ETV Bharat / city

Bhagavad Gita Teaching : સુરતની શાળાના આચાર્યનો ભગવદ્ ગીતાનો ક્લાસ ફુલ, શા માટે થઇ રહ્યું છે શિક્ષણ જૂઓ

author img

By

Published : May 23, 2022, 6:44 PM IST

વેકેશન ચાલતું હોય ત્યારે રજાઓની મજા (Summer Vacation 2022 ) શિક્ષકો પણ પોતાના પરિવાર સાથે માણતાં હોય છે. પરંતુ સુરતમાં પ્રાથમિક શાળાના આચાર્ય નરેશ મહેતાએ રજાની મજા માણવા માટે રચનાત્મક અભિગમ અપનાવીને વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા (Bhagavad Gita online class ) શીખવી રહ્યાં (Bhagavad Gita Teaching) છે. વાંચો આ વિશેષ અહેવાલ.

Bhagavad Gita Teaching : સુરતની શાળાના આચાર્યનો ભગવદ્ ગીતાનો ક્લાસ ફુલ, શા માટે થઇ રહ્યું છે શિક્ષણ જૂઓ
Bhagavad Gita Teaching : સુરતની શાળાના આચાર્યનો ભગવદ્ ગીતાનો ક્લાસ ફુલ, શા માટે થઇ રહ્યું છે શિક્ષણ જૂઓ

સુરત :હાલમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે સુરત નગર પ્રાથમિક શાળા સંત ડોંગરેજી મહારાજના આચાર્ય નરેશ મહેતા (principal of Nagar Primary Sant Dongreji Maharaj school Naresh Mehta) 1000થી વધુ વિદ્યાર્થીઓને દરરોજ ભગવદ્દ ગીતાના શ્લોક શીખવાડી (Sanskrit reading in government school) રહ્યા છે.આચાર્ય નરેશ મહેતા સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે. પરંતુ હાલ ચાલી રહેલા ઉનાળાના વેકેશનમાં બાળકો ભગવદગીતાનું જ્ઞાન (Bhagavad Gita Teaching) મેળવી શકે આ માટે ઓનલાઇન ક્લાસ (Bhagavad Gita online class) પણ કરાવી રહ્યા છે.

8 મી મે સુધી 1117 જેટલા વિદ્યાર્થીઓએ આ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

1,000 વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે ગીતાભ્યાસ-નરેશ મહેતાના આ નિ:શુલ્ક Bhagavad Gita online classક્લાસમાં આશરે 1,000 થી વધુ વિદ્યાર્થીઓ રોજ ભગવત ગીતાના શ્લોકનું પઠન પાઠન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ભગવદ્ ગીતાને વિદ્યાર્થીઓના ભણતરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આચાર્ય દરરોજ શાળાના વિદ્યાર્થીઓને ગીતા અંગે જાણકારી (Bhagavad Gita Teaching)આપી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓ ગીતાના શ્લોક અને અનુસરણ કરી શકે તે માટે સંસ્કૃત અને સામાન્ય ગુજરાતી ભાષામાં અનુવાદ કરી સમજાવી રહ્યા છે.

આ પણ વાંચો-Bhagavad Gita Seminar Bhavnagar: ભાગવત શીખવવા પહેલા શિક્ષક બનશે વિદ્યાર્થી, સેમિનારનું આયોજન

શ્લોક સરળ શૈલીમાં શીખવે છે- નરેશ મહેતા રોજે વિદ્યાર્થીઓને ઓનલાઈન ગીતાજીના શ્લોક સરળ શૈલીમાં શીખવી રહ્યા છે. ત્યારે આચાર્યના આ પ્રયત્નોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પત્ર પાઠવીને બિરદાવ્યા છે. નરેશ મહેતા દરરોજ એક કલાક સોશિયલ મીડિયાના માધ્યમથી લિંક ફોરવર્ડ કરી માઈક્રો સોફટ ટીમ એપના માધ્યમથી જ્ઞાન (Bhagavad Gita Teaching)આપી રહ્યા છે.. વાલીઓ પણ આચાર્યના આ અભિયાનથી ખૂબ જ પ્રભાવિત છે. માત્ર સુરત જ નહીં, ગુજરાતના અનેક શહેરોમાંથી વિદ્યાર્થીઓ તેમના આ ઓનલાઇન ક્લાસમાં (Bhagavad Gita online class ) જોડાયા છે.

આ પણ વાંચોઃ Jakhvada Primary School: સુરત જિલ્લાની એક એવી શાળા જ્યાં મુસ્લિમ શિક્ષક બાળકોને ભણાવે છે ગીતાના પાઠ

1117 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું -આચાર્ય નરેશ મહેતાએ જણાવ્યું હતું કે અમે ઓનલાઈન રજિસ્ટ્રેશન(Bhagavad Gita online class ) કરાવ્યું હતું. જેમાં 8 મી મે સુધી 1117 જેટલા વિદ્યાર્થીઓએ આ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દરરોજ 10 થી 11 એક કલાક સુધી હું આ બાળકોને ઓનલાઇન માધ્યમથી ગીતાના શ્લોક શીખવાડી (Bhagavad Gita Teaching) રહ્યો છું. આપણાં બધાના ઘરે ગીતાજીનું પુસ્તક છે અને અમે તેમની પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ તેનું વાંચન નથી કરતા. આ તમામ વિદ્યાર્થીઓ ગીતાનું વાંચન કરે એ આશયથી હું ઉનાળાના વેકેશનમાં (Summer Vacation 2022 ) આ ક્લાસ લઉં છું. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ જોડાય એ માટે હું પ્રયત્નશીલ છું. વિદ્યાર્થીઓ એટલા હદે પ્રભાવિત છે કે વેકેશનમાં ક્યાંય પણ જતાં નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.