ETV Bharat / city

પશુપાલકો અને લોકોમાં રખડતા પશુ દવાખાનાની સેવાઓની જાગૃત વધી, થયા આ સેવાના 2 વર્ષ પૂર્ણ

author img

By

Published : Jun 23, 2022, 4:53 PM IST

પશુપાલકો અને લોકોમાં રખડતા પશુ દવાખાનાની સેવાઓની જાગૃત વધી, થયા આ સેવાના 2 વર્ષ પૂર્ણ
પશુપાલકો અને લોકોમાં રખડતા પશુ દવાખાનાની સેવાઓની જાગૃત વધી, થયા આ સેવાના 2 વર્ષ પૂર્ણ

ગુજરાતમાં રખડતા પશુ(Stray animals in Gujarat) દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. જેમાં 108 જેવી સેવાઓ આપતાં એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરીની(Mobile Animal Dispensary) સેવા શરુ કરવા આવી છે આજે એને 2 વર્ષ પૂર્ણ થયા છે. જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે. ચાલો જાણીએ આ સેવા વિશે અને કટોકટીના સંજોગોમાં પશુપાલકો શું પગલાં લેવા તે જાણીએ.

વડોદરા: રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા(Animal Husbandry Department Protects Animal Health) માટે GVK- EMRIના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં રખડતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી(Mobile Animal Dispensary) સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે. જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ(Stray animals in Gujarat) આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે. પશુપાલકો તાકીદના, કટોકટીના સંજોગોમાં 1962 પર કોલ કરી તેમના વિસ્તારના રખડતા પશુ દવાખાનાની આરોગ્ય સેવાઓ તેમના ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત પશુ માટે મેળવી શકે છે.

વડોદરા જિલ્લામાં રખડતા પશુ દવાખાના મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરીને ગઈ કાલે બે વર્ષ પૂર્ણ થયા છે.
વડોદરા જિલ્લામાં રખડતા પશુ દવાખાના મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરીને ગઈ કાલે બે વર્ષ પૂર્ણ થયા છે.

આ પણ વાંચો: Cattle Free Campaign : ઢોર મુક્ત વચ્ચે વડોદરામાં ગાયે શાકભાજીવાળાને ભેટ મારી ફંગોળ્યો

વડોદરામાં છેલ્લા બે વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત પશુઓની નિશુલ્ક સારવાર - વડોદરા જિલ્લામાં રખડતા પશુ દવાખાના મોબાઈલ વેટરનરી ડીસ્પેન્સરીને ગઈ કાલે બે વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષ દરમિયાન અબોલ એવા 1,07,418 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 22 જૂન 2020ના રોજ 17 રખડતાપશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા. આ સેવા શરૂ થયાના બે વર્ષ દરમિયાન કુલ 1,07,418 પશુઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં 1,03,109 શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં 4309 પશુની સારવાર કરવામાં આવી હતી. ફરતા પશું દવાખાના દ્વારા છેલ્લા બે વર્ષમાં આપવામાં આવેલા પશુઓની વિગતો જોઈએ તો 56,022 ભેંસ, 34,080ગાય, 11396 બકરી, 4637 કૂતરા, 241 ઘોડા અને 199 ગધેડાઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી.

મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી
મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી

પશુપાલકો અને લોકોમાં રખડતા પશુ દવાખાનાની સેવાઓની જાણકારી વધી - વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકામાં નંદેસરી, સિંધરોટ, પાદરામાં મુવાલ, સરસવણી કરજણમાં કણભા, કરમડી, શિનોરમાં આનંદી, વાણીયાદ, ડભોઇમાં કરનાળી, સીમલીયા, વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા, સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ અને વરસડા સહિત 17 રખડતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. જે તે વિસ્તારના પશુપાલકો અને લોકોમાં રખડતા પશુ દવાખાનાની સેવાઓની(Stray Animal hospital services) જાણકારી વધતી જાય છે. તેમ તેમ લોકો પશુ આરોગ્યની રક્ષા માટે આ સેવાનો લાભ લઈ રહ્યા છે.

આ પણ વાંચો: Condition Of Panjarapole in Vadodara: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બદલશે પાંજરાપોળનો ચિતાર, જાણો વડોદરાના પાંજરાપોળની શું છે સ્થિતિ

પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક અને મદદનીશ કમ વાહન ચાલક સારવારની સેવાઓ આપે છે - આ રખડતા પશુ દવાખાનાનો(Stray Animal Hospital) આશય પશુપાલકોના દુધાળા અને ખેતી ઉપયોગી મોટા જાનવરોના આરોગ્યની કાળજી લેવાનો છે. જીવદયાને વરેલી રાજ્ય સરકારનો, રખડતા પશુ દવાખાના શરૂ કરવાનો શુભ હેતુ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. આ દવાખાના માટે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યાં છે જ્યાં નજીકમાં પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ નથી. આ પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક અને મદદનીશ કમ વાહન ચાલક સારવારની સેવાઓ આપે છે. માનવની સાથે પશુ આરોગ્યની જાળવણી કરવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતાનો આ રખડતા પશુ દવાખાના પુરાવો આપે છે. સંવેદનશીલ રાજ્ય સરકારે અબોલ પશુઓની સેવા સારવાર કરીને પશુઓ પ્રત્યે આગવી કરુણા દર્શાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.