Affidavit for income proof : આણંદના જિલ્લામાં આવકના દાખલા માટે નાગરિકોને એફિડેવિટમાંથી મળ્યો છુટકારો

author img

By

Published : Jan 1, 2022, 12:38 PM IST

Updated : Jan 1, 2022, 3:22 PM IST

Affidavit is not required for income proof: આણંદના જિલ્લા પ્રમુખના પ્રયાસનું ફળ, આવકના દાખલ માટે નાગરિકોને એફિડેવિટ માંથી મળ્યો છુટકારો

આણંદ જિલ્લાના જિલ્લા સંગઠન પ્રમુખ વિપુલ પટેલ દ્વારા કરવામાં આવેલી રજુઆત થકી ગુજરાતમાં આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ પણ નાગરીકને એફિડેવિટની (Affidavit is not required for income proof) જરૂર નહીં રહે.

આણંદ: ગુજરાત રાજ્યમાં નવી નિયુક્તિ પામેલા પ્રધાનમંડળ ઉત્સાહ પૂર્વક કામ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, પ્રજા વચ્ચે જઈને લોકહીત માટે પ્રયત્નો કરતા આ પ્રધાનમંડળના ત્વરિત અને યોગ્ય નિર્ણય શક્તિ જોવા મળી રહી છે તેવામાં રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લેવામાં આવેલ એક નિર્ણય દ્વારા લગભગ રાજ્યના તમામ નાગરિકોને રાહતના સમાચાર (Citizens get relief from affidavit) આપ્યા હતા અને તે હતો એફિડેવિટ ને (Affidavit is not required for income proof) નાબૂદ કરવાનો નિર્ણય.

Affidavit is not required for income proof: આણંદના જિલ્લા પ્રમુખના પ્રયાસનું ફળ, આવકના દાખલ માટે નાગરિકોને એફિડેવિટ માંથી મળ્યો છુટકારો

આવકના દાખલા માટે એફિડેવિટ નાબૂદ કરવાનો નિર્ણય

રાજ્ય સરકારે મામલતદાર કચેરીનું ભારણ ઘટાડવાનો પ્રયત્ન કરવા માટે ગામ પંચાયતમાં તલાટીને આવકનો દાખલો કાઢવા માટેની સત્તા સોંપવામાં આવી હતી પરંતુ દાખલો મેળવવા માટે આપવા પડતા એફિડેવિટ માટે અરજદારને તાલુકા કક્ષાએ ધક્કા ખાવા ફરજ પડતી હતી તેવા સંજોગે ધ્યાનમાં લઇને આણંદ જિલ્લાના સંગઠન પ્રમુખ વિપુલ પટેલ દ્વારા અરજદારને પડતી તકલીફને લઈને આવકના દાખલા માટે એફિડેવિટ ન લેવા માટે રજુઆત કરવામાં આવી હતી, જે રાજ્ય સરકારે ધ્યાનમાં લઈને રાજ્ય સ્તરે આવકના દાખલા માટે એફિડેવિટ નાબૂદ કરવાનો નિર્ણય (Decision to abolish affidavit) કર્યો હતો.

Exclusive Interview : એક મહિનામાં શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC હશે- ચીફ ફાયર ઓફિસર

જિલ્લા સંગઠન પ્રમુખ વિપુલ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવેલી

સમગ્ર નીર્ણય અંગે આણંદ ટાઉનહોલ ખાતે યોજાયેલા સુશાસન સપ્તાહની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન રાજ્યના ઉત્સાહી મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તેમના પ્રજાજોગ સંબોધન દરમિયાન આણંદ જિલ્લામાંથી મળેલા આ ખાસ પ્રસ્તાવ અંગે સરકારે લીધેલા નિર્ણય અંગે જણાવતા આણંદ જિલ્લાના જિલ્લા સંગઠન પ્રમુખ વિપુલ પટેલ દ્વારા કરવામાં આવેલી રજુઆત થકી ગુજરાતમાં આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ પણ નાગરીકને એફિડેવિટની જરૂર નહીં રહે તે માટે તેમનો આભાર માન્યો હતો.

વિપુલ પટેલે રાજ્ય સરકારનો આભાર માન્યો

આ પ્રશંગે આણંદ જિલ્લાના જિલ્લા સંગઠન અધ્યક્ષ વિપુલ પટેલે સરકાર દ્વારા તેમને કરેલી રજુઆત પર ત્વરિત અને યોગ્ય નિર્ણય લેવા બદલ સરકારનો આભાર માન્યો હતો અને પ્રજાને ઉભી થયેલી સરળતા માટે કરેલ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

આ પણ વાંચો:

Stairs And Steps Girnar: આધુનિક ઈજનેરી જગત માટે આજે પણ ચમત્કાર સમાન 1908માં બનેલા ગિરનાર પર્વત પરના સીડી અને પગથીયા

Last Updated :Jan 1, 2022, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.