ETV Bharat / crime

સુકેશ ચંદ્રશેખરે LGને ત્રીજો પત્ર લખીને આરોપોની CBI તપાસની કરી માંગ

author img

By

Published : Nov 7, 2022, 7:11 PM IST

દિલ્હીની જેલમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને લખેલો ત્રીજો પત્ર (Sukesh wrote third letter to LG) છે. સુકેશે તેમના પર લાગેલા આરોપોની સીબીઆઈ તપાસની માંગ કરી (Demand for CBI inquiry into allegations leveled)છે.

Etv Bharatસુકેશ ચંદ્રશેખરે LGને ત્રીજો પત્ર લખીને આરોપોની CBI તપાસની કરી માંગ
Etv Bharatસુકેશ ચંદ્રશેખરે LGને ત્રીજો પત્ર લખીને આરોપોની CBI તપાસની કરી માંગ

દિલ્હી: જેલમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને લખેલો ત્રીજો પત્ર (Sukesh wrote third letter to LG ), જેમાં સુકેશે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પ્રધાન કૈલાશ ગેહલોત અને સત્યેન્દ્ર જૈને પર અગાઉ લાગાવેલા આરોપોની CBI તપાસની માંગ કરી (Demand for CBI inquiry into allegations leveled ) છે.

CBI તપાસની માંગ: ત્રીજા પત્રમાં સુકેશે પૂર્વ જેલ અધિકારીઓને આપવામાં આવેલા પૈસા વિશે પણ વિસ્તૃત માહિતી આપી છે. છેલ્લા ચાર દિવસથી સુકેશ ચંદ્રશેખરે જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ,પ્રધાન કૈલાશ ગેહલોત પર પૈસાની લેવડ-દેવડનો આરોપ લગાવ્યો હતો, જેમાં ડિનર પાર્ટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મીડિયાને સંબોધિત કરતી વખતે આ અંગે એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. હવે ત્રીજા પત્રમાં તેણે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને આ આરોપોની CBI તપાસની માંગ કરી છે. આ પત્રમાં સુકેશે એમ પણ લખ્યું છે કે જેલમાં તેનો જીવ જોખમમાં છે. સુકેશ હાલ દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે.

500 કરોડ રૂપિયા એકઠા કરવાનું કહ્યું: બે દિવસ પહેલા સુકેશે પોતાના પત્રમાં વર્ષ 2017માં થયેલી ડિનર પાર્ટીનો ઉલ્લેખ કરીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિશે અનેક દાવા કર્યા છે તેમજ ફંડ વિશે પણ ઘણું બધું લખ્યું છે. પોતાના પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના સીએમ કેજરીવાલને સંબોધતા સવાલ ઉઠાવતા કહ્યું છે કે જો હું દેશનો સૌથી મોટો ગુંડો છું તો મારા જેવા ગુંડાને રાજ્યસભાની સીટ આપીને 50 કરોડ રૂપિયા કેમ લીધા? સુકેશે વધુમાં સવાલ કર્યો છે કે તમે અને ઉદ્યોગપતિઓએ મને પાર્ટીમાં જોડાઈને 500 કરોડ રૂપિયા એકઠા કરવાનું કહ્યું હતું. બદલામાં મને કર્ણાટકમાં પાર્ટીના મોટા પદની ઓફર પણ કરવામાં આવી રહી હતી.

50 કરોડ રૂપિયા પણ આપ્યા: ચાર પાનાના પત્રમાં સુકેશ ચંદ્રશેખરે હૈદરાબાદની હોટલ હયાતમાં યોજાયેલી ડિનર પાર્ટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમે વર્ષ 2016માં મારી ડિનર પાર્ટીમાં શા માટે હાજરી આપી હતી, તે સમયે મેં તમને 50 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે વધુમાં કહ્યું કે તે પાર્ટીમાં સત્યેન્દ્ર જૈન પણ તમારી સાથે હતા. આ પૈસા મેં તમને કૈલાશ ગેહલોતના આસોલા ફાર્મમાં આપ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ: ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલમાં બંધ દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન પાસે ઉપલબ્ધ સુવિધાઓ અંગે રિપોર્ટ માંગ્યો હતો. મંત્રાલયે દિલ્હી સરકારના મુખ્ય સચિવ પાસેથી આ રિપોર્ટ માંગ્યો છે. તાજેતરમાં, ED (Enforcement Directorate) એ કોર્ટને જણાવ્યું હતું કે સત્યેન્દ્ર જૈન જેલમાં સુવિધાઓ લેવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરી રહ્યો છે, તેમને સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. EDએ કોર્ટને કહ્યું હતું કે તિહાર જેલમાં પ્રધાન સત્યેન્દ્ર જૈનને માત્ર માથાની મસાજ જ નથી આપવામાં આવી રહી, પરંતુ તેમને સમયાંતરે ફુટ મસાજ અને બેક મસાજ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ મામલામાં શુક્રવારે તિહાર જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે.

ઠગ સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો: કહેવાય છે કે ઈડીએ કોર્ટને એક વીડિયો પણ આપ્યો છે. વિડિયો ફૂટેજ રજૂ કરતાં, EDએ જેલ અધિક્ષક પર સત્યેન્દ્ર જૈન સાથેની બેઠકમાં છૂટછાટ આપીને જેલ મેન્યુઅલનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ઠગ સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેણે AAP નેતા સત્યેન્દ્ર જૈનને મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ પ્રધાન સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા છે. સુકેશના વકીલ એકે સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.