ETV Bharat / opinion

Third Covid Wave in India: ઓમિક્રોન કે ડેલ્ટા?

author img

By

Published : Jan 12, 2022, 3:52 PM IST

Third Covid Wave in India: ઓમિક્રોન કે ડેલ્ટા?
Third Covid Wave in India: ઓમિક્રોન કે ડેલ્ટા?

ભારતમાં અત્યારે કોરોનાના કેસમાં જે (Corona Case in India) વધારો જોવા મળી રહ્યો છે. તે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના (Omicron Case in India) કારણે છે. તેનો અર્થ એ નથી કે ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant in India) નબળો પડ્યો છે, પરંતુ ઓમિક્રોન કે ડેલ્ટા એ કોરોનાની ત્રીજી લહેર (Third Covid Wave in India) છે? જુઓ.

ન્યૂઝ ડેસ્કઃ શું આપણે કહી શકીએ કે, આ ઓમિક્રોન લહેર છે? જ્યારે RT-PCR અથવા RAT ટેસ્ટ દ્વારા COVID-19 માટે પરિક્ષણ કરવું પ્રમાણમાં સરળ છે, ત્યારે કયો વેરિયન્ટ જવાબદાર છે. તે શોધવા જિનોમ સિક્વન્સિંગની જરૂર છે. ઓપન-એક્સેસ GISAID જિનોમિક સર્વેલન્સને મોકલવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, ડિસેમ્બર મહિના દરમિયાન ભારતમાંથી 30 ટકાથી વધુ અનુક્રમિત નમૂનાઓ ઓમિક્રોન હતા.

આપણે અત્યારે ઓમિક્રોન લહેરમાં છીએ

આરોગ્ય નિષ્ણાતોએ નોંધ્યું છે કે, વલણને ધ્યાનમાં રાખીને મોટા ભાગના પોઝિટિવ કેસ ઓમિક્રોન હોવાની (Omicron Case in India) સંભાવના છે, પરંતુ પુષ્ટિ બાકી છે. હાલમાં આપણે દૈનિક કેસોનો માત્ર એક નાનકડો અંશ ક્રમ કરી શકીએ છીએ. તેથી પ્રશ્ન એ છે કે, તે વાયરસ જે ક્રમબદ્ધ છે. તેમાંથી કેટલા ટકા ઓમિક્રોન છે. આ રીતે આપણે જાણીએ છીએ કે, આપણે ઓમિક્રોન લહેરમાં (Third Covid Wave in India) છીએ. કારણ કે, ઓમિક્રોન (Omicron Case in India) હોવાના મોટા ભાગના સિક્વન્સ બહાર આવ્યા છે. અશોકા યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર અને જીવ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ગૌતમ આઈ. મેનને IANSને જણાવ્યું હતું.

US અને UKમાં ઓમિક્રોન બન્યું નવા કેસનું કારણ

વૈશ્વિક ડેટા ખાસ કરીને દક્ષિણ આફ્રિકા, યુકે અને યુ.એસ. દર્શાવે છે કે, સમય જતા નવા કોવિડ વેરિઅન્ટ્સ ઉભરી આવે છે, જે વધુ સારી ટ્રાન્સમિસિબિલિટી અને રોગપ્રતિકારક ચોરી ધરાવે છે. તે અગાઉના વેરિઅન્ટને કબજે કરે છે. "ઓમિક્રોન સાથે પણ એવું જ બન્યું, જે હવે યુએસ અને યુકેમાં 90 ટકાથી વધુ નવા કેસોનું કારણ બની રહ્યું છે. ભારત ટૂંક સમયમાં તે દિશામાં આગળ વધી રહ્યું છે. ડૉ. દીપુ ટીએસ, એસોસિયેટ પ્રોફેસર, ચેપી રોગોના વિભાગ અમૃતા હોસ્પિટલ, કોચી, IANSને જણાવ્યું હતું.

ઓમિક્રોન ડેલ્ટા કરતા ટ્રાન્સમિસિબલ છે

આનો મતલબ એ છે કે, અગાઉના વેરિઅન્ટ એટલે કે, ડેલ્ટાની (Delta Variant in India) સરખામણીમાં વધુ સારી રીતે અસ્તિત્વ ટકાવી રાખવાનો ફાયદો અને રોગપ્રતિકારક ચોરી કરવાની ક્ષમતા ધરાવતો વેરિઅન્ટ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, ડેલ્ટા નબળો (Delta Variant in India) પડી ગયો છે. ઉલટાનું તે સમયસર વધુ સારી રીતે વિકસિત વેરિઅન્ટને માર્ગ આપે છે. જોકે, મેનન અસંમત હતા અને તેમણે કહ્યું હતું કે, કેમ કે, ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ટ્રાન્સમિસિબલ (Omicron more transmissible) છે. તે ફેલાતી વખતે અસરકારક રીતે ડેલ્ટાને (Delta Variant in India) વિસ્થાપિત કરે છે. કોઈ પણ રીતે ડેલ્ટા (Delta Variant in India) મોટા ભાગે દેશમાં ઘટી રહ્યો હતો. તેથી આ કોઈ આશ્ચર્યજનક વાત નથી.

