ETV Bharat / city

સુરતીલાલાઓએ ગણેશ વિસર્જન વખતે ધામધૂમથી યોજી શોભાયાત્રા

author img

By

Published : Sep 9, 2022, 6:48 PM IST

સુરતીલાલાઓએ ગણેશ વિસર્જન વખતે ધામધૂમથી યોજી શોભાયાત્રા
સુરતીલાલાઓએ ગણેશ વિસર્જન વખતે ધામધૂમથી યોજી શોભાયાત્રા

સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ બાપાનું ધામધૂમ પૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે. બાપાના ભક્તો બાપાને હાથેથી, ટૂ વ્હીલ, ફોર વ્હીલ ગાડી, રીક્ષા, અથવા પાલખીમાં ઢોલ નગરા સાથે વિસર્જન માટે નીકળી રહ્યા છે. ગણપતિ બાપાને ઢોલ નગારા ડીજેના તાલે ગુલાલ ઉડાડી ફટાકડા ફોડી બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢી વિસર્જન માટે નીકળ્યા છે. Ganesha Visarjan day, Ganesh Visarjan Shobha Yatra, Ganpati Visarjan Yatra at Dumas

સુરત સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ બાપાનું ધામધૂમ પૂર્વક વિસર્જન (Ganesha Visharan day) કરવામાં આવી રહ્યું છે. આજે અનંત ચૌદશ (Anant Chaudash is Ganesh Visarjan day ) એટલે કે ગણેશ વિસર્જનનો દિવસ (Surat Ganpati Visarjan Day)ભક્તોએ ગણેશજીની નવ દિવસ સુધી પૂજા અર્ચના કરી અને આજે ગણપતિ બાપાને આંખો ભીની વિદાય આપી રહ્યા છે. લોકોએ જાહેરમાં દૂંદાળા દેવને નવ દિવસ સુધી વિશિષ્ટ અતિથિ તરીકે બનાવ્યા હતા. શહેરમાં નાના મોટા મંડપ ભંડારો સોસાયટી ફ્લેટ ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી.

ણપતિ બાપા ને ઢોલ નગારા ડીજે ના તાલે ગુલાલ ઉડાડી ફટાકડા ફોડી બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢી વિસર્જન માટે નીકળ્યા છે.

ગણપતિ બાપા મોરીયા પૂર્ચા વર્ષી લવકારીયાના નાદ આજે આંખો ભીની વિદાય આપી રહ્યા છે. સુરતમાં કુલ 60 હજાર જેટલી ગણપતિ પ્રતિમાઓનું સ્થાપના (Ganapati Sthapana Surat) કરવામાં આવી છે. આજે વહેલી સવારથી઼ આખું શહેર ગણપતિ બાપા મોરીયા પૂર્ચા વર્ષી લવકારીયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.

બે વર્ષ બાદ અનોખો ઉત્સાહ સુરત શહેરમાં વહેલી સવારથી જ ગણપતિ બાપાનું ધામધૂમ પૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણપતિ બાપા મોરીયા પૂર્ચા વર્ષી લવકારીયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. ગણપતિ બાપાના ભક્તો બાપાને હાથેથી, ટૂ વ્હીલ, ફોર વ્હીલ ગાડી, રીક્ષા, અથવા પાલખીમાં ઢોલ નગરા સાથે વિસર્જન માટે નીકળી રહ્યા છે. બે વર્ષ બાદ આ અનોખો ઉત્સાહ ફરી જોવા મળી રહ્યો છે. ગણપતિ બાપાને વિદાય આપતી વખતે ભક્તો ગણપતિ બાપાના કાનમાં (People Say wishes in Lord Ganpati Ears) પણ પોતાની ઈચ્છઓ કહી રહ્યા છે. બાપાને આંખો ભીની વિદાય આપી રહ્યા છે.

માટીની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન આ વખતે પર્યાવરણને જાગૃતિના ભાગરૂપે એક લાખથી વધુ માટીની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં કુલ 60થી વધુ મૂર્તિઓ છે. એમાં એકથી પાંચ ફૂટ સુધીની પ્રતીમાઓનું શહેરના 8 ઝોનમાં પાલિકા દ્વારા બનાવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 6 ફૂટથી મોટી મૂર્તિઓનું વિસર્જન ડુમસ (Ganpati Visarjan Yatra at Dumas)અને હજીરામાં (Ganapati visarjan at Hazira beach) કરવામાં આવી રહ્યું છે. આ વખતે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે એક લાખથી વધુ માટીની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

પોલીસ કર્મચારીઓ ખડે પગે ગણેશ વિસર્જનને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં શહેરમાં ત્રણ પોલીસ કમિશનર 9 DCP, ACP, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલ, SRP, RAF, હોમગાર્ડ, ટીઆરબી જવાન, FOPM કુલ 20000 પોલીસ કર્મચારીઓ ખડે પગે બંદોબસ્તમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.