ETV Bharat / sitara

બૉલીવૂડ સ્ટાર્સે PM મોદીની દીવા પ્રગટાવવાની કવાયતને આપ્યું સમર્થન

author img

By

Published : Apr 3, 2020, 3:06 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો સંદેશ દ્વારા લોકોનો સામનો કર્યો અને કોરોના વાઈરસ સામે પોતાનો સંદેશ આપ્યો હતો. જ્યાં છેલ્લીવાર 22 માર્ચે તેમણે જનતા કર્ફ્યૂની ઘોષણા કરી હતી અને 5 વાગ્યે થાળી અથવા તાળી વગાડવાનું કહ્યું હતું. તે જ સમયે, સમગ્ર દેશની એકતા દર્શાવવા માટે આ વખતે 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે પ્રકાશ ફેલાવવાનું કહ્યું છે. જેના પર ફિલ્મ સ્ટાર્સની રિએક્શન આપ્યાં હતા. સાથે જ વડાપ્રધાનની વાતને સમર્થન આપ્યું હતું.

Bollywood
Bollywood

મુંબઇ: દેશભરમાં કોરોના વાઈરસના વધતા જતા રોગચાળાને ટાળવા માટે PM મોદીએ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ હતું. ત્યારબાદ દેશને એક કરવા માટે રવિવારે રાત્રે 9 વાગ્યે મીણબત્તી અથવા દીવો પ્રગટાવવા અપીલ કરી હતી. જેના પર બોલિવૂડ સ્ટાર્સનો રિએક્શન આપી રહ્યાં છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 5 એપ્રિલે દેશના તમામ લોકો તેમના ઘરની લાઇટ બંધ કરશે, અને તેમના ઘરની બારી અથવા દરવાજા પર આવીને દીવો, મીણબત્તી અથવા મોબાઈલ ફ્લેશલાઇટ પ્રગટાવશે.

તેમણે વધુમાં કહ્યું કે આ રીતે અમે બતાવીશું કે, આખો દેશ એક છે અને કોઈ એકલું નથી. PM મોદીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર ન આવે, અને સામાજિક અંતર જાળવી રાખે.

શુક્રવારે તેના ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કરાયેલા વીડિયો સંદેશમાં PMની આ અપીલને બોલિવૂડ સેલેબ્સનો ટેકો મળી રહ્યો છે. વિવેક અગ્નિહોત્રી, વીર દાસ, તાપ્સી પન્નુ, રંગોલી ચાંદે સહિતના ઘણા સ્ટાર્સે વડા પ્રધાનની પહેલને સમર્થન આપ્યું છે.

તાપ્સી પન્નુએ ટ્વિટ કરીને લખ્યું- નવું ટાસ્ક. યે યે યે !!!

  • New task is here ! Yay yay yayy !!!

    — taapsee pannu (@taapsee) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ લખ્યું હતું કે, ક્રેઝી લોકો PMને ટ્રોલ કરવાનું શરૂ કરતા પહેલા, હું એમ કહેવા માંગુ છું કે PM મોદી ભારતના સર્વશ્રેષ્ઠ નેતા છે. તે જાણે છે કે ભારતીયોને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે કેવી રીતે જીવી શકાય. બીજો કોઈ રસ્તો નથી.

  • Before idiots start trolling the PM, I must put on record that @narendramodi is the best leader India can get.

    He knows how to lead Indians emotionally and spiritually. There is no other way out.

    — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કંગના રાનાઉતની બહેન રંગોલી ચાંડેલે ટ્વિટ કર્યું હતું કે, “દીવો પ્રગટાવો એ ખૂબ સારી નિશાની છે, દીવો ખૂબ શાંત અને અસરકારક છે. અમે એકબીજાને આપણું સમર્થન બતાવવા માટે આ કરીએ છીએ, મને જે રીતે પ્રધાનમંત્રી મોદીજી આપણી ભાવનાત્મક જરૂરિયાતોની સંભાળ રાખે છે અને આપણા ઘાને દરેક રીતે મટાડવાનો પ્રયત્ન કરે છે તે મને ગમે છે. જય શ્રી રામ...’

  • Lighting Diyas is a very good gesture, diya creates an ethereal aura which is very calming and effective, to show each other our support let’s do this, I love how @narendramodi ji also focuses on our emotional needs and tries to heal us in every way .... Jai Shri Ram...

    — Rangoli Chandel (@Rangoli_A) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ઉપરાંત અર્જુન કપૂર, હેમા માલિની અને ગાયક તુલસી કુમારે પણ વડાપ્રધાનની અપીલને ટેકો આપ્યો હતો.

  • Let us take an oath to be with our PM @narendramodi in this long & arduous war against the deadly Corona virus. This is the time to come together & show our solidarity as one & help our govt in controlling Covid. We will carry out his request on Apr 5. Are you all in agreement?🙏

    — Hema Malini (@dreamgirlhema) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Repeat: Sunday is an INDOORS show of solidarity. It is NOT diwali.

    — Vir Das (@thevirdas) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.