના ઘરે બે પુત્રઓનો જન્મ થયો હતો. તે સમયે ફિલ્મ જગતની હાલત વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા કલાકારોએ ખુબ મહેનત કરવી પડતી હતી, ત્યારે તેઓ બે પૈસા કમાતા હતા. આ સાથે તેણે કહ્યું હતું, જો આજે તેઓ યુવાન હોત તો તેઓ ખુબ પૈસા કમાઇ લેત અને પુત્રી કરીના અને કરિશમાની ટયુશન તેમજ સ્કૂલની ફી હળવી થઇ ગઇ હતી.

આ પણ વાંચો: Kangana Ranut React On Gagubai Kathiyavadi: કંગના રનૌત આવી ફરી વિવાદમાં

રણધીર કપૂરે કહ્યું.. જો અમે આ રીતે કામ કર્યું હોત તો અમને મળેલા પૈસાથી અમે ઘર ચલાવી શક્યા ન હોત

વિસ્તારપૂર્વક વાત કરતા કહે છે કે, આજના સ્ટાર્સ ફિલ્મોને લઇને ખુબ જ ચુઝી થઇ ગયાં છે. તે વિવિધ પ્રકારની ફિલ્મો શોધે છે અને કરવાનું પસંદ કરે છે. તેથી તેની ફિલ્મોની સંખ્યા પણ ઓછી છે. જેથી તેઓ બચતા સમયમાં તે બીજી પ્રવૃતિઓ કરીને આડકતરી રીતે પણ પૈસા કમાઇ લે છે. જેમ કે જાહેરાતો, કાર્યક્રમ વગેરે. તે વર્ષમાં એક ફિલ્મ કરે છે. કારણ કે તેઓ જાહેરાતો અને ઇવેન્ટસમાંથી ઘણી કમાણી કરી લે છે. જો અમે આ રીતે કામ કરતા હોત તો અમને મળેલા પૈસાથી અમે ઘર ચલાવી શક્યા ન હોત.

આ પણ વાંચો: Series Modern Love Release In India's Three State: પ્રાઇમ વિડીયોએ આપી લોકોને એક ખુશખબર, જાણો તેના વિશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.