TRB વડા સાજન ભરવાડ સામે વકીલોનો હોબાળો, સુરત બાર એસોસિએશન કેસ લડવા તૈયાર નહીં

author img

By

Published : Aug 20, 2022, 9:40 PM IST

TRBના વડા સાજન ભરવાડ સામે વકીલોનો હોબાળો, સુરત બાર એસોસિએશન કેસ લડવા તૈયાર નહીં

સુરતમાં વકીલ મેહુલ બોઘરાને ટીઆરબી હેડ સાજન ભરવાડ દ્વારા માર મારવાના કેસમાં TRB Sajan Bharwad beat up advocate Mehul Boghra in Surat, સુરત કોર્ટમાં પેશી થઇ હતી. અહીં આરોપી સાજન ભરવાડને કોર્ટમાં હાજર કરાયો ત્યારે વકીલોએ Lawyers uproar to TRB head Sajan Bharwad, પોલીસની હાજરીમાં જ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને થોડા સમય હોબાળો મચી ગયો હતો. કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

સુરત સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર ટીઆરબી હેડ સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહી તેના વિરુદ્ધ નારાઓ Lawyers uproar to TRB head Sajan Bharwad, પણ લાગ્યા હતાં. એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થકો અને વકીલોએ કોર્ટમાં સાજન ભરવાડ વિરુદ્ધ નારાઓ લગાવ્યાં હતાં અને મારવાનો પ્રયાસ કર્યો હતો.

ભારે હોબાળા વચ્ચે કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં

વકીલો અને પોલીસનું ઘર્ષણ સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસના ગેરકાયદે ઉઘરાણાંનો વિડીયો ઉતારવા જતા ટીઆરબી હેડ સાજન ભરવાડ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો TRB Sajan Bharwad beat up advocate Mehul Boghra in Surat, કરવામાં આવ્યો હતો. જેમાં તેના માથાના ભાગે ઈજાઓ થઇ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આજે આરોપી સાજન ભરવાડને કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે વકીલો અને પોલીસનું ઘર્ષણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો એડવોકેટ મેહુલ બોઘરાની હત્યાના પ્રયાસમાં તેની જ સામે પણ ગુનો દાખલ

સાજન ભરવાડના રિમાન્ડ મંજૂર અહી મેહુલ બોઘરાના સમર્થકો અને કેટલાક વકીલોએ સાજન ભરવાડ વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતાં તેમજ માહોલ તંગ જોવા મળ્યો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરી તેના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં જેમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર Sajan Bharwad remand granted, કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો Ahmedabad Kidnapping Case: પૈસા પડાવવા માટે પોલીસ બન્યો ગુનેગાર, પોલીસ અને trb જવાને અપહરણ કરી 30 હજાર રોકડા પડાવ્યા

સુરત બાર એસોસિએશન કેસ લડવા તૈયાર નહીં બીજી તરફ સાજન ભરવાડ તરફથી વકીલ પત્રક મુંબઈના એડવોકેટ જે કે શાહે ભર્યું હતું. સુરતના કોઈપણ વકીલે તેના તરફથી કેસ લડવાની તૈયારી બતાવી ન હતી. સુરતના બાર એસોસિએશન Surat Bar Association, સહિત હાઇકોર્ટના વકીલ મંડળે પણ સાજન ભરવાડનો કેસ The case of Sajan Bharwad, લડવા માટે તૈયારી બતાવી ન હતી. જેને કારણે મુંબઈથી જે કે શાહે વકીલ પત્રક ભર્યું હતું. વકીલોમાં આવો ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.