ETV Bharat / sitara

પંડિત જસરાજના નિધનથી દુ:ખી થયાં આશા ભોસલે, કહ્યું- મેં મોટો ભાઇ ગુમાવ્યો

author img

By

Published : Aug 18, 2020, 1:18 PM IST

શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનો 90 વર્ષની ઉમ્રમાં નિધન થયું છે. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, ત્યારે જસરાજના નિધન પર આશા ભોસલેએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. આશાજીએ એક ભાવુક પોસ્ટ લખી પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

આશા ભોસલે
આશા ભોસલે

મુંબઇ: દિગ્ગજ ગાયિકા આશા ભોસલે ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર ખુબ જ દુ:ખી છે. મહાન ગાયક પંડિત જસરાજનું સોમવારે અમેરિકામાં 90 વર્ષની વયે નિધન થયું હતું. આશા ભોસલે તેમને યાદ કરતા કહ્યું કે, "હું પંડિત જસરાજજીના નિધનથી ખુબ જ દુ:ખી છું. મેં એક એવા વ્યક્તિને ગુમાવ્યા છે, જે મારા માટે ખુબ પ્રિય હતા..મેં એક મોટો ભાઈ ગુમાવ્યો છે.

વધુમાં લખ્યું કે, સંગીતનો સૂર્ય ડૂબી ગયો. તેઓ ખૂબ જ સારા ગાયક હતા, હું તેમને ઘણા સમયથી ઓળખતી હતી. તે મારી ખૂબ પ્રશંસા કરતા અને તે હંમેશા કહેતા, હું તમને ગાવાનું શીખવીશ."

તેમણે કહ્યું કે, "આજે એ ભર્યા દિવસોની યાદ આવી ગઈ, જ્યારે મેં તેમની અમેરિકાના ક્લાસીસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઘણી પ્રતિભાઓને સંગીત શીખવ્યું છે. મને યાદ છે કે, હું તેમની શાળામાં કેવી રીતે પ્રવેશ લેવા માગતી હતી."

તેમણે કહ્યું કે, "આ જ ટ્રિપ બાદ અમે બંને એક સાથે ડિનર પર ગયાં હતા, જસરાજજી શુદ્ધ શાકાહારી હતાં, સ્વાસ્થ્યના કારણોસર તેઓ મને પણ શાકાહારી બનવાની વિનંતી કરતા રહ્યાં. હું તેમના બાળપણને હંમેશા યાદ રાખીશ."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.