ETV Bharat / international

ભારતે નેપાળને 17 સ્કૂલબસ અને 75 એમબ્યુલન્સ ભેટમાં આપી, ભારતીય રાજદૂતે કહી આ મોટી વાત

author img

By

Published : Jul 4, 2022, 6:45 PM IST

ભારત અને નેપાળ (India Nepal Relationship) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વિકાસ ભાગીદારીના ભાગરૂપે, ભારતે રવિવારે નેપાળને 75 એમ્બ્યુલન્સ અને 17 સ્કૂલ બસો (Gift of Ambulance and School bus to Nepal) ભેટમાં આપી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે આ ભેટ ભારતની આઝાદીના 75 વર્ષને પણ ચિહ્નિત કરે છે.

ભારતે નેપાળને 17 સ્કૂલબસ 75 એમબ્યુલન્સ ભેટમાં આપી,ભારતીય રાજદૂતે કહી આ મોટી વાત
ભારતે નેપાળને 17 સ્કૂલબસ 75 એમબ્યુલન્સ ભેટમાં આપી,ભારતીય રાજદૂતે કહી આ મોટી વાત

કાઠમંડુ: ભારતે રવિવારે નેપાળને 75 એમ્બ્યુલન્સ અને 17 સ્કૂલ બસ ભેટમાં (Gift of Ambulance and School bus to Nepal) આપી છે. ભારતે બંને દેશો વચ્ચે મજબૂત અને લાંબા (India Nepal Relationship) સમયથી ચાલતી વિકાસ ભાગીદારીના ભાગરૂપે પડોશી દેશને ભેટ આપી હતી. નેપાળને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તેના માળખાને (Nepal Infrastructure) મજબૂત કરવામાં મદદ કરવાના પ્રયાસો કર્યા હતા. ભારતના નવનિયુક્ત રાજદૂત નવીન શ્રીવાસ્તવે (Ambassador Srivastava) નેપાળના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી દેવેન્દ્ર પૌડેલની હાજરીમાં વાહનોની ચાવીઓ સોંપી.

આ પણ વાંચોઃ તમે ક્યારેય નહિ વિચાર્યું હોય તેવી વસ્તુંની થઇ ચોરી, જાણો કઇ રીતે આ કામને અપાયો અંજામ

શું કહ્યું ભારતીય દૂતાવાસેઃ ભારતીય દૂતાવાસે કહ્યું કે 75 એમ્બ્યુલન્સની ભેટ પણ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા કરે છે. શ્રીવાસ્તવે કહ્યું કે એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસો ભેટમાં આપવી એ બંને દેશો વચ્ચેની મજબૂત વિકાસ ભાગીદારીનો એક ભાગ છે. તેમણે કહ્યું કે આ પહેલ નેપાળ-ભારત વિકાસ ભાગીદારી કાર્યક્રમ હેઠળ ભારત સરકારની લાંબા સમયથી ચાલતી પરંપરાઓ પૈકીની એક છે. જે નેપાળ સરકારના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ આપી શકે છે. પૌડેલે નેપાળમાં ભારતની ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓની પ્રશંસા કરી છે.

આ પણ વાંચોઃ હેલિપેડ તો બનાવ્યું પણ એર એમ્બુલન્સ ક્યારે આવશે, વિપક્ષના સવાલ

સંબંધો સુધારશેઃ આ પહેલ લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાનું ચાલુ રાખશે. ભારતીય દૂતાવાસે કહ્યું કે 75 એમ્બ્યુલન્સ અને 17 સ્કૂલ બસો નેપાળના વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત વિવિધ સરકારી વિભાગો અને NGOને સોંપવામાં આવશે. નેપાળને કોવિડ-19 રોગચાળાનો સામનો કરવામાં મદદ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે ભારતે 2021માં 39 વેન્ટિલેટરથી સજ્જ એમ્બ્યુલન્સ ભેટમાં આપી હતી. એ જ રીતે, 2020 માં, ભારતે મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિના અવસર પર નેપાળને 41 એમ્બ્યુલન્સ અને છ સ્કૂલ બસો ભેટમાં આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.