ETV Bharat / city

પત્નીએ ગૌમાસ ખવડાવતા પતિએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં શું લખ્યું છે

author img

By

Published : Aug 29, 2022, 3:46 PM IST

Updated : Aug 29, 2022, 3:56 PM IST

સુરતમાં પત્નીએ ગૌમાસ ખવડાવતા પતિએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં શું લખ્યું છે
સુરતમાં પત્નીએ ગૌમાસ ખવડાવતા પતિએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં શું લખ્યું છે

સુરત શહેરમાં પત્નીએ પતિને ગૌ માસ ખવડાવતા પતિએ આત્મહત્યા કરી છે. જોકે આત્મહત્યા પહેલા યુવકે પોતાની આપવીતી સુસાઇડ નોટમાં લખી હતી. જે સુસાઇડ નોટના આધારે પોલીસે પત્ની અને સાળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. Surat Husband suicide case wife feed cow meat, Suicide cases in Gujarat

સુરત શહેરના ઉધના વિસ્તારમાં વિધર્મી પત્નીએ પોતાના હિન્દુ પતિને માસ ખવડાવતા પતિએ આત્મહત્યા (cow eating non veg) કરતા ચકચાર મચી ગઈ છે. જોકે આ યુવકે આત્મહત્યા પહેલા પોતાની આપવીતી સુસાઇડ નોટમાં લખી હતી. આ સુસાઇડ નોટમાં પોતાની પત્ની અને સાળાએ કરેલા કૃત્યો, પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી હતી અને ગૌ માસ ખવડાવ્યું હતું. તેનો ઉલ્લેખ કર્યો છે. આ કારણે હું આ પગલું ભરી રહ્યો છુ. હાલ આ મામલે ઉધના પોલીસે પત્ની અને સાળા વિરુદ્ધમાં (eating beef suicidein Surat) આત્મહત્યા અને દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

શું હતી ઘટના સુરતના ઉધના વિસ્તારમાં રહેતો રોહિત સિંહ ટેક્સટાઇલ મિલમાં ડાઇંગ માસ્ટર તરીકે કામ કરતો હતો. ત્યાં તેને સોનમ નામની વિધર્મી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ બંને વચ્ચે સતત વાતચીત થતી હતી અને પછી આ વાતચીત પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ આ બંને જણાએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે પ્રેમલગ્નને કારણે રોહિતસિંહના પરિવારવાળા રોહિતથી નારાજ થયા હતા. ત્યારબાદ રોહિતસિંહ સોનમને લઈને તેના પરિવારથી દૂર ચાલ્યો ગયો હતો. તેમજ રોહિતસિંહ તેની પત્ની સોનમ સાથે તેના ઘરે રહેવા માંડ્યો હતો.

મારી નાખવાની ધમકી મળતી માહિતી મુજબ સૌપ્રથમ વખત થોડા દિવસ સુધી રોહિત તેની પત્નીની સાથે ખૂબ જ સરસ રીતે રહ્યો, પરંતુ જેમજેમ દિવસ પસાર થતા ગયા તેમતેમ તેની પત્ની સોનમ રોહિતને જમવામાં નોનવેજ આઈટમ આપતી રહેતી હતી. પરંતુ એક દિવસે તેની પત્નીએ કહ્યું કે, તમે ગૌમાસ ખાશો, તેમાં ત્યારે રોહિત નારાજ થયો. ત્યારે સોનમ અને તેનો મોટો ભાઈએ રોહિતને જાનથી મારી નાખવાની ધમકી આપી ગૌમાસ ખવડાવ્યું હતું.

ગૌ માસ ખવડાવી દીધું રોહિતને વિચાર આવ્યો કે, હું ખોટી જગ્યા ફસાઈ ગયો છું. આ લોકો મને ડરાવી ધમકાવીને ગૌ માસ ખવડાવી દીધું. હવે આગળ એમ પણ બની શકે છે કે ફરી મને ડરાવી ધમકાવીને મારું ધર્મ પરિવર્તન પણ કરાવી નાંખશે. જે ડરના કારણે રોહિત સતત ચિંતામાં રહેતો હતો અને તેને ફરી પાછી તેની પત્ની અને સાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપીને રોહિતને ગૌમાસ ખવડાવી દીધું હતું. રોહિતને ખૂબ જ આઘાત લાગતા તેણે સુસાઇડ નોટ લખી ફેસબૂક પર અપલોડ કરીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ ઘટના બે મહિના પહેલાની છે, આ સમાચાર આજે બહાર આવ્યા છે.

