ETV Bharat / city

Railway station: મિનિ સ્માર્ટ સિટી જેવું હશે સુરત અને ઉધના રેલવે સ્ટેશન

author img

By

Published : Jul 27, 2021, 2:14 PM IST

સુરત અને ઉધના રેલવે સ્ટેશન આસપાસના વિકાસ માટે બિલ્ટ અપ એરિયા (BUA) અનુક્રમે આશરે 4,65,000 ચોરસ મીટર અને 37,175 ચોરસ મીટર છે. ચાર વર્ષના સમયગાળામાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન (Railway station)ના પુનર્વિકાસ માટે અંદાજીત કિંમત આશરે રૂપિયા 1,285 કરોડ છે. 'રિલોપોલિસ' એક મિનિ સ્માર્ટ સીટી જેવો હશે. જ્યાં કોઈ પણ વ્યક્તિ રહી શકે છે, કામ કરી શકે છે, પરિવહનની વિવિધ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. બધી સુવિધાઓથી તે વિશાળ રોકાણ આકર્ષિત કરશે અને વ્યવસાયિક તકો ઉભી કરશે.

Railway station
Railway station

  • IRSDCએ સુરત અને ઉધના રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે RFQને આમંત્રણ આપ્યું છે
  • સુરત રેલવે સ્ટેશનને મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસાવવાની કલ્પના
  • સુરત અને ઉધના રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટેનો અંદાજિત ખર્ચ આશરે 1285 કરોડ રૂપિયા

સુરત: દેશભરમાં રેલવે સ્ટેશનોના પુનર્નિર્માણ માટે કાર્યરત નોડલ એજન્સી અને ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડે (IRSDC), ગુજરાતના સુરત અને ઉધના રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે રિકવેસ્ટ ફોર ક્વોલિફિકેશન (RFQ)ને આમંત્રિત કર્યા છે. પુનર્વિકાસનો હેતુ આ રેલવે સ્ટેશનોને રેલોપોલિસમાં રૂપાંતરિત કરવાનો છે.

પુનર્વિકાસિત રેલવે સ્ટેશનો પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરશે

'રિલોપોલિસ' એક મિનિ-સ્માર્ટ સિટી જેવો હશે. જ્યાં કોઈ પણ વ્યક્તિ રહી શકે છે, કામ કરી શકે છે, પરિવહનની વિવિધ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. બધી સુવિધાઓથી તે વિશાળ રોકાણ આકર્ષિત કરશે અને વ્યવસાયિક તકો ઉભી કરશે. આ પુનર્વિકાસિત રેલવે સ્ટેશનો (Railway station) પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરશે અને તેમનો પ્રવાસનો અનુભવ વધારશે. વિકાસ માટે કુલ ક્ષેત્રફળ 3,40,141 ચોરસ મીટર સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન 7,38,088 ચોરસ મીટર છે.

રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે અંદાજીત કિંમત આશરે રૂપિયા 1,285 કરોડ

સુરત અને ઉધના રેલવે સ્ટેશન આસપાસના વિકાસ માટે બિલ્ટ અપ એરિયા (BUA) અનુક્રમે આશરે 4,65,000 ચોરસ મીટર અને 37,175 ચોરસ મીટર છે. ચાર વર્ષના સમયગાળામાં સુરત અને ઉધના રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે અંદાજીત કિંમત આશરે રૂપિયા 1,285 કરોડ છે. IRSDCના CEO અને MD એસ.કે.લોહિયાએ કહ્યું, સુરત એક ગતિશીલ વ્યાપારીક અને ઔદ્યોગિક કેન્દ્ર છે અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટનો હેતુ સ્થાનિક અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને શહેરની પર્યટન સંભાવનાને વેગ આપવા છે. સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય વિમાનમથક જેવા બનાવવા અને પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા પૂરી પાડવા વૈશ્વિક ધોરણો મુજબ ફરીથી વિકસિત કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનને મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસિત કરવાની કલ્પના કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગર ખાતે બન્યું દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન, જુઓ શું છે ખાસ વિશેષતા...

વૈશ્વિક કક્ષાના મલ્ટિ-મોડલ હબ જેવા ઘણા ફાયદા પ્રદાન કરશે

પુનર્વિકસીત સ્ટેશનો આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે. રોજગારની તકો ઉત્પન્ન કરશે. પર્યટનની ક્ષમતામાં વૃદ્ધિ સાથે ભીડ ઘટાડવીને રેલવે સ્ટેશનની પૂર્વ અને પશ્ચિમ બાજુના સંતુલિત ઉપયોગ અને વૈશ્વિક કક્ષાના મલ્ટી મોડલ હબ જેવા ઘણા ફાયદા પ્રદાન કરશે. સુરતએ ગુજરાતનું બીજું મોટું ઝડપથી વિકસતું શહેર છે. ઔદ્યોગિક ક્ષેત્રને કારણે ઉચ્ચ વિકાસ દર છે. શહેરમાં હાલમાં પ્રાદેશિક સેવાઓના 3 લાખ વપરાશકર્તાઓ છે. આ આંકડો વધીને 4.5 લાખ પ્રાદેશિક પ્રવાસીઓ અને દરરોજ વધારાના 2 લાખ નવા યાત્રીઓ થવાની ધારણા છે. આ રેલ્વે સ્ટેશનોના પુનર્વિકાસ માટે સારી રીતે મથક છે જે સીધી પ્રાદેશિક સેવાઓ (એટલે ​​કે, ટ્રેનો અને પ્રાદેશિક બસો) અને શહેરી જાહેર પરિવહન પ્રણાલીઓ (ઉચ્ચ ગતિશીલતા બસ કોરિડોર, બસ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ્સ, સિટી બસો) પ્રદાન કરે છે.

આ પણ વાંચો: કોડરમા સ્ટેશન પર ટ્રેનને સાંકળોથી તાણી બંધાઈ, યાસ વાવાઝોડા સામે ઝીંક ઝીલવા પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.