ETV Bharat / international

અમેરીકા: પ્લેન ક્રેશ થતા સાત લોકોના મોતની આશંકા

author img

By

Published : May 31, 2021, 7:35 AM IST

yy
વિમાન યુએસ તળાવમાં તૂટી પડતાં સાત લોકોના મોતની આશંકા

શનિવારે યુ.એસ.ના ટેનેસી તળાવમાં એક નાના વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં સાત લોકો સવાર હતા અને સત્તાધીશોને આશંકા છે કે બધા માર્યા જશે.

  • અમેરીકામાં ટેનેસી તળાવ પાસે સર્જાઈ દુર્ઘટના
  • નાના વિમાન સાથે સર્જાઈ દુર્ઘટના
  • 7 લોકોના મૃત્યુંની આશંકા

વોશિંગ્ટન: શનિવારે અમેરિકાના ટેનેસી તળાવમાં એક નાના વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં સાત લોકો સવાર હતા અને સત્તાધીશોને આશંકા છે કે બધા માર્યા જશે. તેમાં એક અભિનેતા પણ શામેલ છે જેણે ટારઝનની ભૂમિકા ભજવી હતી.

મોડી રાતે સર્જાયો અક્સ્માત

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 'સેસના સી 501' વિમાન સવારે 11 વાગ્યે નજીકના વિમાનમથકથી ઉડાન ભરીને સ્મિર્ના નજીકના પર્સી પ્રિસ્ટ તળાવમાં પડી ગયું હતું.રધરફોર્ડ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન જોશુઆ સેન્ડર્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો અને રધરફોર્ડ કાઉન્ટી બચાવ ટીમો હજી ઘટના સ્થળે છે. તેઓ રાતોરાત કામ કરવાની યોજના ધરાવે છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આ દુર્ઘટનામાં દરેકના મૃત્યુ થશે.

આ પણ વાંચો : કઝાકિસ્તાનમાં વિમાન થયું ક્રેશ, 4નાં મોત

બચાવ કામગીરી યથાવત્

સેન્ડર્સે કહ્યું, 'અમારો પ્રયાસ હવે બચાવ કામગીરીથી રાહત કામગીરી તરફ સ્થળાંતર થયો છે. હવે અમે પીડિતોની શોધમાં નથી. તેમણે કહ્યું કે પરિવારની પુષ્ટિ કર્યા વિના કોઈ પણ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવશે નહીં. શનિવારે અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યું થય હતું અને સર્ચ ટીમને જમીન અને તળાવમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો જેની ઓળખ થઈ ગઈ છે.

પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું

સેન્ડર્સે કહ્યું કે વિમાન તળાવમાં તૂટી પડ્યું હોય તેવું લાગે છે. અધિકારીઓએ વિમાનની નોંધણી સંબંધિત માહિતી જાહેર કરી નહીં. વિમાન સ્મિર્ના રથરફોર્ડ કાઉન્ટી એરપોર્ટથી પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું. ટેનેસી હાઇવે પેટ્રોલ એ ન્યૂઝ એજન્સીઓને જણાવ્યું હતું કે, પ્રત્યક્ષદર્શીઓએ વિમાનને પાણીમાં પડતું જોયું હતું. રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ અને એફએએ બંને ઘટના સ્થળે હાજર છે.

આ પણ વાંચો : ઇન્ડોનેશિયા : શ્રીવિજ્યા એરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 62 લોકો હતા સવાર

માછીમારી માટે જાણીતુ તળાવ

સ્મિર્ના નેશવિલેથી 32 કિલોમીટરના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. પર્સી પ્રિસ્ટ જે.સી. દ્વારા બાંધવામાં આવેલું એક જળાશય છે. પર્સી પ્રિસ્ટ ડેમને કારણે થયું હતું. તે નૌકાવિહાર અને માછીમારી માટેનું એક લોકપ્રિય સ્થળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.