ETV Bharat / entertainment

Attend Bhasmarti: 'જરા હટકે જરા બચકે'ની રિલીઝ પહેલા, સારા અલી ખાને લખનૌમાં ભોલેનાથના દર્શન કર્યા

author img

By

Published : May 31, 2023, 3:00 PM IST

'જરા હટકે જરા બચકે'ની રિલીઝ પહેલા, સારા અને વિકીએ લખનૌમાં ભોલેનાથના દર્શન કર્યા
'જરા હટકે જરા બચકે'ની રિલીઝ પહેલા, સારા અને વિકીએ લખનૌમાં ભોલેનાથના દર્શન કર્યા

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તેની આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશન માટે મધ્યપ્રદેશ પહોંચી છે. આ પહેલા સારા અને વિકીએ લખનૌમાં ભોલેનાથના દર્શન કર્યા હતા. ત્યાર પછી તે મહાકાલના દર્શન કરવા મધ્યપ્રદેશ આવી છે. માતા અમૃતા સિંહ સાથે સારા અલી ખાન ભગવાન મહાકાલના દર્શન માટે અગાઉ પણ આવ્યાં હતાં.

ઉજ્જૈનઃ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને બુધવારે સવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. આ પ્રસંગે અભિનેત્રીએ 'ભસ્મ આરતી'માં પણ ભાગ લીધો હતો. ભસ્મ આરતી અહીંની પ્રસિદ્ધ વિધિ છે. આ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 થી 5:30 દરમિયાન કરવામાં આવે છે. મંદિર સમિતિની ભસ્મ આરતીમાં હાજરી આપવાની પરંપરાને અનુસરીને, તેમણે ગુલાબી સાડી પહેરી હતી. ભસ્મ આરતીમાં મહિલાઓ માટે સાડી પહેરવી ફરજિયાત છે.

  • #WATCH उज्जैन (मध्य प्रदेश): अभिनेत्री सारा अली खान ने महाकाल मंदिर में भस्म आरती में हिस्सा लिया और पूजा अर्चना की। pic.twitter.com/ctmgWYinDf

    — ANI_HindiNews (@AHindinews) May 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બાબા મહાકાલના દર્શન: ભસ્મ આરતી દરમિયાન તેમણે મંદિરના નંદીહાલમાં બેસીને પ્રાર્થના કરી હતી. આ સાથે સારાએ ગર્ભગૃહની અંદર જલાભિષેક પણ કર્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે આ પહેલીવાર નથી જ્યારે તે મહાકાલ મંદિરમાં આવી હોય, સારા અગાઉ પણ અહીં બાબા મહાકાલના દર્શન કરવા આવી ચૂકી છે. દર્શન દરમિયાન તે મંદિર પરિસરમાં સ્થિત કોળી તીર્થ કુંડમાં પણ ઊભી રહી અને ભક્તિમાં મગ્ન જોવા મળી હતી. મંદિરના પૂજારી સંજય ગુરુએ કહ્યું, 'સારા અલી ખાનને બાબા મહાકાલમાં અતૂટ શ્રદ્ધા છે. એટલા માટે તે અવારનવાર અહીં દર્શન માટે આવે છે.

'જરા હટકે જરા બચકે'ની રિલીઝ પહેલા સારાએ મહાકાલના આશીર્વાદ લીધા
'જરા હટકે જરા બચકે'ની રિલીઝ પહેલા સારાએ મહાકાલના આશીર્વાદ લીધા

વર્કફ્રન્ટ: સફેદ સલવાર કમીઝમાં સજ્જ સારા એથનિક પોશાકમાં શાંત દેખાતી હતી. બીજી તરફ વિકીએ બ્રાઉન શર્ટ અને બ્લેક પેન્ટ પસંદ કર્યું હતું. બંને મંદિર પરિસરમાં હાથ જોડીને બેઠેલા જોવા મળે છે. "જય ભોલેનાથ," સારાએ પોસ્ટને કેપ્શન આપ્યું. જિયો સ્ટુડિયો અને દિનેશ વિજન રજૂ કરે છે 'ઝરા હટકે ઝરા બચકે'. તારીખ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સારા અલી ખાન તેની આગામી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ના પ્રમોશન માટે ઈન્દોર પહોંચી હતી.

  1. Bigg Boss OTT 2 : સલમાન ખાનના શોમાં 'કાચા બદનામ' ફેમ અંજલિ અરોરાની એન્ટ્રી, જાણો સ્પર્ધોકના નામ
  2. Krushna Abhishek Birthday: કપિલ શર્માએ કૃષ્ણા અભિષેકને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી, ક્યૂટ તસવીર શેર કરી
  3. KK 1st Death Anniversary: સિંગર કેકેએ આ 5 કારણોસર ગુમાવ્યો જીવ, જુઓ વીડિયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.