ETV Bharat / city

સુરતના નવનિયુક્ત મેયરે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો

author img

By

Published : Mar 20, 2021, 3:25 PM IST

Surat Mayor Himali Boghawala
મેયરે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો

હાલ સુરત શહેરના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા વિવાદમાં આવ્યા છે. સુરતમાં કોરોનાને લઇ રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂનું પાલન ચુસ્તપણે થાય તે માટે સુરત પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે.

  • સુરતના મેયર આવ્યા વિવાદમાં
  • લોકોને ગાઇડલાઇનનું પાલન કરાવવા મેયર રસ્તા પર
  • મેયરે પોતે જ નિયમોનું ઉલ્લંઘન કર્યું

સુરત : શહેરના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા વિવાદમાં આવ્યા છે. ચાર મહાનગરો સહિત સુરતમાં કોરોનાને લઇ રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂનું પાલન ચુસ્તપણે થાય તે માટે સુરત પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. પોલીસના કામ અંગે મેયર હેમાલીબેન રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાત્રિ કર્ફ્યુ દરમિયાન લોકોને રોકી પ્રશ્ન કર્યા હતા કે, શા માટે કરફ્યૂ દરમિયાન નીકળ્યા છો...? એટલું જ નહીં તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો છે. રાત્રિ કરફ્યૂના કેટલા કલાક પહેલા તેઓએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને જેમાં કોરોના ગાઈડલાઇન્સનો ઉલ્લંઘન કર્યું હતું. મેયર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના જન્મ દિનની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગર જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા પંચાયતમાં વરણી સમયે કોરોનાની ગાઈડલાઈનનું ઉલંઘન


મેયરે કહ્યું કે, ગાડી સાઈડમાં મૂકાવી દઈશ!

અગત્યની વાત એ છે કે, મેયરને કોઈની ગાડી રોકીને તેમની પૂછપરછ કરવાની સત્તા નથી. તેમ છતાં મેયર રાત્રિ કરફ્યૂ દરમિયાન નીકળી લોકોની ગાડી રોકી સાઈડમાં મૂકાવી દઈશ જેવા શબ્દોથી તતડાવ્યા હતા. એટલું જ નહીં, દરેક ગાડી રોકીને તેઓ ફોટો સેશન પણ કરાવી રહ્યા હતા અને પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી પબ્લિસિટી પણ મેળવી રહ્યા હતા. તેમના આ વલણથી લોકો નારાજ છે અને લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કર્યા છે. મેયર ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ માસ્ક વગર ફરી રહ્યા હતા.

મેયરે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો
મેયર જવાબ આપવા નહોતા માંગતાસુરતમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે તંત્રની ચિંતા વધી છે. લોકો પણ કોરોનાના કેસ વધતા ભયભીત થયા છેે. હાલ નેતાઓ કોરોના મુક્ત થઈ ગયા હોય એવું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને હાલ જ નવ નિયુક્ત થયેલા હેમાલી બોઘાવાલા પોતે જ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરે છે અને લોકોને સમજાવવા નીકળે છે કે, તેઓ રાત્રિ કરફ્યૂ અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. તેમના આ વલણના કારણે તેઓ વિવાદમાં આવી ગયા છે લોકો તેમના આ વલણની ટીકા કરી રહ્યા છે. જ્યારે આ અંગે હેમાલી બોઘાવાલાને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ કોઈ પણ જવાબ આપવા માંગતા નહોતા.આ પણ વાંચોઃ ભાજપની ભજીયા પાર્ટીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

નેતાઓ ઉપર તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ

એકતરફ લોકો તો બીજી તરફ કોંગ્રેસે પણ તેમના આ વલણને લઈ આકરા પ્રહાર કર્યા છે. ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, પ્રજા માટે અને નેતાઓ માટે જુદા-જુદા નિયમ શા માટે છે. જે લોકો પોતે કોરોનાના નિયમનું ઉલ્લંઘન કરે છે તેઓ લોકોને સમજાવવા નીકળે છે, આવા નેતાઓ ઉપર તંત્રને કાર્યવાહી કરવી જોઈએ.

મેયરનો પબ્લિસિટી સ્ટંટ હોઇ શકે છે!

અહીં સ્પષ્ટ છે કે, માત્ર પબ્લિસિટી સ્ટંટ કરવા માટે મેયર પોતાના નિવાસસ્થાનેથી શહેરના છેવાડે ભાટીયા ટોલ નાકા સુધી પહોંચી ગયા હતા અને લોકોને રોકી રાત્રિ કરફ્યૂનું પાલન કરવા કહી રહ્યા હતા. જોકે તેઓ પોતે જ રાત્રિ કરફ્યૂ અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કર્યું નહોતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.