અશોક ગેહલોત સુરતના પ્રવાસે, હેમા માલિની અંગે નિવેદન આપનારા પોતાના પ્રધાનની કરી ટીકા, કહ્યું- મર્યાદામાં રહીને બોલવું જોઈએ

author img

By

Published : Nov 25, 2021, 3:24 PM IST

અશોક ગેહલોત સુરતના પ્રવાસે, હેમા માલિની અંગે નિવેદન આપનારા પોતાના પ્રધાનની કરી ટીકા, કહ્યું- મર્યાદામાં રહીને બોલવું જોઈએ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની (Ahmed Patel) આજે પ્રથમ પુણ્યતિથિ છે. તેમને શ્રદ્ધાંલિ આપવા માટે રાજસ્થાનના મુખ્યપ્રધાન (Rajasthan CM) અશોક ગેહલોત (Ashok Gehlot) અંકલેશ્વર ગયા હતા. તે પહેલા તેઓ સુરત એરપોર્ટ (Surat Airport) પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં પોતાના પ્રધાને હેમા માલિની (Hema Malini) પર કરેલી ટિપ્પણીની ટિકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રધાને મર્યાદામાં રહીને બોલવું (speak within limits) જોઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અત્યારે સહાય આપવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની છપ્પન ઈંચની છાતી બતાવવાનો સમય છે.

  • અંકલેશ્વરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા જતા અશોક ગેહલોતે સુરતમાં આપ્યું નિવેદન
  • સહાય આપવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છપ્પનની છાતી બતાવવાનો સમય છે: ગેહલોત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન ગભરાઈ ગયા એટલે ગુજરાતમાં સરકાર બદલવી પડીઃ ગેહલોત
  • રાજસ્થાનના પ્રધાને હેમા માલિની અંગે કરેલી ટિપ્પણી અંગે ગેહલોતે કહ્યું, કોઈ પણ પ્રધાને મર્યાદામાં રહીને બોલવું જોઈએ

સુરતઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની આજે પુણ્યતિથિ છે. ત્યારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા (Rajasthan CM) અશોક ગેહલોત (Ashok Gehlot) અંકલેશ્વર પહોંચ્યા હતા. જોકે, આ પહેલા તેઓ સુરત એરપોર્ટ (Ashok Gehlot Visits Surat) પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના પ્રધાન રાજેન્દ્ર ગુઢાએ (Rajendra Gudha) હેમા માલિની (Hema Malini) અંગે આપેલા નિવેદનની ટીકા (Criticism) કરી હતી. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ હોય તેણે મર્યાદામાં રહીને નિવેદન (speak within limits) આપવું જોઈએ. જે લોકો મર્યાદામાં નિવેદન નહીં આપે તો લોકો તેમને પસંદ કરતા નથી. તો કોરોનામાં મૃત્યુ પામનારા લોકોને સહાય અંગે પણ તેમણે જણાવ્યું હતું કે, સહાય આપવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) છપ્પનની છાતી બતાવવાનો સમય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન ગભરાઈ ગયા એટલે ગુજરાતમાં સરકાર બદલવી પડીઃ ગેહલોત

અશોક ગેહલોતે પ્રધાનના નિવેદનની ટીકા કરી

રાજસ્થાનના પ્રધાનના રાજેન્દ્ર ગુઢાએ (Rajendra Gudha's statement about Hema Malini) પીઢ અભિનેત્રી અને ભાજપનાં સાંસદ હેમા માલિની (Hema Malini) ઉપર વિવાદિત ટિપ્પણી આપી હતી. ત્યારથી જ તે પ્રધાનની ટીકા થઈ રહી છે. તેવામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) પણ પ્રધાનના નિવેદનની ટીકા (Criticism) કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મર્યાદાની બહાર જઈને કોઈ રાજકારણ કરશે તો લોકો પસંદ કરશે નહીં. તેઓએ કયા સંદર્ભે આ ટિપ્પણી કરી છે તે મને ખબર નથી અમે જાણીશું કે, કયા સંદર્ભે તેમણે આ કહ્યું હતું. અનેકવાર સંદર્ભો બદલી જતા હોય છે. લોકોને મર્યાદા રાખવી જોઈએ પ્રધાન હોય કે મુખ્યપ્રધાન હોય.

