ETV Bharat / city

પારસીઓના કાશી સમાન ઉદવાડા, સાયરસે પણ કર્યા હતા અંતિમદર્શન

author img

By

Published : Sep 5, 2022, 7:18 PM IST

ઈરાનથી આવેલી પારસી પ્રજા ગુજરાતીઓ સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ છે. જ્યારે પણ પારસીઓનું નામ લેવામાં આવે ત્યારે ઉદવાડામાં આવેલા પારસીઓના પવિત્ર સ્થળ ઈરાનશાહને દિલથી યાદ કરવામાં આવે છે. દુનિયાભરના પારસીઓ અહીં દર્શન કરવા માટે આવે છે. પણ આ પવિત્ર સ્થળ પણ એક અનોખો ઈતિહાસ ધરાવે છે. જોઈએ એક રીપોર્ટ. udvada temple Near Valsad, Parsi community Temple, Cyrus Mistry Tata Group
પારસીઓના કાશી સમાન ઉદવાડા, સાયરસે પણ કર્યા હતા અંતિમદર્શન
Etv Bharatપારસીઓના કાશી સમાન ઉદવાડા, સાયરસે પણ કર્યા હતા અંતિમદર્શન

ઉદવાડાઃ ઉદવાડા અરબીસમુદ્રને કિનારે આવેલું કાંઠા વિસ્તારનું ગામ છે. જ્યાં પારસી સમાજનું (Parsi community Temple) પવિત્ર ધામ આવેલું છે. જ્યાં વિશ્વભરમાંથી અનેક પારસી લોકો દર્શનાર્થે આવે છે. અહીં પારસીઓના ઈરાનથી લાવવામાં (udvada temple Near Valsad) આવેલ પવિત્ર અગ્નિને 1290 વર્ષ પહેલાં સ્થાપવામાં (Iranshah Udvada Temple) આવી હતી. ઈરાનથી આવેલા પારસીઓ તેમના પવિત્ર અગ્નિને સાથે લઈને આવ્યા હતા. અહીં પારસી સમાજની પવિત્ર અગિયારી આવેલી છે જે વાપી અને વલસાડ વચ્ચે આવેલુ છે. અહીં રેલવે કે બાય રોડ પણ પહોંચી શકાય છે. રેલવે સ્ટેશનથી માત્ર 8 કિમિ દૂર ઉદવાડા ગામ આવેલું છે જ્યાં પરસીઓનું પવિત્ર ધામ છે

પારસીઓના કાશી સમાન ઉદવાડા, સાયરસે પણ કર્યા હતા અંતિમદર્શન

1742 માં પારસીઓ ભારત આવ્યા: હાલમાં વલસાડ પાસે આવેલા ઉડવાડામાં સ્થાપિત કરવામાં આવેલ પવિત્ર અગ્નિને પારસીઓ ઇ.સ 1742 માં ભારતમાં આવ્યા ત્યારે તેઓ સાથે લઈને આવ્યા હતા. જેને આજે પણ સતત પ્રજ્વલિત રાખવામાં આવ્યો છે. આજે પણ પારસી સમુદાયના લોકો વિશ્વના ખૂણે ખૂણેથી અહીં તેના દર્શનાર્થે આવે છે તેને સતત પ્રજવલિત રાખવા માટે સુખડ અર્પણ કરાય છે. જ્યાં આતશ બહેરામની પૂજા અર્ચના કરવામાં આવે છે.

ઈરાનશાહઃ પવિત્ર અગ્નિને તેઓ આતશ બહેરામ કે ઇરાનશાહ તરીકે ઓળખે છે. પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે 1742માં તેઓ પોતાની સાથે તેમના પવિત્ર અગ્નિને પણ લઈને આવ્યા હતા. દૂધમાં સાંકરની જેમ ભળી ગયા હતા. આજે પણ આ કોમ અમે હિન્દુસ્તાનના યાર બસીર એટલે કે અમે ભરાયને સદા વફાદાર રહીશું એવું વચન આજ દિવસ સુધી પાળીએ છીએ. જે વચ સંજાણના જાદી રાણાને આપ્યું હતું. 1290 વર્ષથી તેમની અગિયારીમાં આ પવિત્ર અગ્નિ સતત પ્રજ્વલિત છે. પારસીઓ આવ્યાને ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તેમને પોતાની ધાર્મિક અને સાંસ્કતિક આસ્થાનું કેન્દ્ર હજું પણ એક મોટું મહત્ત્વ ધરાવે છે.

રીનોવેશન થયુંઃ અહીં ઉદવાડા ખાતે અગિયારીમાં રાખવામાં આવેલ પવિત્ર અગ્નિને 1290 વર્ષ પૂર્ણ થયા છે. હાલમાં જ ઉડવાડામાં જૂની અગિયારીનું રીનોવેશન કરવામાં આવ્યું છે. કલાત્મક અને આકર્ષક બનાવવામાં સાયરસ મિસ્ત્રીનો પણ ફાળો રહ્યો છે. આ સાથે સાપુરજી પાલનજી પરિવારનો મોટો સહયોગ મળ્યો હતો. સાયરસ મિસ્ત્રી અકસ્માત પૂર્વે ઉદવાડા પવિત્ર અગિયારીમાં દર્શન કરવા માટે આવ્યા હતા. અમદાવાદથી મુંબઈ જતી વેળા એ સાયરસ મિસ્ત્રીએ ઉદવાડા ખાતે આવેલા હતા. પવિત્ર આતશ બહેરામના દર્શન માટે આવ્યા હતા. તેમને સુખડ ખરીદી કરીને આતશ બહેરામના દર્શન કર્યા હતા.

નવા વર્ષે મેળોઃ પારસીઓના નવા વર્ષ કે તેમના તહેવારોમાં અહીં વિશ્વભરથી લોકો આવે છે. પારસી કોમના તમામ લોકો વિશ્વભરમાંથી તેમના 1290 વર્ષ જુના ઇરાનશાહના દર્શનાર્થે અહીં આવે છે. નવું વર્ષ હોય કે તેમના અન્ય તહેવારો પરિવારના વડીલો તેમના પુત્ર અને પૌત્રો સાથે ઇરાનશાહના દર્શને આવે છે તેઓ માટે અગિયારીનું ખૂબ મહત્વ છે. અગિયારીમાં ચુસ્ત પણે નિયમોનું પાલન કરવામાં આવે છે. નોન પારસી સમાજના લોકોને આ અગિયારીમાં પ્રવેશ નથી આપવામાં આવતો. માત્ર પારસી સમાજના લોકોજ તેમના અગિયારીમાં પ્રવેશ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.