ETV Bharat / entertainment

Seema Haider Case: નિર્દેશક અનિલ શર્માએ સીમા હૈદર કેસ પર કહ્યું- પ્રેમ કોઈ સરહદ સ્વીકારતો નથી

author img

By

Published : Aug 7, 2023, 10:27 AM IST

Updated : Aug 7, 2023, 10:46 AM IST

પાકિસ્તાની નાગરિક સીમા હૈદરની ચર્ચા ચારેકર થઈ રહી છે. ત્યારે આ કેસ પર હવે ફિલ્મ ઉદ્યોગના નિર્દેશક અનિલ શર્માએ પણ કહી હતી મોટી વાત. આ દરમિયાન અભિનેતા મનિષ માધવાએ પણ સીમા પર પ્રકાશ પાડ્યો હતો. ફિલ્મના કલાકારોએ ગાઝિયાબાદમાં 'ગદર 2'ના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

નિર્દેશક અનિલ શર્માએ સીમા હૈદર કેસ પર કહ્યું- પ્રેમ કોઈ સહરદ સ્વીકારતો નથી
નિર્દેશક અનિલ શર્માએ સીમા હૈદર કેસ પર કહ્યું- પ્રેમ કોઈ સહરદ સ્વીકારતો નથી

મુંબઈ: 'ગદર 2' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે 'ગદર 2'ના કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ આ ફિલ્મની સ્ટાર કાસ્ટ ગાઝિયાબાદમાં 'ગદર 2'ના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં સન્ની દેઓલ, અમિષા પટેલ, અનિલ શર્મા અને મનીષ વાધવાએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

અનિલ શર્માનું નિવેદન: પાકિસ્તાની નાગરિક સીમા હૈદર કેસ વિશે વાત કરતા નિર્દેશક અનિલ શર્માએ ANIને કહ્યું હતું કે, ''તે સારી વાત છે યાત્રા ચાલુ જ હોવી જોઈએ. કાં તો અહીંથી જાય છે અથવા ત્યાંથી અહિં આવે છે. મને એવુ લાગે છે કે, સરહદ સમાપ્ત થવી જોઈએ. બધું ભારત બનવું જોઈએ. એક દેશ બનવું જોઈએ. જેથી સમસ્યાનો અંત આવે. કરોડો રુપિયા વેડફાઈ રહ્યા છે. તેથી જ મારી ફિલ્મમાં ડાયલોગ છે. પરંતુ, દ્રશ્યો ફક્ત એક છાપ આપે છે. તેમ છતા તેઓ તેમના પ્રેમથી પ્રેરિત થઈ રહ્યા છે, પ્રેમને કોઈ સીમા નથી હોતી. પ્રેમ કોઈ સહરદને સ્વીકારતો નથી, પ્રેમ તો કોઈ પણ સરહદની બહાર હોય છે. પરંતુ દરેક માણસની, દેરક દેશની પોતાની વસ્તુઓ હોય છે. હું આ સમયે વધારે કહી શકીશ નહીં.''

નિર્દેશક અનિલ શર્માએ સીમા હૈદર કેસ પર કહ્યું- પ્રેમ કોઈ સહરદ સ્વીકારતો નથી
નિર્દેશક અનિલ શર્માએ સીમા હૈદર કેસ પર કહ્યું- પ્રેમ કોઈ સહરદ સ્વીકારતો નથી

અભિનેતા મનીષ વાધવાનું નિવેદન: અભિનેતા મનીષ વાધવાએ કહ્યું હતું કે, ''એવું વિચારવું ન જોઈએ. એવું હોવું જોઈએ કે, તે હવે સમગ્ર વિશ્વ માટે એક કળા છે. હું માનું છું કે, કળા કોઈ દેશ પર આધારિત નથી કે, કોઈ સીમાથી બંધાયેલા નથી. પક્ષીઓ અને લોકોને આવવા-જવા માટે વિઝા કે પાસપોર્ટની જરુર નથી, તેથી કલા છે. આ ઉપરાંત હું માનું છું કે, આ કલાનો મારો વિચાર છે. બીજા બધાની પોતાની વસ્તુઓ છે, પોતાના સિદ્ધાંતો છે. આવી વસ્તુઓ સમયાંતરે બની રહે છે. સીમાએ સીમા પાર કરી છે અને તે ખૂબ જ અલગ અનુભવ છે.''

ગદર 2 ટ્રેલર: 'ગદર 2'ના ટ્રેલરની વાત કરીએ તો, તેમાં અદભૂત પર્ફોર્મન્સ અને પાવરફુલ ડાયલોગ્સ અને આઈકોનિક હેન્ડપંપ જોવા મળે છે. ત્રણ મિનિટના ટ્રેલરમાં તારા સિંહ અને સકીનાનો વારસો દર્શાવવામાં આવ્યો છે, જે વર્ષ 1971ના તોફાની ક્રશ ઈન્ડિયા મૂવમેન્ટ વચ્ચે સેટ છે. આ ઉપરાંત તારા સિંહ તેમના બાળક, ચરણ જીત સિંહ-ઉત્કર્ષ શર્માને બચાવવા માટે પાકિસ્તાન જાય છે.

ગદર 2 ટીઝર: અનિલ શર્મા દ્વારા નર્દેશિત આ ફિલ્મમાં સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ઓફિશિલય ટીઝરને ઓનલાઈન રિલીઝ કરતા પહેલા 'ગદર 2'ના ફિલ્મ નર્માતાઓએ 'ગદર: પ્રેમ કથા' સાથે ટીઝર જોડી દીધું હતું. એટલું જ નહિં, પરંતુ થિયેટરોમાં ફિલ્મને ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. દિગ્દર્શક અનિલ શર્માએ જણાવ્યું હતું કે, ''અમે એક સ્ટોરી પાછી દર્શકો સમક્ષ લાવવા માટે ખુબ જ ઉત્સાહિત છીએ. આ સ્ટોરી દેશભક્તિ, પ્રતિકાર, હ્રુદયસ્પર્શી પિતા-પુત્રના બંધન અને તમામ સીમાઓને પાર કરતી પ્રેમકથાને પ્રતિબિંબિત કરે છે.''

Badshah Accident: લાઈવ કોન્સર્ટ દરમિયાન રેપર બાદશાહ સાથે બની દુર્ઘટના, જુઓ અહિં તસવીર

Sunny Deol: ગદર 2 તારા સિંહ-સકીના વાઘા બોર્ડર પહોંચ્યા, BSF જવાનો સાથે ઉદિત નારાયણ જોવા મળ્યા

Gaddar Passes Away: તેલંગાણાના સિંગર ગદ્દરનુ નિધન, 74 વર્ષની વયે એપોલો હોસ્પિટલમાં લિધા અંતિમ શ્વાસ

Last Updated :Aug 7, 2023, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.