ઓર્ડર નીકળ્યા બાદ તે વિથડ્રો થઈ જાયઃ ગેહલોત

કોરોનામાં મૃત્યુ પામનારા લોકોને વળતર આપવા મુદ્દે અશોક ગેહલોતે (Ashok Gehlot) જણાવ્યું હતું કે, સહાય બાબતે રાહુલ ગાંધીએ 4 લાખ રૂપિયા આપવાની માગણી કરી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે પોતે ઓર્ડર નીકળ્યા હતા, પરંતુ 70 વર્ષના ઈતિહાસમાં આવું ક્યારેય નહીં બન્યું હોય કે ઓર્ડર નીકળ્યા બાદ તે વિથડ્રો થઈ ગયા હોય. તમે ગરીબની મદદ કરો છો, પરંતુ ઓર્ડર નીકળ્યા બાદ વિથ ડ્રો કરવું. આવું ઈતિહાસમાં બન્યું નથી. સરકાર ઈચ્છે તો 4 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયા આપી શકે છે, જે ગરીબ છે. તેને 5 લાખ આપવા જોઈએ.

વડાપ્રધાન અને ગૃહપ્રધાન ગભરાઈ ગયા છેઃ ગેહલોત

અશોક ગેહલોતે (Ashok Gehlot) વધુમાં ઉમેર્યું હતું કે, જો બહુ ગરીબ પરિવાર હોય તો સરવે કરાવીને 10 લાખ રૂપિયા પણ આપવા જોઈએ. અમે રાજસ્થાનમાં અનાથ બાળકો માટે પણ પેકેજ જાહેર કર્યું છે. અનાથ બાળકોને 18 વર્ષ થયા બાદ બાળકોને 5 લાખ રૂપિયા આપીશું. કોરોના કાળ બાદ ગુજરાતમાં આખી સરકાર બદલી ગઈ છે. નવા પ્રધાનો આવ્યા છે જે અગાઉ ઈતિહાસમાં થયું નથી. સરકાર બદલાઈ ગઈ છે, જેનો અર્થ છે કે, ગુજરાતની જનતાના મુડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Central Home Minister Amit Shah) ગભરાઈ ગયા છે.

કોરોનાની સ્થિતિ ગંભીર થતા ગુજરાતમાં આખું પ્રધાન મંડળ બદલવું પડ્યુંઃ ગેહલોત

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર હતી. તેના જ કારણે આખું પ્રધાન મંડળ બદલવું પડ્યું છે. અમે રિસફલિંગ જોયું છે, પરંતુ 100 ટકા પ્રધાનોને બદલી નાખવામાં આવ્યા છે. તે બની શકે છે કે. કેટલાક પ્રધાનોએ સારા કામ કર્યા હશે. તેમને પણ ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. પ્રધાન મંડળ બદલવા પાછળનું કારણ ચૂંટણીમાં જીત મેળવવાનો ઉદ્દેશ છે.

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના આંકડો છૂપાવાયાઃ ગેહલોત

અશોક ગેહલોતે (Ashok Gehlot) જણાવ્યું હતું કે, સરકારે જે રીતે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, 50,000 રૂપિયા આપીશું. આટલી રકમ તો દાનદાતાઓ આપી દેતા હોય છે. 50,000 રૂપિયાની આજે શું કિંમત છે. ભારત સરકારે 5થી 10 લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ. ઓછામાં ઓછી 4 લાખ રૂપિયાની સહાય મળવી જ જોઈએ. આ અંગે આખા દેશમાં સરવે થવો જોઈએ. જો આંકડાઓ સાચા સરકાર પાસે આવશે. તો ભલે તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તે આધારે સહાય કરી શકશે. વર્ષ 2019માં પણ રોજગારીને લઈ આંકડાઓ હતા, જે તેમણે છૂપાવ્યા હતા. તે જ રીતે અત્યારે કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના આંકડાઓ છૂપાવવામાં આવી રહ્યા છે.

સરવેના આધારે સરકાર યોગ્ય કાર્યવાહી કરી શકશેઃ ગેહલોત

અશોક ગેહલોતે (Ashok Gehlot) સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના આંકડા સામે આવે તો આગળની નીતિ બનાવવા કામ લાગશે. અત્યારે કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે. ભારતમાં ત્રીજી લહેરમાં બાળકો પર વધારે અસર થાય તેવી આગાહી કરવામાં આવી છે. જો આગાહી મુજબ ત્રીજી લહેર આવશે તો સરવેના આધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર યોગ્ય કાર્યવાહી કરી શકશે અને કોઈ પણ પ્રકારની અછત સર્જાશે નહીં.

આ પણ વાંચો- Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ

આ પણ વાંચો- રાજકોટમાં 100 ટકા Corona Vaccinationનો દાવો ખોટો, વિપક્ષનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.