ETV Bharat / city

Surat APMC Chairman Resigns : સુરત એપીએમસી ચેરમેન પદેથી રમણ જાનીનું રાજીનામું, કારણ શું?

author img

By

Published : Jul 2, 2022, 9:40 PM IST

સુરત એપીએમસીમાં કેટલાક સમયથી ચાલી રહેલી વર્ચસ્વની લડાઇમાં આજે નવું પાસું સામે આવ્યું છે. સુરત એપીએમસીના ચેરમેન પદેથી રમણ જાનીએ આજે રાજીનામું (Surat APMC Chairman Resigns ) ધરી દીધું છે. નોંધનીય છે કે આ અગાઉ રમણ જાની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત (No confidence motion against Raman Jani ) મૂકવામાં આવી હતી.

Surat APMC Chairman Resigns : સુરત એપીએમસી ચેરમેન પદેથી રમણ જાનીનું રાજીનામું, કારણ શું?
Surat APMC Chairman Resigns : સુરત એપીએમસી ચેરમેન પદેથી રમણ જાનીનું રાજીનામું, કારણ શું?

સુરત : છેલ્લા ઘણા સમયથી વિવાદોનું કેન્દ્ર બનેલ સુરત એપીએમસીમાંથી (Surat APMC ) આજે ચેરમેન પદેથી રમણ જાની દ્વારા રાજીનામું (Raman Jani resigns as chairman ) ધરી દેવામાં આવ્યું છે. સુરતની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ચસ્વની લડાઈ સાથે મોટા પાયે ભ્રષ્ટાચાર સહિતની આક્ષેપો વચ્ચે છેલ્લા ઘણા સમયથી રમણ જાની (Surat APMC Chairman Resigns) વિરૂદ્ધ ખુદ એપીએમસીના સભ્યોમાં પણ ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો.

સુરત એપીએમસીમાં કેટલાક સમયથી ચાલી રહેલી વર્ચસ્વની લડાઇમાં આજે નવું પાસું સામે આવ્યું

આ પણ વાંચોઃ આત્મનિર્ભર અભિગમ: સુરત APMCએ ટામેટા કેચઅપ બનાવવાનું કર્યુ શરૂ

વર્ચસ્વની લડાઈ - કુંભારિયા રોડ ખાતે આવેલ એપીએમસી (Surat APMC ) માર્કેટના ડિરેક્ટરોમાં અંદરો-અંદર ચાલી રહેલી ખેંચતાણ અને વર્ચસ્વની લડાઈ વચ્ચે 20 વર્ષથી એપીએમસી નામ ચેરમેન રહી ચૂકેલા રમણને જાણીએ આજે રાજીનામું (Surat APMC Chairman Resigns) આપી દીધું છે. હાલમાં જ ગુજરાત સ્ટેટ ફ્રુટ એન્ડ વેજીટેબલ ફેડરેશન (Gujarat State Fruit and Vegetable Federation) અને જિલ્લા ખરીદ વેચાણ સંઘમાંથી રાજીનામું આપ્યા બાદ આજે એપીએમસીમાંથી પણ રાજીનામું ધરી દેતાં હવે રમણ જાનીના સહકારી ક્ષેત્રમાં ઘટી રહેલા વર્ચસ્વની પણ ચર્ચાઓ શરૂ થવા પામી છે. રમણ પટેલ દ્વારા ચેરમેન પદેથી રાજીનામું (Raman Jani resigns as chairman ) આપી દેતાં સંભવતઃ હવે એપીએમસી માર્કેટના વિવાદો પર પૂર્ણવિરામ મુકાશે.

આ પણ વાંચોઃ સુરતમાં માર્કેટમાં છૂટક શાકભાજી અને ફ્રુટના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ

મારાથી કેટલાક લોકો સંતુષ્ટ નથી -સમગ્ર મામલે રમણ જાણીએ જણાવ્યું હતું કે, હું જનસંઘ જોડાયેલો છું. પાર્ટીએ મને રાજીનામું (Raman Jani resigns as chairman ) આપવા અંગે આદેશ કર્યો છે. જેથી મેં રાજીનામું આપ્યું છે. (Surat APMC ) માર્કેટ પાસે 50 કરોડ જેટલું ભંડોળ છે. મારાથી કેટલા લોકો સંતુષ્ટ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રમણ જાની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત (No-confidence motion against Raman Jani) મુકવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.