ETV Bharat / entertainment

Kirtidan Gadhvi: બાગેશ્વર ધામ પહોંચ્યા કિર્તીદાન, ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર લલકાર્યો રાગ

author img

By

Published : Jul 4, 2023, 3:36 PM IST

ગુજરતાના લોક ગાયક કિર્તીદાન ગઢવી હાલ મધ્ય પ્રદેશમાં છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર એને વીડિયો શેર કર્યા છે. તેઓ બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા હતા. આજે તારીખ 4 જુલાઈના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી જન્મદિસવ ઉજવી રહ્યાં છે. આ દરમિયાન કિર્તીદાન ગઢવીએ આ પ્રસંગે ખાસ સોન્ગ ગાયને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

બાગેશ્વર ધામ પહોંચ્યા ગુજરાતના લોક ગાયક, ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર કિર્તીદાને કર્યા મંત્રમુગ્ધ
Etv Bhબાગેશ્વર ધામ પહોંચ્યા ગુજરાતના લોક ગાયક, ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર કિર્તીદાને કર્યા મંત્રમુગ્ધ

મધ્યપ્રદેશ: ગુજરાતના પ્રખ્યાત સિંગર કિર્તીદાન ગઢવી હાલ મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ પહોંચ્યા છે. ધાર્મિક તિર્થ સ્થળ બાગેશ્વર ધામ સકરાના પિઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પર કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ ગયા હતા. કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા સ્ટોરી પર તસવીર અને વીડિયો શેર કર્યો છે.

કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ: કિર્તીદાન ગઢવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર બાગેશ્વર ધામમાં દિરેન્દ્ર શાસ્ત્રી સાથેની મુલાકાત દરમિયનનો વીડિયો શેર કર્યો છે. આ સાથે બીજો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર 'બારા બાર દિન યે આયે' સોન્ગ ગાઈને જોરદાર મહેફિલ જમાવી હતી. કિર્દીદાન ગઢવીનો મધુર અવાજ સાંભળી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ખુશ જોવા મળ્યા હતા. આ દરમિયાન કિર્તીદાને એરપોર્ટ પરની તસવીર પણ શેર કરી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે: શાસ્ત્રીજીનો જન્મ તારીખ 4 જુલાઈના રોજ મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લામાં ગાડા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રામા કૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ છે. શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્ય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી એ બાગેશ્વર ધામ સરકારના પિઠાધીશ છે. બાગેશ્વર ધામમા તોઓ પ્રવચન કરતા હોય છે. શાસ્ત્રીજી રામચરિતમાનસ અને શિવ પુરાણનો પ્રચાર કરે છે.

કિર્તીદાન ગઢવી વિશે: કિર્તીદાન ગઢવી ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારોમાંથી એક છે. કિર્તીદાન ગઢવી મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વાલવોડના વતની છે. કિર્તીદાને સૌપ્રથમ ગાય સંરક્ષણ રેલીમાં ડેબ્યું કર્યું હતું. કિર્તીદાન ગઢવીએ TV શો MTV કોક સ્ટુડિયોમાં સચિન, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે 'લાડકી' ગીત ગાયું, ત્યારે તેઓ ખુબ જ ફેમસ થયાં હતાં. કિર્તીદાન ગઢવી લોક ડાયરો માટે જાણીતા છે. તેમનું પ્રખ્યાત સોન્ગ 'નગર મેં જોગા આયા' છે.

  1. Rrpk Trailer Out : 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહિં લવસ્ટોરી
  2. Shah Rukh Khan Accident: લોસ એન્જલસના સેટ પર શાહરૂખ ખાન ઈજાગ્રસ્ત, સર્જરી કરવી પડી
  3. Bawaal Teaser Date Out: ફિલ્મ 'બવાલ'ની Ott પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે, આ દિવસે જોવા મળશે ટીઝર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.