ETV Bharat / city

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

author img

By

Published : Sep 18, 2021, 2:23 PM IST

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

શુક્રવારે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં ભાજપ યુવા મોરચાએ પણ અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બિઝનેશ સમિટમાં હાજર રહ્યા હતા, જ્યા તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

  • ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બિઝનેશ સમિટમાં રહ્યા હાજર
  • ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
  • રાહુલ ગાંધી દેશ માટે ચાલતા ફરતા મીમ : તેજસ્વી સુર્યા

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા આવેલા ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બિઝનેશ સમિટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

તેજસ્વી સૂર્યા બિઝનેશ સમિટમાં રહ્યા હાજર

દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભાજપ યુવા મોરચના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા વડોદરા આવ્યા હતા અને વડોદરામાં બિઝનેશ સમિટમાં ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા.

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો : આજથી ચારધામ યાત્રા શરૂ: રજિસ્ટ્રેશન, ઈ-પાસ સહિતની તમામ માહિતી મેળવો માત્ર એક ક્લિકમાં...

તેજસ્વી સૂર્યાએ કર્યા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

આ દરમિયાન ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસના હિન્દુત્વને ખોટો કહેતા પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધી ઈલેકશન બ્રાહ્મણ અને ઈલેકશન હિન્દુ છે. યુપીની ચૂંટણી આવે ત્યારે રાહુલ ગાંધીને જનોઇધારી બ્રાહ્મણ હોવાનું યાદ આવે છે. રાહુલ ગાંધી દેશ માટે ચાલતા ફરતા મીમ છે, કોઈ એમને ગંભીરતાથી લેતું નથી.

આ પણ વાંચો : બેંગ્લોરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, 3 વર્ષીય બાળકી 4 દિવસ મૃતદેહો વચ્ચે કણસતી રહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.