બે મહિના પહેલાની આત્મહત્યા રોહિતના એક મિત્રએ સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ જોઈ તેને (Wife killed husband in Surat) આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ તેણે રોહિતના પરિવારને આ સમગ્ર ઘટનાક્રમની જાણ કરી હતી. રોહિતના પરિવાર સૌપ્રથમ વખત સોનમના ઘરે ગયો અને ત્યાં રોહિતના ખબરઅંતર પૂછ્યા તો તમને જાણું મળ્યું કે, તેમની જાણ બહાર જ બે મહિના પહેલા તેમને આત્મહત્યા કરી હતી. પરંતુ આ વાત સોનમે રોહિતના પરિવારને કરી ન હતી.

સાળા વિરુદ્ધ ફરિયાદ આ સમગ્ર બાબતને લઈને રોહિતના પરિવાર દ્વારા ભારે હોબાળો મચાવામાં આવ્યો હતો. અંતે રોહિતના પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર સુસાઇડ નોટ અપલોડ કરી હતી. તેને લઈને ઉધના પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. આ બાબત પર તપાસ થાય અને રોહિતને ન્યાય મળે તે માટે પત્ની અને સાળા વિરુદ્ધમાં આત્મહત્યા અને દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો શેઠના માનસિક ત્રાસથી મજૂર માણસ બાળકોને નિરાધાર કરતો ગયો

પ્રેમજાળ ફસાવ્યો આ બાબતને લઈને મૃતક રોહિતસિંહના કાકા રાજેન્દ્રસિંહે જણાવ્યું કે, અમને આજે બે મહિના બાદ સમગ્ર ઘટના અમારી સામે આવી છે. મારા ભત્રીજાનો એક વિધર્મી મહિલાએ ભોગ લીધો છે. એનો ભાઈ અખ્તર અલી પણ સામેલ છે. તે મહિલાએ મારા ભત્રીજાને તેને પ્રેમજાળમં (love marriage effects) ફસાવી દીધો હતો અને ત્યારબાદ મારાં ભત્રીજા સાથે જે કાંઈ કર્યું છે, તે ચોકાવનારું છે. હાલ અમે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે આ બાબતે તપાસમાં શરૂ કરી દીધી છે. અમને પોલીસ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે, વિધર્મી સોનમ અને તેના ભાઈ અખ્તર અલીને પોલીસ પકડીને કાયદેસરની કાર્યવાહી કરશે.

સુસાઇડ નોટમાં શું લખ્યું હતું આજ મેં દુનિયા છોડ કે જા રહા હું, ઓર મેરી મોત કા કારણ મેરી બીવી ઓર મેરી પત્ની સોનમ ઓર ઉસકા ભાઈ અખ્તર અલી હૈ, આપ લોગ મુઝે ઇન્સાફ દિલવાના. મુઝે જાન સે મારને કી ધમકી દેકર મુજે ગૌમાતા કા માસ ખીલાદીયા હૈ, અબ મેં ઈશ દુનિયા મેં રહેને લાયક નહીં હું, ઈશ લિયે મેં આત્મહત્યા કરને જા રહા હું.

આ પણ વાંચો પ્રખ્યાત ગાયિકાનો કારમાંથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા તેના પણ સવાલ

બંને ઘણા સમયથી સાથે રહેતા હતા ACP જે. પી. સોનારાએ જણાવ્યું હતુ કે, ઉધના પોલીસ સ્ટેશનમાં એક ટીનાબહેન નામના યુવતીએ ફરિયાદ આપી હતી કે, મારો દીકરો રોહિતસિંહ રાજપુતે સોનમ નામની છોકરી જોડે પ્રેમલગ્ન કર્યા હતા. આ બંને જણા પહેલા ટેક્સટાઈ ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા. બંનેનો સંપર્ક થતા બંને ઘણા સમયથી સાથે રહેતા હતા. જેમાં રોહિતસિંહની ઉંમર 27 વર્ષની હતી. તેની પત્ની સોનમ 30 વર્ષની છે. આ બંને જણા ઉધના પટેલ નગરમાં રહેતા હતા. એ દરમિયાન રોહિતસિંહએ સુસાઇડ કર્યું હતું. ત્યારબાદ તેમના જ ફેસબૂક ઉપરથી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગૌમાસ ખવડાવ્યું હતું. જેને કારણે આ પગલું ભર્યું છે. અમે હાલ આ બાબતે તપાસ ચાલુ કરી દીધી છે. આ બંને વિરુદ્ધ IPC મુજબ ગુનો દાખલ કર્યો છે. suicide note suicide in Surat, eating beef side effects, Surat Husband suicide case wife feed cow meat

Last Updated :Aug 29, 2022, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.