ETV Bharat / entertainment

bhajan sopori passes away: પ્રખ્યાત સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન, ગુરુગ્રામમાં સારવાર ચાલી રહી હતી

author img

By

Published : Jun 2, 2022, 8:59 PM IST

પ્રખ્યાત સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન (santoor player pandit bhajan sopori death) થયું છે. તેને ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 2 જૂન ગુરૂવારે 74 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભજન સોપોરીના અવસાનથી સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.

bhajan sopori passes away: પ્રખ્યાત સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન, ગુરુગ્રામમાં સારવાર ચાલી રહી હતી
bhajan sopori passes away: પ્રખ્યાત સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન, ગુરુગ્રામમાં સારવાર ચાલી રહી હતી

ગુરુગ્રામઃ પ્રખ્યાત સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન (bhajan sopori passes away) થયું છે. તેને ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 2 જૂન ગુરૂવારે 74 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ (santoor player pandit bhajan sopori death) લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા. સંતૂર વાદક ભજન સોપોરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અલવિદા KK, હજારો ચાહકોએ ભીની આંખો સાથે સિંગરને વિદાય આપી

ભજન સોપોરીનો પુત્ર અભય રૂસ્તમ સોપોરી પણ સંતૂર વાદક: પંડિત ભજન સોપોરીના નિધનથી સંગીત જગતમાં શોકની લહેર ફરી વળી છે. ભજન સોપોરીનો જન્મ વર્ષ 1948માં શ્રીનગરમાં થયો હતો, તેમના પિતાનું નામ પંડિત એસએન સોપોરી હતું, તેઓ સંતૂર વાદક પણ હતા. ભજન સોપોરી કાશ્મીર ઘાટીના સોપોર વિસ્તારના રહેવાસી હતા. તેમના પરિવારની 6 પેઢીઓ સંગીત સાથે જોડાયેલી છે. તે જ સમયે, ભજન સોપોરીનો પુત્ર અભય રૂસ્તમ સોપોરી પણ સંતૂર વાદક છે.

આ વર્ષે ભારતીય સંગીત જગતે અનેક દિગ્ગજ હસ્તીઓ ગુમાવી છે: તમને જણાવી દઈએ કે ભારતીય સિનેમાના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે)નું મંગળવાર, 31 મે 2022ની રાત્રે કોલકાતામાં એક કોન્સર્ટમાં બીમાર પડતાં નિધન થયું હતું. તેઓ કેકે તરીકે જાણીતા હતા. 53 વર્ષની ઉંમરે પણ તેઓ ચાહકોમાં પૂરા ઉત્સાહ સાથે ગીત ગાતા હતા. અચાનક ગાયકને બેચેની લાગી અને સ્ટેજ પરથી ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચો: સોના મહાપાત્રાએ ગાયક KKની જેમ મરવાની ઈચ્છા કરી વ્યક્ત

સંગીતકાર અને ગીતકારોના નિધન: અગાઉ ગયા મહિને એટલે કે 10 મેના રોજ પંડિત શિવકુમાર શર્માનું પણ નિધન થયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્વરા કોકિલા ભારત રત્ન લતા મંગેશકર અને પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર બપ્પી લાહિરીનું પણ નિધન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.