ETV Bharat / city

રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં ધરખમ વધારો થતાં વેપારીઓમાં રોષ

author img

By

Published : May 26, 2021, 5:32 PM IST

Updated : May 26, 2021, 7:01 PM IST

રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં ધરખમ વધારો થતાં વેપારીઓ રોષ
રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં ધરખમ વધારો થતાં વેપારીઓ રોષ

ગુજરાત સરકાર દ્વારા સૂચિત વ્યવસાય વેરામાં ધરખમ વધારો થતાં વડોદરાના વેપારીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના અગ્રણીઓ દ્વારા નાયબમુખ્ય પ્રધાનને મેઈલ મારફતે જ્યારે મુખ્યપ્રધાનને સ્પીડ પોસ્ટ મારફતે પત્ર મોકલી વ્યવસાય વેરામાં કરાયેલો ધરખમ વધારો પરત ખેંચવા માગ કરી હતી.

  • ગુજરાત સરકાર દ્વારા સૂચિત વ્યવસાય વેરામાં વધારો કરવામાં આવ્યો
  • સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશને વધુ એક વખત સરકાર સામે બાંયો ચઢાવી
  • મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને પત્ર લખી વ્યવસાય વેરામાં કરાયેલો વધારો પરત ખેંચવા માગ કરી
  • 2.5 લાખથી 5 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને 500ને બદલે 2500 રૂપિયાનો ટેક્સ સૂચવવામાં આવ્યો

વડોદરાઃ કોરોનાના કપરાકાળ દરમિયાન અપાયેલા લોકડાઉનને પગલે સમગ્ર ભારતભરના તેમજ ગુજરાતરાજ્યના વેપારીઓ હાલ અભૂતપૂર્વ મંદીમાં છેલ્લા 15 મહિનાથી હેરાન થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં ધરખમ સૂચિત વધારો સૂચવતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. જેને લઈ વડોદરા શહેરના સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન મહેન્દ્રભાઈ શાહ, પ્રમુખ પ્રમોદભાઈ ભગત, મહામંત્રી પરેશભાઈ પરીખ તેમજ અગ્રણી રમેશભાઈ પટેલે મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ સંપૂર્ણપણે ખલાસ થઈ જાય તેમજ ઓનલાઈન બિઝનેશ અને FBIની કંપનીઓ મોટા પાયે ધંધો કરે તેવા આક્ષેપો સાથે રાજ્ય સરકાર વિરુદ્ધ વધુ એક વખત બાંયો ચઢાવી હતી.

રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં ધરખમ વધારો થતાં વેપારીઓ રોષ

આ પણ વાંચોઃ વેરા સમાધાન યોજનામાં વેપારીઓ દ્વારા મુદ્દત વધારાની કરી રહ્યા છે માંગ, જાણો શું છે કારણ.....

સરકાર નાના વેપારીઓને નારાજ ના કરે, સમૂહમાં આપઘાત કરવાની મંજૂરી આપી દો: વેપારી અગ્રણી પરેશભાઈ પરીખ

સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના મહામંત્રી પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર એવું ઈચ્છે છે કે, તેઓ મીડિયા મારફતે રોજબરોજ સરકાર વિરુદ્ધ કોઈકને કોઈક ભાષણ આપી રહ્યા છીએ. માંડ માંડ બધું થાળે પડ્યું ત્રણ વાગ્યા સુધીના લોકડાઉન ખોલવામાં અમને તેમણે મનાવી લીધા ત્યારે બે દિવસ પહેલા એક સૂચિત વધારો તેમના ધ્યાનમાં આવ્યો.દેશના વડાપ્રધાન મોદી જ્યારે GST એપ્લિમેન્ટ કર્યો ત્યારે એવી વાત હતી વન નેશન વન ટેક્સ અને એ વખતે વેપારીઓએ ત્રણ વર્ષ પહેલાં વિરોધ કર્યો હતો કે વ્યવસાય વેરો પણ એટલે કે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ થવો જોઈએ.

પ્રોફેશનલ ટેક્સમાં વધારો

જોકે નાબૂદ થવાની વાત તો બાજુ પર રહી પરંતુ બે દિવસ પહેલા તેમની પાસે પરિપત્ર આવ્યો જેમાં દર્શાવેલું છે કે અઢીથી પાંચ લાખ સુધીના ટર્ન ઓવર વાળાને 500 રૂપિયા જે પ્રોફેશનલ ટેક્સ થતો હોય તેના બદલે 2500 રૂપિયા સૂચવવામાં આવ્યો છે. એટલે કે 80 ટકા વેપારીઓ ગુજરાતના અને વડોદરાના તેના સ્લેબમાં આવી જશે. 400 ટકાનો ભાવ વધારો તેના પછીનો સ્લેબ આવે છે. 5થી 10 લાખ જેમાં 1250ને બદલે 2500 રૂપિયાનો ભાવ વધારો સૂચવવામાં આવ્યો છે. એટલે કે 100 ટકા ભાવ વધારો. 10 લાખથી ઉપર જે લોકો વધારે કમાઈ છે એને ખાલી 100 રૂપિયાનો ભાવ વધારો, માત્ર 2400ના 2500 રૂપિયા એટલે સરકાર એવું ઈચ્છે છે કે મધ્યમ વર્ગ સંપૂર્ણપણે ખલાસ થઈ જાય, વેપારીઓ પણ ખલાસ થઇ જાય અને ઓનલાઇન બિઝનેસ તેમજ FBIની જે કંપનીઓ છે એ લોકો મોટા પાયા ઉપર ધંધો કરે.

આ પણ વાંચોઃ હવે 30 સપ્ટેમ્બર સુધી ઈન્કમ ટેક્સ ભરી શકાશે, કેન્દ્ર સરકારે વધારી અવધિ

વેપારીઓમાં નારાજગી

આજે જ્યારે 15 મહિનાથી નાના નાના મંગળ બજાર, ઘડિયાળી પોળ અને રાવપુરાના વેપારીઓને 1000, 200, 500નો ધંધો નથી થતો એના પર તમે 400-400નો ભાવ વધારો પ્રોફેશનલ ટેક્સ નાંખ્યો છે. તેથી ખૂબ જ નારાજગી વેપારીઓમાં ફેલાઈ છે. આ અંગે અમે ગઈકાલે 25 મેના રોજ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ અને અન્ય લાગતા-વળગતા કમિશનરોને આવેદનપત્ર મેઇલ કર્યો છે. આજે બુધવારે તેઓ સ્પીડ પોસ્ટથી મુખ્યપ્રધાનને પણ આવેદનપત્ર મોકલવાના છે. વેપારીઓ ખૂબ નારાજ છે એટલે મહેરબાની કરીને સરકાર નાના વેપારીઓને હવે નારાજ ના કરો અને કરવો હોય તો એકવાર સમૂહમાં અમને આપઘાત કરવાની પરવાનગી આપી દો તેમ અગ્રણી પરેશભાઈ પરીખે જણાવ્યું હતું.

Last Updated :May 26, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.