ETV Bharat / sitara

આજે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો મૃતદેહ તેમના પરિવારને સોંપાશે

author img

By

Published : Sep 3, 2021, 10:17 AM IST

Updated : Sep 3, 2021, 10:55 AM IST

અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું ગુરુવારે 40 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ત્યારે આ અભિનેતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગુરુવારે બપોરે 3.30 વાગ્યે શરૂ થયું હતું. 3 ડોક્ટર્સે આ પોસ્ટમોર્ટમ કર્યું હતું અને તે દરમિયાન 2 વોર્ડબોય, એક વીડિયોગ્રાફી ટીમ અને 2 સાક્ષી હાજર હતા. તો અભિનેતાના અચાનક જ નિધનથી તેમનો પરિવાર બોલિવુડ અને ટીવી જગતના તેમના અનેક ફેન્સ આઘાતમાં છે.

આજે બપોરે 11 વાગ્યે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો મૃતદેહ તેમના પરિવારને સોંપાશે, આજે આવશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ
આજે બપોરે 11 વાગ્યે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો મૃતદેહ તેમના પરિવારને સોંપાશે, આજે આવશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ

  • અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું ગુરુવારે 40 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું
  • 3 ડોક્ટર્સે મળીને ગુરુવારે બપોરે 3.30 વાગ્યાથી અભિનેતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું
  • અભિનેતાના અચાનક જ નિધનથી તેમનો પરિવાર બોલિવુડ અને ટીવી જગતના તેમના અનેક ફેન્સ આઘાતમાં

હૈદરાબાદઃ ટીવીની દુનિયાના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવ શરીરનું ગુરુવારે પોસ્ટમોર્ટમ થયું હતું. ત્યારે આજે (શુક્રવારે) સવારે 11 વાગ્યે અભિનેતાના પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ ગુરુવારે બપોરે 3.30 વાગ્યે શરૂ થયું હતું. 3 ડોક્ટર્સે આ પોસ્ટમોર્ટમ કર્યું હતું અને તે દરમિયાન 2 વોર્ડબોય, એક વીડિયોગ્રાફી ટીમ અને 2 સાક્ષી હાજર હતા.

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા

આ પણ વાંચો- ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, જાણો કોણ હતા સિદ્ધાર્થ શુક્લા

સિદ્ધાર્થનું પાર્થિવ શરીર પહેલા બ્રહ્માકુમારીની ઓફિસે લઈ જવાશે

આ બાબત પર મુંબઈ પોલીસ આજે સત્તાવાર નિવેદન આપશે. આ સાથે જ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ આજે તેમના પરિવારને સોંપવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે, સિદ્ધાર્થ શુક્લાનુું પાર્થિવ શરીર પહેલા જુહુમાં બ્રહ્માકુમારીના ઓફિસમાં લઈ જવાશે. જ્યાં પૂજાપાઠ થયા પછી મૃતદેહને અભિનેતાના ઘરે લઈ જવાશે.

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા

આ પણ વાંચો- બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ

સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહની ઉંડાણપૂર્વક તપાસ થઈ

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, કેઝ્યુલિટી વોર્ડમાં અનેક વખત સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહની ઉંડાણપૂર્વક તપાસ થઈ. જ્યાં ડોક્ટર્સને અભિનેતાના શરીર પર ક્યાંય પણ વાગ્યું હોવાના નિશાન નથી મળ્યા. આ મામલામાં મુંબઈ પોલીસે અત્યારે સિદ્ધાર્થની માતા, બહેન અને બનેવીનું નિવેદન લીધું છે.

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા

અભિનેતાની પીઆર ટીમે લોકોને કરી વિનંતી

તો અભિનેતાની પીઆર ટીમ (PR Team) તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અભિનેતાના નિધનથી તમે અને અમે તમામ લોકો દુઃખી છીએ. એ તો બધા જ જાણે છે કે, સિદ્ધાર્થ પોતાનામાં જ વ્યસ્ત રહેનારા વ્યક્તિ હતા. આ માટે મહેરબાની કરીને અભિનેતા અને તેમના પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખો. આપને જણાવી દઈએ કે, બુધવારે રાત્રે સિદ્ધાર્થ શુક્લા દવા લઈને સુતા હતા અને ગુરુવારે સવારે તે ઉઠ્યા જ નહીં. હોસ્પિટલ પહોંચતા પહેલા જ સિદ્ધાર્થનું નિધન થઈ ગયું હતું.

Last Updated : Sep 3, 2021, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.