ETV Bharat / sitara

રિચા ચઢ્ઢાએ પાયલ ઘોષ વિરુદ્ધ કરેલા માનહાનિ કેસને બૉમ્બે હાઈકોર્ટે સ્થગિત કર્યો

author img

By

Published : Oct 6, 2020, 11:18 AM IST

બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી રિચા ચઢ્ઢા દ્વારા દાખલ કરાયેલો 1.1 કરોડ રુપિયાનો માનહાનિનો કેસ 7 ઓક્ટોમ્બર સુધી સ્થગિત કર્યો છે.

bombay-high-court-
bombay-high-court-

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે બૉલીવુડ અભિનેત્રી પાયલ ઘોષ અને અન્ય 2 અભિનેત્રી રિચા ચઢ્ઢા દ્વારા દાખલ કરાયેલો 1.1 કરોડ રુપિયાનો માનહાનિનો કેસ 7 ઓક્ટોમ્બર સુધી સ્થગિત કર્યો છે. કોર્ટ કહ્યું કે, ઉત્તરદાતાઓને નોટીસ ન આપવાથી આવું કરવામાં આવ્યું છે.

અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી અભિનેત્રી પાયલ ઘોષે એક નિવેદનમાં કહ્યું કે, અનુરાગે તેમને કહ્યું કે, રિચા ચઢ્ઢા, હુમા કુરૈશી અને માહી ગિલ સહિત કેટલીક અભિનેત્રી તેમની સાથે છે. આપને જણાવી દઈએ કે, પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

અભિનેત્રી પાયલ ઘોષે આરોપ લગાવ્યો કે, અનુરાગ કશ્યપે તેમને ઘરે બોલાવી તેમની સાથે જાતીય સતામણી કરી હતી. તેમને દાવો કર્યો કે, વિરોધ કર્યા બાદ અનુરાગે તેમને કહ્યું કે,રિચા ચઢ્ઢા, હુમા કુરેશી અને માહી ગિલ સહિત કેટલીક અભિનેત્રીઓ તેમની સાથે છે. અભિનેત્રીનું નામ આવતા જ રિચા ચઢ્ઢાએ કાયદાકીય કાર્યવાહીનો સહારો લીધો હતો અને પાયલ ઘોષને લીગલ નોટીસ મોકલી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.