ETV Bharat / sitara

તમામ લોકો PM કેર્સ ફંડમાં 100 રૂપિયા દાન કરોઃ આશા ભોંસલે

author img

By

Published : Apr 7, 2020, 3:53 PM IST

Updated : Apr 7, 2020, 4:16 PM IST

સ્વરની કોકિલ કંઠ લતા મંગેશકર બાદ તેમની નાની બહેન દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ પણ લોકોને કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં મદદ કરવાની અપીલ કરી છે.

ETV BHARAT
તમામ લોકો PM કેયર્સ ફંડમાં 10 રૂપિયા દાન કરોઃ આશા ભોંસલે

મુંબઈઃ કોરોના વાઇરસ જેવી મહામારીથી બચવા માટે દેશ તમામ સંભવિત પ્રયાસ કરી રહ્યો છે. સમગ્ર દેશ 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યો છે. એવામાં ઘણા બધા લોકોને વ્યવસ્થિત 2 ટાઈમનું ભોજન પણ મળતું નથી. ગરીબોની સ્થિતિ ખૂબ ખરાબ છે અને રોજગીરી છુટી જવાથી તેમને જીવન વિતાવવું મુશ્કેલ બન્યું છે. એવામાં સેલિબ્રિટિઝ પણ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. સ્વર કોકિલા લતા મંગેશકર બાદ તેમની નાની બહેન અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ પણ મદદ કરવાની અપીલ કરી છે.

આશા ભોંસલેએ ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, તમામ લોકોએ 100 રૂપિયાની મદદ કરવી જોઈએ અને PM કેયર્સ ફંડમાં નાખ્યા જોઈએ.

તેમણે કહ્યું કે, શું તમને 100 રૂપિયાની શક્તિનો અંદાજો છે. જો દેશના 130 કરોડ લોકો આવું કરશે, તો 13,000 કરોડ થઇ જશે. આ રકમ લોકોની મદદ કરવામાં સાર્થક બનશે.

ઈન્ટરવ્યૂ દરમિયાન આશા ભોંસલેએ દેશવાસિઓનો ઉત્સાહ વધારવા માટે 1954ની ફિલ્મ 'જાગૃતિ'નું ગીત 'આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી' ગીત ગાયું હતું.

અંતમાં તેમણે ભારતને નિર્ધારિત કરીને કહ્યું કે, ભારત એક એવો દેશ છે, જેની આઝાદી માટે સ્વતંત્રતા સેનાનિઓએ પોતાનું જીવન ત્યાગી દીધું છે.

Last Updated : Apr 7, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.