ETV Bharat / city

Rathyatra 2021: વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અસમંજસ, ઈસ્કોન મંદિરના વ્યવસ્થાપકોએ કલેક્ટરની મુલાકાત લીધી

author img

By

Published : Jul 6, 2021, 7:32 AM IST

વડોદરા(Vadodara) માં પ્રતિ વર્ષે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra 2021) ચાલુ વર્ષે યોજવા પર અસમંજસ છે. ત્યારે ઈસ્કોન મંદિર (Iscon temple) ના વ્યવસ્થાપક નિત્યાનંદજી સ્વામી જીલ્લા કલેક્ટર આર.બી.બારડને મળ્યા હતા. નિત્યાનંદજી સ્વામીએ કલેકટરને મળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે વાતચીત કરી હતી. રથયાત્રા અંગે હજુ તંત્ર તરફથી કોઈ પરવાનગી આપવામાં ન આવતા અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

Rathyatra 2021: વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અસમંજસ,
Rathyatra 2021: વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અસમંજસ,

  • વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા અંગે અસમંજસ
  • ઈસ્કોન મંદિર તમામ તૈયારીઓ પુર જોશમાં શરૂ કરાઈ
  • મંદિરના વ્યવસ્થાપકે કલેકટરની મુલાકાત લઈ રથયાત્રા અંગે ચર્ચા કરી

વડોદરાઃ કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra 2021) યોજવામાં આવશે કે કેમ તે અંગે અસમંજસતા સર્જાયેલી છે. છતાં વડોદરાના ઈસ્કોન મંદિર (Vadodra Iscon temple)માં 40મી રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઈસ્કોન મંદિરના વ્યવસ્થાપક નિત્યાનંદજી સ્વામી જીલ્લા કલેક્ટર આર.બી.બારડને મળ્યા હતા. નિત્યાનંદજી સ્વામીએ કલેકટરને મળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે વાતચીત કરી હતી. રથયાત્રા અંગે હજુ તંત્ર તરફથી કોઈ પરવાનગી આપવામાં ન આવતા અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

Rathyatra 2021: વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અસમંજસ,

ગત વર્ષે મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી હતી રથયાત્રા

ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ રથયાત્રા અંગે હજુ તંત્ર તરફથી કોઈ પરવાનગી આપવામાં ન આવતા અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. જો પરવાનગી નહીં મળે તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાને મંદિર પરીસરમાં જ યોજવામાં આવશે.

તંત્ર તરફથી હજી સુધી કોઈ પરવાનગી આપવામાં નથી આવી

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતી હોય છે. ત્યારે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. જોકે હાલ સરકાર દ્વારા પણ આ અંગે કોઈ જાહેરાત અથવા રથયાત્રાને લઈને કોઈ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. 5 જુલાઈ સોમવારે વડોદરા શહેરના ઈસ્કોન મંદિરના વ્યવસ્થાપક નિત્યાનંદજી સ્વામીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને કલેક્ટર આર.બી.બારડ (Collector R.B. Barad)ને મળ્યા હતા. આ અંગે નિત્યાનંદજી સ્વામી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતી હોય છે. ત્યારે સરકાર દ્વારા જે પ્રમાણે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે, તે જ પ્રમાણે તમામ ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રા યોજવામાં આવશે.

રથયાત્રાની પરવાનગી આપવામાં નહી આવે તો મંદિર પરીસરમાં જ યોજાશે રથયાત્રા

રથયાત્રા યોજવા માટેની તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. વ્યવસ્થાપક નિત્યાનંદજી સ્વામીએ આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવી જ જોઈએ. અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રથને શણગારવામાં આવી રહ્યો છે, રથયાત્રાના એક-બે દિવસ બાકી હશે ત્યારે રથ પર કાપડ ચઢાવવામાં આવશે. જોકે રથયાત્રા અંગે તંત્ર તરફથી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. મોટાભાગે એકાદ દિવસ પહેલા રથયાત્રા યોજવા અંગેનો લેટર આપવામાં આવતો હોય છે. આશા છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારી ઓછી થઈ ગઈ છે. ત્યારે રથયાત્રાની પરવાનગી આપવામાં આવશે. પરંતુ જો રથયાત્રાની પરવાનગી આપવામાં નહી આવે તો ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ મંદિર પરીસરમાં જ રથયાત્રા યોજવામાં આવશે. નોંધનીય છે કે, 23 જૂન 2020ના રોજ સાંજે 5:45 કલાકે ઈસ્કોન મંદિરમાં 39મી રથયાત્રા મંદિર પરીસરમાં જ યોજઇ હતી.

આ પણ વાંચો: 144th Rathyatra : રથયાત્રા બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી, મંદિર ટ્રસ્ટી ઝાએ સીએમ રૂપાણીને આમંત્રણ આપ્યું

રથયાત્રાને લઈ અમદાવાદમાં પણ જબૂ અસમંજસતા યથાવત છે. રથયાત્રા અંગે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર ના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પહિંદવિધિ માટેનું આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ભરાયું, ભગવાનને આભૂષણો અર્પણ કરાયા, ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.