ETV Bharat / entertainment

Lata Mangeshkar Death Anniversary: લતા દીદીના નામે 30,000થી વધુ ગીતનો રેકોર્ડ

author img

By

Published : Feb 6, 2023, 11:44 AM IST

લતા મંગેશકરનું 92 વર્ની વયે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું (lata mangeshkar death) હતુ. આજે ગાયિકા લતા મંગેશકરની આજે પુણતિથિ (lata mangeshkar death anniversary) છે. પોતાના સુરીલા અવાજથી દાયકાઓ સુધી દેશ અને દુનિયા પર રાજ કરનાર લતા મંગેશકરનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયુ હતું. લતા મંગેશકરે લગભગ પાંચ દાયકા સુધી હિન્દી સિનેમામાં મહિલા પ્લેબેક સિંગિંગ પર રાજ કર્યું છે. લતા તેમના પ્લેબેક સિંગિંગને કારણે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની પ્રખ્યાત અને સૌથી પ્રતિષ્ઠિત ગાયિકાઓમાંની એક છે.

lata mangeshkar death anniversary: જાણો લતા મંગેશકરે પોતાની કારકિર્દીનું પહેલું ગીત ક્યારે ગાયું હતું
lata mangeshkar death anniversary: જાણો લતા મંગેશકરે પોતાની કારકિર્દીનું પહેલું ગીત ક્યારે ગાયું હતું

હૈદરાબાદ: પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરની આજે પુણતિથિ છે. લતા મંગેશકરનું 92 વર્ની વયે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતુ. લતા મંગેશકરનો પરિવાર લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરના સ્વચ્છ શહેરમાં થયો હતો. લતાના પિતા દીનાનાથ મંગેશકર પણ મરાઠી થિયેટર અભિનેતા, સંગીતકાર અને ગાયક હતા. લગભગ 6 દાયકા સુધી ફિલ્મી અને નોન-ફિલ્મી ગીતો ગાનાર લતાએ 30 થી વધુ ભાષાઓમાં ગીતોને અવાજ આપ્યો. લતા મંગેશકર ક્રિકેટના ખૂબ શોખીન હતા. લતા મંગેસકરના ડેથ અનિવર્સરી અવસર પર તેમના સંગીતથી લઈને તેમનું જીવન સંબંધિત કેટલીક રોચક સ્ટોરી વિશે જાણિએ.

આ પણ વાંચો: Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન

ગાયિકા તરીકેની કારકિર્દી: લતાએ તેમના પિતા દીનાનાથ મંગેશકર પાસેથી સંગીત અંગેનુ શિક્ષમ લીધું હતાં. માત્ર 5 વર્ષની ઉંમરે લતાજીએ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તાજીએ વર્ષ 1942માં 13 વર્ષની ઉંમરે ગાયિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. લતાએ પોતાનું પહેલું ગીત વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ 'કિટ્ટી હસલ' માટે ગાયું હતું. લતાએ ઘણી ભારતીય ભાષાઓમાં ગીત ગાયા છે. તેમણે 30 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. તેમની પ્લેબેક સિંગિંગને કારણે વર્ષ 2001 તેમને ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' થી નવાજવામાં આવ્યા હતા.

પરિવાર: લતાની માતાનું નામ શેવંતી મંગેશકર અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે, જેઓ સંગીતકાર છે. લતાને ત્રણ નાની બહેનો પણ છે. તેમના નામ ઉષા મંગેશકર, આશા ભોસલે અને મીના ખાડીકર છે. લતાની ત્રણેય બહેનો ગાયિકા છે. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકરના કરિયરમાં તેમનું નામ દિવંગત પ્રસિદ્ધ ગાયક, સંગીતકાર અને ગીતકાર ભૂપેન હજારિકા સાથે ઘણી વખત જોડવામાં આવ્યું હતું, પરંતુ લતા મંગેશકરે ક્યારેય કોઈ સાથે લગ્ન કર્યા નથી. 92 વર્ષીય લતા મંગેશકરને વય સંબંધિત અન્ય સમસ્યાઓ હતી અને આ વર્ષે 6 ફેબ્રુઆરીએ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

આ પણ વાંચો: Kiara Advani Bridal Look : સિદ્ધાર્થ મલ્હોત્રાની દુલ્હન બ્રાઈડલ લુકમાં લાગી રહી સુંદર

પુરસ્કાર: વર્ષ 1984માં સ્થપાયેલ રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન, રાજ્યના સંસ્કૃતિ વિભાગ દ્વારા હળવા સંગીતના ક્ષેત્રમાં કલાત્મક શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવતો વાર્ષિક શણગાર છે, જેમાં 2 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. અને પત્ર આપવામાં આવે છે. ભૂતકાળમાં, નૌશાદ, કિશોર કુમાર અને આશા ભોસલે જેવી હસ્તીઓને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.