ETV Bharat / city

5 જણાનો આર્થિક સહારો છીનવાયો: બે જૂથ વચ્ચેના આંતરિક ઝગડામાં એક નિર્દોષનો ભોગ લેવાયો

author img

By

Published : Dec 27, 2021, 8:34 PM IST

અમરોલી (amroli area of surat )કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝગડામાં એક નિર્દોષને ચપ્પુના ઘા અને માથામાં માર મારી નિર્દય રીતે મોત Surat murder case)ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

5 જણાનો આર્થિક સહારો છીનવાયો: બે જૂથ વચ્ચેના આતરિક ઝગડામાં એક નિર્દોષનો ભોગ લેવાયો
5 જણાનો આર્થિક સહારો છીનવાયો: બે જૂથ વચ્ચેના આતરિક ઝગડામાં એક નિર્દોષનો ભોગ લેવાયો

સુરત: અમરોલી (amroli area of surat )કાસાનગરમાં રાત્રીના સમયે આ ઘટના બની હતી. બે જૂથ વચ્ચેના આતરિક ઝગડામાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મૃતકનું નામ અજય રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો અને પરિવારના 5 જણાનો આર્થિક સહારો હતો. પાડોશીએ જણાવ્યું હતું કે, અગાઉનો ઝગડો હતો. જોકે સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં રાત્રે ફળિયાવાસીઓએ બહારથી માણસો બોલાવી સામા પક્ષના યુવકોને ઘરમાંથી બહાર કાઢી માર મારતા હતા.

અન્ય 4 લોકોને પણ ઈજા

વધુમાં જણાવ્યું હતું કે, અજય રાઠોડ ઝગડાનો અવાજ સાંભળી ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો થયો હતો. ટોળું અજય પર તૂટી પડયુ હતું. ચપ્પુના ઘા અને લાકડાના સપાટા માથામાં મરાયા હતા. લોહીના ખાબોચીયામાં પડેલા અજયને 108ની મદદથી સ્મિમેર લવાતા મૃત જાહેર કરાયો હતો. આ મામલે પોલીસે (Surat murder case) તપાસ શરૂ કરી છે. જ્યારે મહિલા સહીત 4 લોકોને પણ ઈજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Crime In Ahmedabad: અમદાવાદ ખાતે જનેતા પર પુત્ર અને વહુ દ્વારા કરાયો એસિડ એટેક

આ પણ વાંચો: Crime in Surat :કુદસદ ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ કરી હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.