કોઈને 2 વખત ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોવાનો કોઈ પુરાવો નથી મળ્યો

આરોગ્ય નિષ્ણાતોએ વધુમાં ઉમેર્યું હતું કે, કેસોમાં વધારો અન્ય દેશોમાં જોવા મળે છે. તેમ ફરીથી ચેપ અથવા સતત વધતો ચેપ પણ હોઈ શકે છે. તાજેતરના અધ્યયન દર્શાવે છે કે, ઓમિક્રોન સાથે ફરીથી ચેપનું જોખમ ડેલ્ટા (Delta Variant in India) કરતા 5.4 ગણું વધારે છે. અત્યાર સુધી લગભગ તમામ પુનઃસંક્રમણ એવા લોકોમાં થયા છે, જેમણે મૂળરૂપે SARS-CoV-2 વાઈરસનો બીજો સ્ટ્રેઈન પકડ્યો હતો અને ઓમિક્રોન દ્વારા જ કોઈને 2 વાર ચેપ લાગ્યો હોવાના હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

ટ્રિનિટી કોલેજ ડબલિનના પ્રોફેસરે આપી માહિતી

ટ્રિનિટી કોલેજ ડબલિનના પ્રાયોગિક રોગપ્રતિકારક વિજ્ઞાનના પ્રોફેસર, કિંગ્સ્ટન મિલ્સ, ફાઈનાન્સિયલ ટાઈમ્સને કહેતા ટાંકવામાં આવ્યા હતા. ઓમિક્રોનથી સંક્રમિત લોકો માટે વાઈરસ સાફ કરવાનું "ખૂબ વહેલું" હતું અને પછી તેને ફરીથી પકડ્યું હતું. તે 6 મહિનામાં સ્પષ્ટ થઈ શકે છે એમ તેમણે જણાવ્યું હતું. તદુપરાંત ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Case in India) અગાઉની પ્રતિરક્ષા ટાળવા સક્ષમ હોવાનું પણ જાણીતું છે. જ્યારે રસીઓ અસરકારક રીતે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુને અટકાવી શકે છે. તે ચેપને રોકવામાં ઓછી અસરકારક છે.

આ પણ વાંચો- Students Corona Positive in Surat: સુરતની શાળા-કોલેજોમાં 65 વિદ્યાર્થી પોઝિટિવ, 846 વિદ્યાર્થીઓનો કરાયો કોરોના ટેસ્ટ

કોરોના રસીકરણના કારણે અગાઉની લહેરની સરખામણીમાં આ લહેરમાં તીવ્રતા ઓછી છે

મેનને વધુમાં ઉમેર્યું હતું કે, જોકે, આ લહેરની તીવ્રતા અગાઉની લહેર (Third Covid Wave in India) કરતા ઓછી હશે. તેનું મુખ્ય કારણ કોરોના રસીકરણનું સ્તર ઊંચું હોવું છે અને અગાઉના ડેલ્ટા (Delta Variant in India) લહેરમાં ઘણાને ચેપ લાગ્યો હતો, પરંતુ શું એવા કેસોમાં વધારો થશે કે, જેનો આરોગ્ય તંત્ર સામનો કરી નહીં શકે. તે તો આગામી સમય જ બતાવશે, જે મુખ્ય ચિંતા છે.

આ પણ વાંચો- Nitin Gadkari Corona Positive: કેન્દ્રીય માર્ગ પ્રધાન નીતિન ગડકરીનો કોવિડ ટેસ્ટ આવ્યો પોઝિટિવ

જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાના કેસ ટોચ પર જોવા મળશે

મેનને જણાવ્યું હતું કે, તો IIT-કાનપુર સહિતના કેટલાક મોડેલિંગ અભ્યાસો દર્શાવે છે કે, ભારતમાં ટૂંક સમયમાં જ જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાના કેસમાં ટોચ પર (Corona cases in India) જોવા મળશે. અમે માનીએ છીએ કે, ભારતના મહાનગરોમાં કેસની ટોચ 20 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરીની વચ્ચે આવવી જોઈએ. જ્યારે દેશના બાકીના ભાગ પછીના શિખરો જોવા મળી શકે છે, પરંતુ તે અસંભવિત છે કે, આપણે માર્ચ સુધીમાં નોંધપાત્ર સંખ્યામાં કેસ જોવાનું ચાલુ રાખીશું. મતલબ કે આ લહેરનો (Third Covid Wave in India) અંત આવે છે, પરંતુ અમારા માટે વધુ આશ્ચર્યો હોઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.