ETV Bharat / city

Corona vaccine in Surat : જે લોકોએ વેકિસન લીધી નથી તેના માટે ત્રીજી લહેર ખતરા રુપ છે : SMC કમિશનર

author img

By

Published : Jan 20, 2022, 4:27 PM IST

Updated : Jan 20, 2022, 4:55 PM IST

સુરતમાં જે લોકોએ વેકિસન લીધી નથી તેના માટે ત્રીજી લહેર ખતરા રુપ છે
સુરતમાં જે લોકોએ વેકિસન લીધી નથી તેના માટે ત્રીજી લહેર ખતરા રુપ છે

સુરતમાં શહેરમાં કોરોનાના કેસોમા(Corona case in Surat) સતત વધારો નોંધાઇ રહ્યો છે. કોરોનાના કેસોને નિયંત્રમમાં લાવવા માટે મહાનગરપાલીકાના(Surat Municipal Corporation) કમિશનર દ્વારા લોકોને વેક્સિન(Corona vaccine) લેવા માટે અપીલ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, જે લોકોએ વેક્સિન લીધી નથી તેમના માટે ખતરો છે.

સુરત : જિલ્લામાં કોરોનાના(Corona case in Surat) કહેરને અટકાવવા માટે મહાનગરપાલીકાના(Surat Municipal Corporation) કમિશનરે લોકોને કોરોનામાં સાવચેતી રાખવા અને સમયસર વેક્સિન લેવા માટે અપીલ કરી હતી અને જે લોકોએ વેક્સિન લીધી નથી તેમના માટે આ સમય ખતરા સ્વરુપ છે તેવું પણ જણાવ્યું હતું.

સુરતમાં જે લોકોએ વેકિસન લીધી નથી તેના માટે ત્રીજી લહેર ખતરા રુપ છે

39 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળાઓ બંધ કરાઇ

શહેરમાં 39 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના કેસમાં વધારો થતા ધન્વંતરીરથ અને સંજીવનીરથમાં વધારો કરવામાં આવ્યો છે. ધન્વંતરીરથની સંખ્યા 140થી વધારીને 222 કરવામાં આવી છે, સંજીવની રથમની સંખ્યામાં પણ 129નો વધારો કરવામાં આવ્યો છે. આગામી અઠવાડીયામાં કોરોનાના કેસોમાં ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો : Corona Vaccination: સુરતમાં 15થી 18 વર્ષની ઉંમરના કિશોરોની સંખ્યા 1.80 લાખ, વેક્સિન આપવા કરાશે શાળાઓ સાથે સંકલન

આ પણ વાંચો : Student corona positive in MS Uni: યુનિવર્સીટીમાં કોરોનાના કેસોમાં સતત વધારો, આજે 10 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ

Last Updated :Jan 20, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.